શું તમે જાણો માર્ચના ત્રીજા શુક્રવારે ઉજવાય છે વર્લ્ડ સ્લીપ ડે? શા માટે ઉજવાય છે આ દિવસ?


  • Published By :
  • Published Date : 2023-03-17 14:39:38

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ ફોટોગ્રાફર્સ ડે સહિત અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. માર્ચના ત્રીજા શુક્રવારે આ દિવસ વિશ્વ ભરમાં મનાવવામાં આવે છે. લોકોને સારા ઉંઘના મહત્વની ખબર પડે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. સારું આરોગ્ય રહે તે માટે ઉંઘ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે લોકો ઉંઘના મહત્વને સમજે તે માટે આ દિવસ ઉજવાય છે. 

World Sleep Day 2023: Date, Theme, Significance, and Why IS It Celebrated  on 17 March Every Year? Check Important Details Here

ઉંઘ પૂરતી ન હોવાને કારણે થાય છે અનેક બિમારી 

2008થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે કમિટીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરેક વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ના થીમની વાત કરીએ તો ઉંઘ સારા આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉંઘ ન હોવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. 


ઉંઘનું મહત્વ સમજાવવા ઉજવાય છે આ દિવસ 

એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં આપણા વડીલો વહેલા સૂઈ જતા હતા જેને કારણે તેમનું આરોગ્ય સારુ રહેતું હતું. પહેલા લોકો આરોગ્યવર્ધક જમવાનું ખાતા હતા પરંતુ આજકાલના લોકો ફાસ્ટ ફૂડ ખઈ રહ્યા છે. મોડા સુધી જાગવું તેમજ મોડા સુધી ઉંઘવું લોકો માટે સામાન્ય બની ગયું છે. લોકો અનિંદ્રાનો શિકાર બની રહ્યા છે. ત્યારે લોકો સારા ઉંઘનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.    



ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.