શું તમારા ફોનમાં પણ Alertનો Alarm વાગ્યો? કુદરતી આફત વખતે હવેથી કરાશે આ સિસ્ટમનો ઉપયોગ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 15:02:01

આજે તમારા બધાના ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે. દેશભરના ફોન આજે રણક્યા હશે કારણ કે આજે સરકાર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેસેજના માધ્યમથી ભારત સરકાર ઈમરજન્સી એલર્ટનું પરિક્ષણ કરી રહી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ અલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. તો એનો જવાબ છે કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. 

ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે 

તમારો મોબાઈલ કોઈ પણ માધ્યમ પર કામ કરતો હોય. ચાહે તમારો ફોન એન્ડ્રોઈડ હોય, ચાહે તમારો ફોન આઈફોન હોય કે બ્લેકબેરી હોય. બધા જ લોકોના ફોન આજે રણક્યા છે. તમારા ફોનમાં પણ ઈમર્જન્સી અલર્ટ એક્સટ્રીમ એવું લખાયેલું આવ્યું હશે અને ફોન વાગ્યો હશે. આ એક પ્રકારની ચેતવણીની સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ અલર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્મયુનિકેશન વિભાગના કારણે આવી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ એલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. 


આપાત્કાલીન પરિસ્થિતિ વખતે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે 

આ કરવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તમને યાદ હોય તો એક હોલિવુડ ફિલ્મ આવી હતી જેમાં પૃથ્વીનો વિનાશ થઈ જાય છે. આ પિક્ચરમાં ધરતીકંપ આવે છે,. જ્વાળામુખી ફાટે છે, અને સુનામીના કારણે 50 કે સો માળ જેટલી બિલ્ડિંગ જેટલા ઉંચા મોજા આવે છે. જ્યારે આવી કોઈ આપાતકાલિન સ્થિતિ આવવાની હોય તેના પહેલા લોકોને સજાગ કરવા જરૂરી હોય છે. અને અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આવી પરિસ્થિતિની જાણ કરવા માટે જ સેલ બ્રોડકાસ્ટ અલર્ટ સિસ્ટમ મેસેજ આપવામાં આવ્યો છે. 



'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ' કેવી રીતે કામ કરે છે?

ઓગસ્ટથી, સરકાર તમામ જગ્યાઓ પર નવી સુવિધાનું પરીક્ષણ કરવા માટે તબક્કાવાર ચેતવણીઓ મોકલી રહી છે. તાજેતરમાં, સરકારે દેશભરના ઘણા ફોન પર પરીક્ષણ ચેતવણી મોકલી છે. એન્ડ્રોઇડ અને iOS બંને પર મોબાઇલ ફોન પર એક સંદેશ ફ્લેશ થયો હતો અને ખૂબ જ જોરથી ઇમરજન્સી ટોન પણ સેટ થઈ ગયો હતો. સંદેશ બે વાર મોકલવામાં આવ્યો હતો, એક વખત અંગ્રેજીમાં અને એક વાર હિન્દીમાં, થોડી મિનિટોના અંતરે. મને તો બીજીવાર ગુજરાતીમાં આવ્યો છે કારણ કે હું ગુજરાતી છું. આ સંદેશ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (CBS) દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે એક ટેક્નોલોજી છે જે મોબાઇલ ઓપરેટરોને ફોન ચાલુ હોય તે મોબાઇલ નેટવર્કને ધ્યાનમાં લીધા વગર ચોક્કસ વિસ્તારમાં તમામ ફોન પર ટેક્સ્ટ સંદેશ મોકલવાની મંજૂરી આપે છે. આ તેને કટોકટી ચેતવણીઓ મોકલવા માટે એક આદર્શ તકનીક માનવામાં આવે છે.


સમયાંતરે કરવામાં આવશે આવા પરિક્ષણ 

એનડીએમઓએ સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણો હાથ ધરે છે કે એલર્ટ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને તેનો ઉપયોગ વાસ્તવિક કટોકટીની સ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે થઈ શકે છે. આવા અખતરાથી સિસ્ટમમાં સુધારો કરવો કે નહીં તેની જાણ ઉપર સુધી થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (DoT CBS)એ જાહેરાત કરી છે કે તેઓ વિવિધ પ્રદેશોમાં સમયાંતરે સમાન પરીક્ષણો હાથ ધરવાની યોજના ધરાવે છે. ટૂંકમાં આવો અલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, કારણ કે તે માત્ર પરીક્ષણો છે. જેમાં લખવામાં પણ આવ્યું છે કે એ એક પરીક્ષણ માટેનો જ સંદેશ છે. તમે ઓકેનું બટન કે બીજુ કોઈ બટન દબાવ્યું હશે તો આ રિંગ બંધ થઈ ગઈ હશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.