જ્ઞાન સહાયકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસે કહ્યું, “દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે”


  • Published By :
  • Published Date : 2023-09-05 17:50:15

આજે શિક્ષક દિવસ હોવાના કારણે ટેટ ટાટના બેરોજગાર શિક્ષકો અને જ્ઞાન સહાયક સામે વિરોધ નોંધાવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના હોદ્દોદારોને આવેદન આપવા પહોંચ્યા હતાં. તેમને પહેલાથી ખબર હતી કે ગુજરાત પોલીસ તેમને આવેદન આપવા માટે પરવાનગી નહીં આપે કારણ કે વિદ્યાર્થીઓ અગાઉ આવેદન માટેની પરવાનગી માગવાના અખતરા કરી ચૂક્યા છે પરંતુ પોલીસે મનાહી જ કરી છે. આ વખતે પણ હર વખતે થાય છે એવું થયું, વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા પરંતુ પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 


શિક્ષક દિવસે જ શિક્ષકોને ગાંધીનગરના રસ્તા પર ઢસડ્યાં

ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આટલા વર્ષો અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી માટે મહેનત નહોતી કરી. સામેની બાજુ સરકાર પ્રયાસ કરી રહી છે કે ચાર પાંચ વર્ષનો શિક્ષકોની ઘટનો ખાડો છે એ પૂરી શકાય કારણ કે 2017 પછી શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. પોતાની માગણીઓ સાથે અગાઉની જેમ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ તેમને રોકી લેવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો જેના કારણે ભર બપોરે માહોલ વધારે ગરમાઈ ગયો હતો. ઘર્ષણમાં શિક્ષક દિવસના રોજ જ જ્ઞાનના દેવી સરસ્વતી માતાની પ્રતિમા તૂટી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે એક વીડિયો વાયરલ થયો જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવી રહી છે. પોલીસ વિદ્યાર્થીઓને ડબ્બામાં પૂરતા આંગળી ચીંધીને કહી રહી છે કે, "દર વખતે તમને સમજાવીએ છીએને, આ વખતે ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે." 

 

ગુજરાત પોલીસને સાધારણ શિક્ષકને ધમકાવવા કરતા એટલી શક્તિ એ બુટલેગરો પર વાપરવી જોઈએ જે ગાંધીના દારુ મુક્ત ગુજરાતને ઘરે બાટલી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. એ ચોર પર શક્તિ વાપરવી જોઈએ જે ચોરી કરીને ભાગી જાય છે અને પોલીસ તેમને શોધતી જ રહી જાય છે. એ બાળ તસ્કરી કરતા લોકો સામે શક્તિ વાપરવી જોઈએ જે નાના-નાના બાળકોના હાથપગ ભાંગીને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવે છે. શિક્ષકો શાંત હોય છે એટલા તેમની સામે રૌફ જમાવી શકાય છે. ખુંખાર ગુનેગારો સામે રૌફ જમાવે તો પોલીસની વર્દીને શોભે. ભારતના બંધારણમાં શાંતિથી ભેગા થઈને વિરોધ કરવાની છૂટ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પોલીસ પાસે રેલી કરવાની પરવાનગી કરવા જાય છે તો તેમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અંતે પોતાની વ્યથા રજૂ કરવા વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો તેમને રસ્તાઓ પર ઢસડી ઢસડીને ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેવામાં આવે છે. જો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાની માગ રજૂ કરી રહ્યા છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.