Digital Payment: UPI સેવા હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ, PM મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2024-02-12 16:03:37

ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આધુનિક ડિજિટલ ટેક્નોલોજી સાથે ઐતિહાસિક સંબંધોને જોડતો બ્રિજ ગણાવ્યો હતો. આ ઓનલાઈન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથએ પણ ભાગ લીધો હતો. મોદીએ તેમની ટિપ્પણીમાં આશા વ્યક્ત કરી હતી કે નવી ફિનટેક સેવાઓ બંને દેશોને મદદ કરશે.


શું કહ્યું PM નરેન્દ્ર મોદીએ?


PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે UPI 'ભારત સાથેની ભાગીદારીને એકીકૃત કરવા માટે નવી જવાબદારીઓ' લાગુ કરી રહી છે. તેમણે કહ્યું, “આજનો દિવસ હિંદ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે ખાસ છે કારણ કે અમે અમારા ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી સાથે જોડી રહ્યા છીએ.” મોદીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે UPI સિસ્ટમ શ્રીલંકા અને મોરેશિયસને  લાભ થશે..'' વડા પ્રધાને કહ્યું હતું કે જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ પર ભારતનું ધ્યાન પણ રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે, “ભલે તે પ્રાકૃતિક આપત્તિ હોય, સ્વાસ્થ્ય સંબંધિત હોય, આર્થિક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ પર સહાયતા હોય, ભારતે સૌથી પહેલા મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારત ભવિષ્યમાં પણ આ ચાલુ રાખશે.” શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય સેવાઓની શરૂઆત બંને દેશો સાથે ભારતના વધતા દ્વિપક્ષીય આર્થિક સંબંધોની પૃષ્ઠભૂમિમાં થઈ છે.


ભારતીય પર્યટકોને થશે ફાયદો


આ સાથે જ  UPI સર્વિસ શ્રીલંકા અને મોરેશિયસ જતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા આ દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવેલ UPI એ મોબાઈલ ફોન દ્વારા આંતર-બેંક ટ્રાન્ઝેક્સનની સુવિધા માટે તાત્કાલિક રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. RuPay એ ભારતનું વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે જે સ્ટોર્સ, ATM અને ઑનલાઇન પર વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે.


આ દેશોમાં પણ એક્ટિવ છે UPI સર્વિસ


ભારતની યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (Unified Payment Interface) દુનિયાભરમાં પ્રખ્યાત છે. સિંગાપુર, યુએઈ, નેપાળ, ભૂતાન, અને ફ્રાંસમાં પણ યુપીઆઈ સર્વિસ પહેલાથી જ એક્ટિવ છે. આના કારણે આ દેશોના લોકોને તેમના દેશમાં અને તેઓ જ્યારે પણ ભારત આવશે ત્યારે તેમને પણ ફાયદો થશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.