RBI દેશમાં લોન્ચ કરશે ડિઝીટલ કરન્સી, તેના લાભ અને ગેરલાભ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-28 18:11:47

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ  પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી.


ઈ-રૂપીનું મુલ્ય પેપર કરન્સી જેટલું જ


રિઝર્વ બેંક CBDCને એક ડિઝિટલ રૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ લિગલ ટેન્ડર તરીકે પરિભાષિત કરે છે. આ સોવરેન પેપર કરન્સીના સમાન જ છે, પરંતું તેનું એક અલગ સ્વરૂપ છે, ઈ-રૂપી એટલે કે ડિઝીટલ કરન્સીનું મુલ્ય પણ વર્તમાન કરન્સીની જેટલી જ છે. આ ડિઝીટલ કરન્સીને પણ ફિઝીકલ કરન્સીની જેમ જ સ્વિકારવામાં આવશે.  CBDC કેન્દ્રીય બેંકની બેલેન્સ સીટ પર લાયબિલિટીના સ્વરૂપમાં જોવા મળશે. 


ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નહીં પડે


ઈ-રૂપી આવી જવાથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, તે મોબાઈલ વોલેટની જેમ જ કામ  કરશે. તેને રાખવા માટે બેંક એકાઉન્ટની પણ જરૂર નહીં પડે. તેનાથી કેશલેસ પેમેન્ટ થઈ શકશે. તેનાથી રોકડ રૂપિયા રાખવાની કે તેને સાચવવાની ઝંઝટ નહીં રહે. રોકડ રૂપિયા છાપવાનો સરકારનો ખર્ચ બચશે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.


સરકાર શા માટે ડિઝીટલ કરન્સી લોન્ચ કરવા માગે છે?


ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માગ વધુ છે. જો કે આરબીઆઈ શરૂઆતથી જ  તેનો વિરોધ કરે છે. ક્રિપ્ટોકરન્સીના જવાબમાં જ ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી રહી છે. આરબીઆઈનું માનવું છે કે ઈ-રૂપી ડિઝીટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે, અને પેમેન્ટ સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ જોખમમુક્ત વર્ચ્યુઅલ કરન્સી સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .