જ્ઞાન સહાયકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસે કહ્યું, “દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે”


  • Published By :
  • Published Date : 2023-09-05 17:50:15

આજે શિક્ષક દિવસ હોવાના કારણે ટેટ ટાટના બેરોજગાર શિક્ષકો અને જ્ઞાન સહાયક સામે વિરોધ નોંધાવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના હોદ્દોદારોને આવેદન આપવા પહોંચ્યા હતાં. તેમને પહેલાથી ખબર હતી કે ગુજરાત પોલીસ તેમને આવેદન આપવા માટે પરવાનગી નહીં આપે કારણ કે વિદ્યાર્થીઓ અગાઉ આવેદન માટેની પરવાનગી માગવાના અખતરા કરી ચૂક્યા છે પરંતુ પોલીસે મનાહી જ કરી છે. આ વખતે પણ હર વખતે થાય છે એવું થયું, વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા પરંતુ પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 


શિક્ષક દિવસે જ શિક્ષકોને ગાંધીનગરના રસ્તા પર ઢસડ્યાં

ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આટલા વર્ષો અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી માટે મહેનત નહોતી કરી. સામેની બાજુ સરકાર પ્રયાસ કરી રહી છે કે ચાર પાંચ વર્ષનો શિક્ષકોની ઘટનો ખાડો છે એ પૂરી શકાય કારણ કે 2017 પછી શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. પોતાની માગણીઓ સાથે અગાઉની જેમ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ તેમને રોકી લેવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો જેના કારણે ભર બપોરે માહોલ વધારે ગરમાઈ ગયો હતો. ઘર્ષણમાં શિક્ષક દિવસના રોજ જ જ્ઞાનના દેવી સરસ્વતી માતાની પ્રતિમા તૂટી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે એક વીડિયો વાયરલ થયો જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવી રહી છે. પોલીસ વિદ્યાર્થીઓને ડબ્બામાં પૂરતા આંગળી ચીંધીને કહી રહી છે કે, "દર વખતે તમને સમજાવીએ છીએને, આ વખતે ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે." 

 

ગુજરાત પોલીસને સાધારણ શિક્ષકને ધમકાવવા કરતા એટલી શક્તિ એ બુટલેગરો પર વાપરવી જોઈએ જે ગાંધીના દારુ મુક્ત ગુજરાતને ઘરે બાટલી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. એ ચોર પર શક્તિ વાપરવી જોઈએ જે ચોરી કરીને ભાગી જાય છે અને પોલીસ તેમને શોધતી જ રહી જાય છે. એ બાળ તસ્કરી કરતા લોકો સામે શક્તિ વાપરવી જોઈએ જે નાના-નાના બાળકોના હાથપગ ભાંગીને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવે છે. શિક્ષકો શાંત હોય છે એટલા તેમની સામે રૌફ જમાવી શકાય છે. ખુંખાર ગુનેગારો સામે રૌફ જમાવે તો પોલીસની વર્દીને શોભે. ભારતના બંધારણમાં શાંતિથી ભેગા થઈને વિરોધ કરવાની છૂટ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પોલીસ પાસે રેલી કરવાની પરવાનગી કરવા જાય છે તો તેમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અંતે પોતાની વ્યથા રજૂ કરવા વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો તેમને રસ્તાઓ પર ઢસડી ઢસડીને ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેવામાં આવે છે. જો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાની માગ રજૂ કરી રહ્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.