RBI દેશમાં લોન્ચ કરશે ડિઝીટલ કરન્સી, તેના લાભ અને ગેરલાભ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-28 18:11:47

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ  પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી.


ઈ-રૂપીનું મુલ્ય પેપર કરન્સી જેટલું જ


રિઝર્વ બેંક CBDCને એક ડિઝિટલ રૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ લિગલ ટેન્ડર તરીકે પરિભાષિત કરે છે. આ સોવરેન પેપર કરન્સીના સમાન જ છે, પરંતું તેનું એક અલગ સ્વરૂપ છે, ઈ-રૂપી એટલે કે ડિઝીટલ કરન્સીનું મુલ્ય પણ વર્તમાન કરન્સીની જેટલી જ છે. આ ડિઝીટલ કરન્સીને પણ ફિઝીકલ કરન્સીની જેમ જ સ્વિકારવામાં આવશે.  CBDC કેન્દ્રીય બેંકની બેલેન્સ સીટ પર લાયબિલિટીના સ્વરૂપમાં જોવા મળશે. 


ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નહીં પડે


ઈ-રૂપી આવી જવાથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, તે મોબાઈલ વોલેટની જેમ જ કામ  કરશે. તેને રાખવા માટે બેંક એકાઉન્ટની પણ જરૂર નહીં પડે. તેનાથી કેશલેસ પેમેન્ટ થઈ શકશે. તેનાથી રોકડ રૂપિયા રાખવાની કે તેને સાચવવાની ઝંઝટ નહીં રહે. રોકડ રૂપિયા છાપવાનો સરકારનો ખર્ચ બચશે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.


સરકાર શા માટે ડિઝીટલ કરન્સી લોન્ચ કરવા માગે છે?


ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માગ વધુ છે. જો કે આરબીઆઈ શરૂઆતથી જ  તેનો વિરોધ કરે છે. ક્રિપ્ટોકરન્સીના જવાબમાં જ ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી રહી છે. આરબીઆઈનું માનવું છે કે ઈ-રૂપી ડિઝીટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે, અને પેમેન્ટ સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ જોખમમુક્ત વર્ચ્યુઅલ કરન્સી સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરશે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.