સેક્સ એજ્યુકેશન મુદ્દે ડિમ્પલ યાદવે કર્યું નીતિશ કુમારનું સમર્થન, 'તેમણે જે કહ્યું એમાં કશું ખોટું નથી'


  • Published By :
  • Published Date : 2023-11-10 14:35:01

બિહાર વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર આપેલા નિવેદન બાદ સીએમ નીતિશ કુમાર વિવાદમાં ફસાયા છે. તેમણે આ મામલે માફી માંગી તો પણ તેમને વિરોધનો સામનો કરવો પડી છે. જોકે, સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે તેમના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે આમાં કંઈ ખોટું નથી. નીતિશ કુમાર સેક્સ એજ્યુકેશન પર બોલી રહ્યા હતા.


સેક્સ એજ્યુકેશન પર ચર્ચા થવી જોઈએ


સપા નેતા ડિમ્પલ યાદવ ગુરુવારે યુપીના ઝાંસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર સેક્સ એજ્યુકેશન પર બોલી રહ્યા હતા. સામાન્ય રીતે લોકો ખુલીને વાત કરતા નથી. નીતિશજીએ પોતાની રીતે વાત કરી છે. સેક્સ એજ્યુકેશન પર ખુલીને ચર્ચા થવી જોઈએ. ભારતની વસ્તી સતત વધી રહી છે. આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.


તેજસ્વી યાદવ અને પૂર્વ CM રાબડી દેવીએ પણ કર્યો બચાવ


નીતિશ કુમારના આ નિવેદન બાદ મહાગઠબંધનમાં નીતિશના સહયોગી આરજેડી તેમના બચાવમાં આવ્યા છે. નીતીશના નિવેદન પર ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સ્પષ્ટીકરણ આપ્યું છે. રાબડી દેવીએ કહ્યું, ભૂલથી તેમના મોંમાંથી તે નીકળી ગયું. તેમણે આ નિવેદન માટે ગૃહમાં માફી માંગી છે. વિપક્ષે ગૃહની કામગીરી કરવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે નીતીશને તેમના નિવેદન પર પસ્તાવો છે. તે ભૂલથી બોલ્યા હતા. આ પહેલા તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો. વિવાદ વધતાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિવેદનને અન્ય દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય નથી અને તેઓ માત્ર સેક્સ એજ્યુકેશનની વાત કરી રહ્યા હતા, જે શાળાઓમાં પણ ભણાવવામાં આવે છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.