શું તમે જાણો માર્ચના ત્રીજા શુક્રવારે ઉજવાય છે વર્લ્ડ સ્લીપ ડે? શા માટે ઉજવાય છે આ દિવસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 14:39:38

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ ફોટોગ્રાફર્સ ડે સહિત અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. માર્ચના ત્રીજા શુક્રવારે આ દિવસ વિશ્વ ભરમાં મનાવવામાં આવે છે. લોકોને સારા ઉંઘના મહત્વની ખબર પડે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. સારું આરોગ્ય રહે તે માટે ઉંઘ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે લોકો ઉંઘના મહત્વને સમજે તે માટે આ દિવસ ઉજવાય છે. 

World Sleep Day 2023: Date, Theme, Significance, and Why IS It Celebrated  on 17 March Every Year? Check Important Details Here

ઉંઘ પૂરતી ન હોવાને કારણે થાય છે અનેક બિમારી 

2008થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે કમિટીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરેક વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ના થીમની વાત કરીએ તો ઉંઘ સારા આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉંઘ ન હોવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. 


ઉંઘનું મહત્વ સમજાવવા ઉજવાય છે આ દિવસ 

એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં આપણા વડીલો વહેલા સૂઈ જતા હતા જેને કારણે તેમનું આરોગ્ય સારુ રહેતું હતું. પહેલા લોકો આરોગ્યવર્ધક જમવાનું ખાતા હતા પરંતુ આજકાલના લોકો ફાસ્ટ ફૂડ ખઈ રહ્યા છે. મોડા સુધી જાગવું તેમજ મોડા સુધી ઉંઘવું લોકો માટે સામાન્ય બની ગયું છે. લોકો અનિંદ્રાનો શિકાર બની રહ્યા છે. ત્યારે લોકો સારા ઉંઘનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.    



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.