શું તમે જાણો માર્ચના ત્રીજા શુક્રવારે ઉજવાય છે વર્લ્ડ સ્લીપ ડે? શા માટે ઉજવાય છે આ દિવસ?


  • Published By :
  • Published Date : 2023-03-17 14:39:38

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ ફોટોગ્રાફર્સ ડે સહિત અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. માર્ચના ત્રીજા શુક્રવારે આ દિવસ વિશ્વ ભરમાં મનાવવામાં આવે છે. લોકોને સારા ઉંઘના મહત્વની ખબર પડે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. સારું આરોગ્ય રહે તે માટે ઉંઘ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે લોકો ઉંઘના મહત્વને સમજે તે માટે આ દિવસ ઉજવાય છે. 

World Sleep Day 2023: Date, Theme, Significance, and Why IS It Celebrated  on 17 March Every Year? Check Important Details Here

ઉંઘ પૂરતી ન હોવાને કારણે થાય છે અનેક બિમારી 

2008થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે કમિટીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરેક વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ના થીમની વાત કરીએ તો ઉંઘ સારા આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉંઘ ન હોવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. 


ઉંઘનું મહત્વ સમજાવવા ઉજવાય છે આ દિવસ 

એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં આપણા વડીલો વહેલા સૂઈ જતા હતા જેને કારણે તેમનું આરોગ્ય સારુ રહેતું હતું. પહેલા લોકો આરોગ્યવર્ધક જમવાનું ખાતા હતા પરંતુ આજકાલના લોકો ફાસ્ટ ફૂડ ખઈ રહ્યા છે. મોડા સુધી જાગવું તેમજ મોડા સુધી ઉંઘવું લોકો માટે સામાન્ય બની ગયું છે. લોકો અનિંદ્રાનો શિકાર બની રહ્યા છે. ત્યારે લોકો સારા ઉંઘનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.    



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.