RBI દેશમાં લોન્ચ કરશે ડિઝીટલ કરન્સી, તેના લાભ અને ગેરલાભ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-28 18:11:47

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ  પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી.


ઈ-રૂપીનું મુલ્ય પેપર કરન્સી જેટલું જ


રિઝર્વ બેંક CBDCને એક ડિઝિટલ રૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ લિગલ ટેન્ડર તરીકે પરિભાષિત કરે છે. આ સોવરેન પેપર કરન્સીના સમાન જ છે, પરંતું તેનું એક અલગ સ્વરૂપ છે, ઈ-રૂપી એટલે કે ડિઝીટલ કરન્સીનું મુલ્ય પણ વર્તમાન કરન્સીની જેટલી જ છે. આ ડિઝીટલ કરન્સીને પણ ફિઝીકલ કરન્સીની જેમ જ સ્વિકારવામાં આવશે.  CBDC કેન્દ્રીય બેંકની બેલેન્સ સીટ પર લાયબિલિટીના સ્વરૂપમાં જોવા મળશે. 


ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નહીં પડે


ઈ-રૂપી આવી જવાથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, તે મોબાઈલ વોલેટની જેમ જ કામ  કરશે. તેને રાખવા માટે બેંક એકાઉન્ટની પણ જરૂર નહીં પડે. તેનાથી કેશલેસ પેમેન્ટ થઈ શકશે. તેનાથી રોકડ રૂપિયા રાખવાની કે તેને સાચવવાની ઝંઝટ નહીં રહે. રોકડ રૂપિયા છાપવાનો સરકારનો ખર્ચ બચશે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.


સરકાર શા માટે ડિઝીટલ કરન્સી લોન્ચ કરવા માગે છે?


ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માગ વધુ છે. જો કે આરબીઆઈ શરૂઆતથી જ  તેનો વિરોધ કરે છે. ક્રિપ્ટોકરન્સીના જવાબમાં જ ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી રહી છે. આરબીઆઈનું માનવું છે કે ઈ-રૂપી ડિઝીટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે, અને પેમેન્ટ સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ જોખમમુક્ત વર્ચ્યુઅલ કરન્સી સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.