DevBhoomi Dwarkaના વતની અને કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ બજાવતા દિલીપ સોલંકી થયા શહીદ, આજે કરાશે અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-09-28 17:04:59

દેશના લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શકે તે માટે દેશની સરહાદ પર સુરક્ષાબળો તૈનાત રહેતા હોય છે. દેશની સુરક્ષા માટે જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા. ત્યારે ગુજરાતે પોતાના બીજા વીર સપૂતને ગુમાવ્યો છે. ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ફરજ દરમિયાન શહીદ થતાં ભાણવડ પંથકમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.   


શહીદના નશ્વરદેહને માદરે વતન પરત ફર્યો

ગુજરાતનો વધુ એક વીર સપૂત શહીદીને ભેટ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદના વીરમહિપાલસિંહ શહીદ થયા હતા ત્યારે આજે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ભાણવડના ઝારેરા ગામમાં રહેતા દિલીપભાઈ સોલંકી સાત વર્ષ પહેલા ભારતીય લશ્કરમાં જોડાયા હતા. કોબ્રા કમાન્ડર તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા. 26 વર્ષના યુવાન દિલીપભાઈ સોલંકી ઓડિશામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું મોત થયું છે. મૃત્યુના સમાચાર મળતા ન માત્ર પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી પરંતુ આખા પંથકમાં માતમાં છવાઈ ગયો છે. શહીદના નશ્વર દેહને માદરે વતન લઈ આવવામાં આવ્યો છે અને આજે સાંજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

શહીદની સગાઈ થોડા મહિના પૂર્વે થઈ હતી. આવતા મહિને તેમના લગ્ન પણ યોજાવાના હતા પરંતુ તે પહેલા તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. અકાળે જવાનનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠ્યો છે. શહીદના માતા પિતાને એક તરફ દુખ પણ હશે કે નાની ઉંમરે તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો છે પરંતુ બીજી તરફ ગર્વ પણ હશે કે તે શહીદના માતા પિતા છે. અમદાવાદ એરપોર્ટ પર શહીદનો નશ્વરદેહ બપોરે આવી પહોંચ્યો હતો અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવશે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપતા આવા વીર સપૂતોને સો-સો સલામ છે. સુરક્ષાકર્મીઓ પોતાના ઘરવાળાઓથી દૂર રહી સરહદ પર ફરજ બજાવે છે તેના જ લીધે આપણે આપણા ઘરમાં પોતાના પરિવાર સાથે સુખીથી અને શાંતિથી રહી શકીએ છીએ. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .