જ્ઞાન સહાયકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસે કહ્યું, “દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે”


  • Published By :
  • Published Date : 2023-09-05 17:50:15

આજે શિક્ષક દિવસ હોવાના કારણે ટેટ ટાટના બેરોજગાર શિક્ષકો અને જ્ઞાન સહાયક સામે વિરોધ નોંધાવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના હોદ્દોદારોને આવેદન આપવા પહોંચ્યા હતાં. તેમને પહેલાથી ખબર હતી કે ગુજરાત પોલીસ તેમને આવેદન આપવા માટે પરવાનગી નહીં આપે કારણ કે વિદ્યાર્થીઓ અગાઉ આવેદન માટેની પરવાનગી માગવાના અખતરા કરી ચૂક્યા છે પરંતુ પોલીસે મનાહી જ કરી છે. આ વખતે પણ હર વખતે થાય છે એવું થયું, વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા પરંતુ પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 


શિક્ષક દિવસે જ શિક્ષકોને ગાંધીનગરના રસ્તા પર ઢસડ્યાં

ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આટલા વર્ષો અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી માટે મહેનત નહોતી કરી. સામેની બાજુ સરકાર પ્રયાસ કરી રહી છે કે ચાર પાંચ વર્ષનો શિક્ષકોની ઘટનો ખાડો છે એ પૂરી શકાય કારણ કે 2017 પછી શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. પોતાની માગણીઓ સાથે અગાઉની જેમ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ તેમને રોકી લેવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો જેના કારણે ભર બપોરે માહોલ વધારે ગરમાઈ ગયો હતો. ઘર્ષણમાં શિક્ષક દિવસના રોજ જ જ્ઞાનના દેવી સરસ્વતી માતાની પ્રતિમા તૂટી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે એક વીડિયો વાયરલ થયો જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવી રહી છે. પોલીસ વિદ્યાર્થીઓને ડબ્બામાં પૂરતા આંગળી ચીંધીને કહી રહી છે કે, "દર વખતે તમને સમજાવીએ છીએને, આ વખતે ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે." 

 

ગુજરાત પોલીસને સાધારણ શિક્ષકને ધમકાવવા કરતા એટલી શક્તિ એ બુટલેગરો પર વાપરવી જોઈએ જે ગાંધીના દારુ મુક્ત ગુજરાતને ઘરે બાટલી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. એ ચોર પર શક્તિ વાપરવી જોઈએ જે ચોરી કરીને ભાગી જાય છે અને પોલીસ તેમને શોધતી જ રહી જાય છે. એ બાળ તસ્કરી કરતા લોકો સામે શક્તિ વાપરવી જોઈએ જે નાના-નાના બાળકોના હાથપગ ભાંગીને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવે છે. શિક્ષકો શાંત હોય છે એટલા તેમની સામે રૌફ જમાવી શકાય છે. ખુંખાર ગુનેગારો સામે રૌફ જમાવે તો પોલીસની વર્દીને શોભે. ભારતના બંધારણમાં શાંતિથી ભેગા થઈને વિરોધ કરવાની છૂટ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પોલીસ પાસે રેલી કરવાની પરવાનગી કરવા જાય છે તો તેમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અંતે પોતાની વ્યથા રજૂ કરવા વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો તેમને રસ્તાઓ પર ઢસડી ઢસડીને ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેવામાં આવે છે. જો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાની માગ રજૂ કરી રહ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.