શું તમને પણ આ વખતે ફટાકડા મોંઘા લાગ્યા ?, તો અમે જાણી લાવ્યા કે ફટાકડા કેમ મોંઘા થયા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:16:10


દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 50 થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 થી 70 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


ફટકડાનો ભાવ વધવાના કારણો !!!!!


 અમે જ્યારે માર્કેટમાં ગયા તો અમે સતત એવું સાંભળી રહ્યા હતા કે ફટકડાનો ભાવ આસમાને છે . તો અમે અંબિકા આશિષ  ફટાકડાના ઓનર આશિષ ભાઈને મળ્યા અને જાણવાના પ્રયત્ન કર્યા કે આ વખતે ફટકડાના ભાવ કેમ વધ્યા છે અને તેના કારણો શું છે ?

તો આશિષ ભાઈ એ કહ્યું "આ વર્ષ ફટાકડાના ભાવ માં 50 થી 70 ટકા વધારો થયો છે અને તેની પાછળનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં વધારો થયો છે જેના કારણએ આ વર્ષ પ્રોડક્શન ઓછું થયું છે " અને આજ મુખ્ય કારણ છે ફાટકડાના ભાવમાં વધારો !!!!



આ વર્ષ કયા ફટાકડાની ધૂમ ???


આ વર્ષ સૌથી વધાર બાળકોના ફટાકડાનું ચલણ છે . અને એના સિવાય આસમાની આતિશ બાજી સૌથી વધુ વેચાય છે લોકોમાં આ વર્ષ દિવાળીને લઈને ખૂબ  ખુશ છે કેમ છે છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે ધુમધામથી દિવાળી મનાવી શક્યા ન હતા. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.