શું મુદ્દાઓને મજબૂતાઈથી પકડવામાં વિપક્ષ નિષ્ફળ? વિપક્ષ બહાનાબાજીમાંથી બહાર નથી આવતો, જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો...


  • Published By :
  • Published Date : 2024-06-01 15:18:24

રાજનીતિ માટે એવું કહેવામાં આવે છે પક્ષ જેટલો મજબૂત હોવો જોઈએ તેટલો જ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હશે તો સત્તાધારી પક્ષ પર પ્રેશર આવશે, કામ કરશે વગેરે વગેરે.. લોકો પોતાનો અવાજ વિપક્ષમાં શોધે છે.. મતદારને એવું હોય છે તે સ્થાનિક મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે પરંતુ મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે... જેમ સરકારનું કાર્ય છે ચૂંટણી જીતી જાય તે પછી વ્યવસ્થાને સારી રીતે ચલાવવી.. સરકારમાં જેટલું યોગદાન સત્તાધારી પક્ષનું હોય છે તેટલું યોગદાન વિપક્ષનું પણ હોય છે.. પરંતુ વિપક્ષ અવાજ ઉઠાવવામાં પાછો પડ્યો છે.

જ્યારે ભાજપ વિપક્ષની ભૂમિકામાં હતો..  

ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેવી ભૂમિકા વિપક્ષ તરીકે ભાજપે નિભાવી છે તે આપણે જોયો છે.. નિર્ભયા કેસમાં ભાજપે શું ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ.. ગામડાના માણસને પણ લાગ્યું કે તેનું બોલવું જરૂરી છે.. તે રસ્તા પર ઉતરયો ન્યાયની માગ સાથે.. ભાજપ લોકોમાં એ ચેતના જગાવી શકી હતી.. ભાજપ વાળા કેવી રીતે લડવું તે જાણતા હતા પરંતુ ગુજરાતના વિપક્ષને કદાચ તે ખબર નથી કે કેવી રીતે આ મામલે લડવું જોઈએ.. લોકો માટે વિપક્ષ માને છે કે તે વોટ અમને આપતી નથી જ્યારે સત્તા ધારી પક્ષ માને છે કે તે બોલતો નથી..


સત્તાધારી પક્ષને તો સવાલ થવો જોઈએ પરંતુ...  

વિપક્ષની જવાબદારી છે તે બોલે.. જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એક પણ એવા વિપક્ષી નેતાઓ રસ્તા પર નથી ઉતર્યા માગની સાથે. જો ભારતીય જનતા પાર્ટી હમણાં વિપક્ષમાં હોત તો તે સરકારના નાકે દમ લાવી દેતા... ન્યાય અપાવીને રહેતા... વિપક્ષને પણ ગુજરાત શોધે છે.. સત્તાને સવાલ તો કરવો જોઈએ, કરીએ છીએ પરંતુ સવાલ વિપક્ષને પણ કરવો જોઈએ.. વિપક્ષના એક પણ નેતા સામે નથી આવ્યા જે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય.. એવું કોઈએ નથી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ.. એ કરવા વાળો વિપક્ષ ગાયબ થઈ ગયો છે..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.