શું તમને પણ આ વખતે ફટાકડા મોંઘા લાગ્યા ?, તો અમે જાણી લાવ્યા કે ફટાકડા કેમ મોંઘા થયા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:16:10


દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 50 થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 થી 70 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


ફટકડાનો ભાવ વધવાના કારણો !!!!!


 અમે જ્યારે માર્કેટમાં ગયા તો અમે સતત એવું સાંભળી રહ્યા હતા કે ફટકડાનો ભાવ આસમાને છે . તો અમે અંબિકા આશિષ  ફટાકડાના ઓનર આશિષ ભાઈને મળ્યા અને જાણવાના પ્રયત્ન કર્યા કે આ વખતે ફટકડાના ભાવ કેમ વધ્યા છે અને તેના કારણો શું છે ?

તો આશિષ ભાઈ એ કહ્યું "આ વર્ષ ફટાકડાના ભાવ માં 50 થી 70 ટકા વધારો થયો છે અને તેની પાછળનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં વધારો થયો છે જેના કારણએ આ વર્ષ પ્રોડક્શન ઓછું થયું છે " અને આજ મુખ્ય કારણ છે ફાટકડાના ભાવમાં વધારો !!!!



આ વર્ષ કયા ફટાકડાની ધૂમ ???


આ વર્ષ સૌથી વધાર બાળકોના ફટાકડાનું ચલણ છે . અને એના સિવાય આસમાની આતિશ બાજી સૌથી વધુ વેચાય છે લોકોમાં આ વર્ષ દિવાળીને લઈને ખૂબ  ખુશ છે કેમ છે છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે ધુમધામથી દિવાળી મનાવી શક્યા ન હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .