શું મુદ્દાઓને મજબૂતાઈથી પકડવામાં વિપક્ષ નિષ્ફળ? વિપક્ષ બહાનાબાજીમાંથી બહાર નથી આવતો, જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો...


  • Published By :
  • Published Date : 2024-06-01 15:18:24

રાજનીતિ માટે એવું કહેવામાં આવે છે પક્ષ જેટલો મજબૂત હોવો જોઈએ તેટલો જ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હશે તો સત્તાધારી પક્ષ પર પ્રેશર આવશે, કામ કરશે વગેરે વગેરે.. લોકો પોતાનો અવાજ વિપક્ષમાં શોધે છે.. મતદારને એવું હોય છે તે સ્થાનિક મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે પરંતુ મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે... જેમ સરકારનું કાર્ય છે ચૂંટણી જીતી જાય તે પછી વ્યવસ્થાને સારી રીતે ચલાવવી.. સરકારમાં જેટલું યોગદાન સત્તાધારી પક્ષનું હોય છે તેટલું યોગદાન વિપક્ષનું પણ હોય છે.. પરંતુ વિપક્ષ અવાજ ઉઠાવવામાં પાછો પડ્યો છે.

જ્યારે ભાજપ વિપક્ષની ભૂમિકામાં હતો..  

ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેવી ભૂમિકા વિપક્ષ તરીકે ભાજપે નિભાવી છે તે આપણે જોયો છે.. નિર્ભયા કેસમાં ભાજપે શું ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ.. ગામડાના માણસને પણ લાગ્યું કે તેનું બોલવું જરૂરી છે.. તે રસ્તા પર ઉતરયો ન્યાયની માગ સાથે.. ભાજપ લોકોમાં એ ચેતના જગાવી શકી હતી.. ભાજપ વાળા કેવી રીતે લડવું તે જાણતા હતા પરંતુ ગુજરાતના વિપક્ષને કદાચ તે ખબર નથી કે કેવી રીતે આ મામલે લડવું જોઈએ.. લોકો માટે વિપક્ષ માને છે કે તે વોટ અમને આપતી નથી જ્યારે સત્તા ધારી પક્ષ માને છે કે તે બોલતો નથી..


સત્તાધારી પક્ષને તો સવાલ થવો જોઈએ પરંતુ...  

વિપક્ષની જવાબદારી છે તે બોલે.. જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એક પણ એવા વિપક્ષી નેતાઓ રસ્તા પર નથી ઉતર્યા માગની સાથે. જો ભારતીય જનતા પાર્ટી હમણાં વિપક્ષમાં હોત તો તે સરકારના નાકે દમ લાવી દેતા... ન્યાય અપાવીને રહેતા... વિપક્ષને પણ ગુજરાત શોધે છે.. સત્તાને સવાલ તો કરવો જોઈએ, કરીએ છીએ પરંતુ સવાલ વિપક્ષને પણ કરવો જોઈએ.. વિપક્ષના એક પણ નેતા સામે નથી આવ્યા જે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય.. એવું કોઈએ નથી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ.. એ કરવા વાળો વિપક્ષ ગાયબ થઈ ગયો છે..  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.