જ્ઞાન સહાયકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસે કહ્યું, “દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે”


  • Published By :
  • Published Date : 2023-09-05 17:50:15

આજે શિક્ષક દિવસ હોવાના કારણે ટેટ ટાટના બેરોજગાર શિક્ષકો અને જ્ઞાન સહાયક સામે વિરોધ નોંધાવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના હોદ્દોદારોને આવેદન આપવા પહોંચ્યા હતાં. તેમને પહેલાથી ખબર હતી કે ગુજરાત પોલીસ તેમને આવેદન આપવા માટે પરવાનગી નહીં આપે કારણ કે વિદ્યાર્થીઓ અગાઉ આવેદન માટેની પરવાનગી માગવાના અખતરા કરી ચૂક્યા છે પરંતુ પોલીસે મનાહી જ કરી છે. આ વખતે પણ હર વખતે થાય છે એવું થયું, વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા પરંતુ પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 


શિક્ષક દિવસે જ શિક્ષકોને ગાંધીનગરના રસ્તા પર ઢસડ્યાં

ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આટલા વર્ષો અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી માટે મહેનત નહોતી કરી. સામેની બાજુ સરકાર પ્રયાસ કરી રહી છે કે ચાર પાંચ વર્ષનો શિક્ષકોની ઘટનો ખાડો છે એ પૂરી શકાય કારણ કે 2017 પછી શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. પોતાની માગણીઓ સાથે અગાઉની જેમ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ તેમને રોકી લેવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો જેના કારણે ભર બપોરે માહોલ વધારે ગરમાઈ ગયો હતો. ઘર્ષણમાં શિક્ષક દિવસના રોજ જ જ્ઞાનના દેવી સરસ્વતી માતાની પ્રતિમા તૂટી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે એક વીડિયો વાયરલ થયો જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવી રહી છે. પોલીસ વિદ્યાર્થીઓને ડબ્બામાં પૂરતા આંગળી ચીંધીને કહી રહી છે કે, "દર વખતે તમને સમજાવીએ છીએને, આ વખતે ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે." 

 

ગુજરાત પોલીસને સાધારણ શિક્ષકને ધમકાવવા કરતા એટલી શક્તિ એ બુટલેગરો પર વાપરવી જોઈએ જે ગાંધીના દારુ મુક્ત ગુજરાતને ઘરે બાટલી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. એ ચોર પર શક્તિ વાપરવી જોઈએ જે ચોરી કરીને ભાગી જાય છે અને પોલીસ તેમને શોધતી જ રહી જાય છે. એ બાળ તસ્કરી કરતા લોકો સામે શક્તિ વાપરવી જોઈએ જે નાના-નાના બાળકોના હાથપગ ભાંગીને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવે છે. શિક્ષકો શાંત હોય છે એટલા તેમની સામે રૌફ જમાવી શકાય છે. ખુંખાર ગુનેગારો સામે રૌફ જમાવે તો પોલીસની વર્દીને શોભે. ભારતના બંધારણમાં શાંતિથી ભેગા થઈને વિરોધ કરવાની છૂટ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પોલીસ પાસે રેલી કરવાની પરવાનગી કરવા જાય છે તો તેમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અંતે પોતાની વ્યથા રજૂ કરવા વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો તેમને રસ્તાઓ પર ઢસડી ઢસડીને ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેવામાં આવે છે. જો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાની માગ રજૂ કરી રહ્યા છે.  



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.