શું તમે જાણો માર્ચના ત્રીજા શુક્રવારે ઉજવાય છે વર્લ્ડ સ્લીપ ડે? શા માટે ઉજવાય છે આ દિવસ?


  • Published By :
  • Published Date : 2023-03-17 14:39:38

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ ફોટોગ્રાફર્સ ડે સહિત અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. માર્ચના ત્રીજા શુક્રવારે આ દિવસ વિશ્વ ભરમાં મનાવવામાં આવે છે. લોકોને સારા ઉંઘના મહત્વની ખબર પડે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. સારું આરોગ્ય રહે તે માટે ઉંઘ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે લોકો ઉંઘના મહત્વને સમજે તે માટે આ દિવસ ઉજવાય છે. 

World Sleep Day 2023: Date, Theme, Significance, and Why IS It Celebrated  on 17 March Every Year? Check Important Details Here

ઉંઘ પૂરતી ન હોવાને કારણે થાય છે અનેક બિમારી 

2008થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે કમિટીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરેક વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ના થીમની વાત કરીએ તો ઉંઘ સારા આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉંઘ ન હોવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. 


ઉંઘનું મહત્વ સમજાવવા ઉજવાય છે આ દિવસ 

એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં આપણા વડીલો વહેલા સૂઈ જતા હતા જેને કારણે તેમનું આરોગ્ય સારુ રહેતું હતું. પહેલા લોકો આરોગ્યવર્ધક જમવાનું ખાતા હતા પરંતુ આજકાલના લોકો ફાસ્ટ ફૂડ ખઈ રહ્યા છે. મોડા સુધી જાગવું તેમજ મોડા સુધી ઉંઘવું લોકો માટે સામાન્ય બની ગયું છે. લોકો અનિંદ્રાનો શિકાર બની રહ્યા છે. ત્યારે લોકો સારા ઉંઘનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .