શું તમારા ફોનમાં પણ Alertનો Alarm વાગ્યો? કુદરતી આફત વખતે હવેથી કરાશે આ સિસ્ટમનો ઉપયોગ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 15:02:01

આજે તમારા બધાના ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે. દેશભરના ફોન આજે રણક્યા હશે કારણ કે આજે સરકાર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેસેજના માધ્યમથી ભારત સરકાર ઈમરજન્સી એલર્ટનું પરિક્ષણ કરી રહી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ અલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. તો એનો જવાબ છે કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. 

ફોનમાં ઈમર્જન્સી એલર્ટ મેસેજ આવ્યો હશે 

તમારો મોબાઈલ કોઈ પણ માધ્યમ પર કામ કરતો હોય. ચાહે તમારો ફોન એન્ડ્રોઈડ હોય, ચાહે તમારો ફોન આઈફોન હોય કે બ્લેકબેરી હોય. બધા જ લોકોના ફોન આજે રણક્યા છે. તમારા ફોનમાં પણ ઈમર્જન્સી અલર્ટ એક્સટ્રીમ એવું લખાયેલું આવ્યું હશે અને ફોન વાગ્યો હશે. આ એક પ્રકારની ચેતવણીની સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ અલર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્મયુનિકેશન વિભાગના કારણે આવી છે. તેમના દ્વારા એક પરિક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે આ એલર્ટ વાગી છે. પણ આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય શું હોય શકે એવો પણ મનમાં સવાલ થાય. 


આપાત્કાલીન પરિસ્થિતિ વખતે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે 

આ કરવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ આવી જાય ત્યારે લોકોને સજાગ કરવા માટે આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તમને યાદ હોય તો એક હોલિવુડ ફિલ્મ આવી હતી જેમાં પૃથ્વીનો વિનાશ થઈ જાય છે. આ પિક્ચરમાં ધરતીકંપ આવે છે,. જ્વાળામુખી ફાટે છે, અને સુનામીના કારણે 50 કે સો માળ જેટલી બિલ્ડિંગ જેટલા ઉંચા મોજા આવે છે. જ્યારે આવી કોઈ આપાતકાલિન સ્થિતિ આવવાની હોય તેના પહેલા લોકોને સજાગ કરવા જરૂરી હોય છે. અને અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આવી પરિસ્થિતિની જાણ કરવા માટે જ સેલ બ્રોડકાસ્ટ અલર્ટ સિસ્ટમ મેસેજ આપવામાં આવ્યો છે. 



'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ' કેવી રીતે કામ કરે છે?

ઓગસ્ટથી, સરકાર તમામ જગ્યાઓ પર નવી સુવિધાનું પરીક્ષણ કરવા માટે તબક્કાવાર ચેતવણીઓ મોકલી રહી છે. તાજેતરમાં, સરકારે દેશભરના ઘણા ફોન પર પરીક્ષણ ચેતવણી મોકલી છે. એન્ડ્રોઇડ અને iOS બંને પર મોબાઇલ ફોન પર એક સંદેશ ફ્લેશ થયો હતો અને ખૂબ જ જોરથી ઇમરજન્સી ટોન પણ સેટ થઈ ગયો હતો. સંદેશ બે વાર મોકલવામાં આવ્યો હતો, એક વખત અંગ્રેજીમાં અને એક વાર હિન્દીમાં, થોડી મિનિટોના અંતરે. મને તો બીજીવાર ગુજરાતીમાં આવ્યો છે કારણ કે હું ગુજરાતી છું. આ સંદેશ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (CBS) દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે એક ટેક્નોલોજી છે જે મોબાઇલ ઓપરેટરોને ફોન ચાલુ હોય તે મોબાઇલ નેટવર્કને ધ્યાનમાં લીધા વગર ચોક્કસ વિસ્તારમાં તમામ ફોન પર ટેક્સ્ટ સંદેશ મોકલવાની મંજૂરી આપે છે. આ તેને કટોકટી ચેતવણીઓ મોકલવા માટે એક આદર્શ તકનીક માનવામાં આવે છે.


સમયાંતરે કરવામાં આવશે આવા પરિક્ષણ 

એનડીએમઓએ સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણો હાથ ધરે છે કે એલર્ટ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને તેનો ઉપયોગ વાસ્તવિક કટોકટીની સ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે થઈ શકે છે. આવા અખતરાથી સિસ્ટમમાં સુધારો કરવો કે નહીં તેની જાણ ઉપર સુધી થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ (DoT CBS)એ જાહેરાત કરી છે કે તેઓ વિવિધ પ્રદેશોમાં સમયાંતરે સમાન પરીક્ષણો હાથ ધરવાની યોજના ધરાવે છે. ટૂંકમાં આવો અલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, કારણ કે તે માત્ર પરીક્ષણો છે. જેમાં લખવામાં પણ આવ્યું છે કે એ એક પરીક્ષણ માટેનો જ સંદેશ છે. તમે ઓકેનું બટન કે બીજુ કોઈ બટન દબાવ્યું હશે તો આ રિંગ બંધ થઈ ગઈ હશે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.