શું મુદ્દાઓને મજબૂતાઈથી પકડવામાં વિપક્ષ નિષ્ફળ? વિપક્ષ બહાનાબાજીમાંથી બહાર નથી આવતો, જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો...


  • Published By :
  • Published Date : 2024-06-01 15:18:24

રાજનીતિ માટે એવું કહેવામાં આવે છે પક્ષ જેટલો મજબૂત હોવો જોઈએ તેટલો જ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હશે તો સત્તાધારી પક્ષ પર પ્રેશર આવશે, કામ કરશે વગેરે વગેરે.. લોકો પોતાનો અવાજ વિપક્ષમાં શોધે છે.. મતદારને એવું હોય છે તે સ્થાનિક મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે પરંતુ મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે... જેમ સરકારનું કાર્ય છે ચૂંટણી જીતી જાય તે પછી વ્યવસ્થાને સારી રીતે ચલાવવી.. સરકારમાં જેટલું યોગદાન સત્તાધારી પક્ષનું હોય છે તેટલું યોગદાન વિપક્ષનું પણ હોય છે.. પરંતુ વિપક્ષ અવાજ ઉઠાવવામાં પાછો પડ્યો છે.

જ્યારે ભાજપ વિપક્ષની ભૂમિકામાં હતો..  

ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેવી ભૂમિકા વિપક્ષ તરીકે ભાજપે નિભાવી છે તે આપણે જોયો છે.. નિર્ભયા કેસમાં ભાજપે શું ભૂમિકા ભજવી છે તે આપણે જાણીએ છીએ.. ગામડાના માણસને પણ લાગ્યું કે તેનું બોલવું જરૂરી છે.. તે રસ્તા પર ઉતરયો ન્યાયની માગ સાથે.. ભાજપ લોકોમાં એ ચેતના જગાવી શકી હતી.. ભાજપ વાળા કેવી રીતે લડવું તે જાણતા હતા પરંતુ ગુજરાતના વિપક્ષને કદાચ તે ખબર નથી કે કેવી રીતે આ મામલે લડવું જોઈએ.. લોકો માટે વિપક્ષ માને છે કે તે વોટ અમને આપતી નથી જ્યારે સત્તા ધારી પક્ષ માને છે કે તે બોલતો નથી..


સત્તાધારી પક્ષને તો સવાલ થવો જોઈએ પરંતુ...  

વિપક્ષની જવાબદારી છે તે બોલે.. જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે એક પણ એવા વિપક્ષી નેતાઓ રસ્તા પર નથી ઉતર્યા માગની સાથે. જો ભારતીય જનતા પાર્ટી હમણાં વિપક્ષમાં હોત તો તે સરકારના નાકે દમ લાવી દેતા... ન્યાય અપાવીને રહેતા... વિપક્ષને પણ ગુજરાત શોધે છે.. સત્તાને સવાલ તો કરવો જોઈએ, કરીએ છીએ પરંતુ સવાલ વિપક્ષને પણ કરવો જોઈએ.. વિપક્ષના એક પણ નેતા સામે નથી આવ્યા જે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય.. એવું કોઈએ નથી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ.. એ કરવા વાળો વિપક્ષ ગાયબ થઈ ગયો છે..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.