DevBhoomi Dwarkaના વતની અને કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ બજાવતા દિલીપ સોલંકી થયા શહીદ, આજે કરાશે અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-09-28 17:04:59

દેશના લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શકે તે માટે દેશની સરહાદ પર સુરક્ષાબળો તૈનાત રહેતા હોય છે. દેશની સુરક્ષા માટે જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા. ત્યારે ગુજરાતે પોતાના બીજા વીર સપૂતને ગુમાવ્યો છે. ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ફરજ દરમિયાન શહીદ થતાં ભાણવડ પંથકમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.   


શહીદના નશ્વરદેહને માદરે વતન પરત ફર્યો

ગુજરાતનો વધુ એક વીર સપૂત શહીદીને ભેટ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદના વીરમહિપાલસિંહ શહીદ થયા હતા ત્યારે આજે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ભાણવડના ઝારેરા ગામમાં રહેતા દિલીપભાઈ સોલંકી સાત વર્ષ પહેલા ભારતીય લશ્કરમાં જોડાયા હતા. કોબ્રા કમાન્ડર તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા. 26 વર્ષના યુવાન દિલીપભાઈ સોલંકી ઓડિશામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું મોત થયું છે. મૃત્યુના સમાચાર મળતા ન માત્ર પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી પરંતુ આખા પંથકમાં માતમાં છવાઈ ગયો છે. શહીદના નશ્વર દેહને માદરે વતન લઈ આવવામાં આવ્યો છે અને આજે સાંજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પરિવારમાં છવાઈ શોકની લાગણી 

શહીદની સગાઈ થોડા મહિના પૂર્વે થઈ હતી. આવતા મહિને તેમના લગ્ન પણ યોજાવાના હતા પરંતુ તે પહેલા તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. અકાળે જવાનનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠ્યો છે. શહીદના માતા પિતાને એક તરફ દુખ પણ હશે કે નાની ઉંમરે તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો છે પરંતુ બીજી તરફ ગર્વ પણ હશે કે તે શહીદના માતા પિતા છે. અમદાવાદ એરપોર્ટ પર શહીદનો નશ્વરદેહ બપોરે આવી પહોંચ્યો હતો અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવશે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપતા આવા વીર સપૂતોને સો-સો સલામ છે. સુરક્ષાકર્મીઓ પોતાના ઘરવાળાઓથી દૂર રહી સરહદ પર ફરજ બજાવે છે તેના જ લીધે આપણે આપણા ઘરમાં પોતાના પરિવાર સાથે સુખીથી અને શાંતિથી રહી શકીએ છીએ. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.