બ્રેકિંગ! GPSCના પૂર્વ ચેરમેન ડૉ.દિનેશ દાસાની UPSC સભ્ય તરીકે નિમણૂક, જાણો કેવી રહી છે અત્યાર સુધીની તેમની સફર?


  • Published By :
  • Published Date : 2023-09-29 16:21:36

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. દિનેશ દાસાની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં નવી જવાબદારી સંભાળી છે. UPSCમાં ડૉ. દિનેશ દાસાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન્સ (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ  મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે.


ડૉ. દિનેશ દાસાએ ટ્વીટ કરી આપી જાણકારી


 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા ડૉ. દિનેશ દાસાએ તે અંગે ટ્વીટ કરતા કહ્યું કે "તમને જણાવતા હું સન્માનિત અને નમ્રતા અનુભવું છું કે માનનીય રાષ્ટ્રપતિએ મારી UPSC ના સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ તક GPSC નું નેતૃત્વ કરતી વખતે મેં કરેલા કાર્યનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તેમના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન આપ્યું. હું અતૂટ સમર્પણ અને પ્રામાણિકતા સાથે મારા પ્રિય રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહિત છું." UPSCના દરેક સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. ડૉ. મનોજ સોનીની અધ્યક્ષતામાં, આ કમિશનના સભ્ય તરીકે હાલમાં રાજીવ નયન ચૌબે, લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત), શ્રીમતી પ્રીતિ સુદાન, શ્રીમતી સુમન શર્મા અને બિદ્યુત બિહારી સ્વેન સેવા આપી રહ્યા છે.


કોણ છે દિનેશ દાસા?


ડૉ.દિનેશ દાસા દક્ષિણ ગુજરાતના નવસારીના વતની છે. દિનેશ દાસાએ વર્ષ 1991માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કેમ્પસમાં અસ્પી કોલેજ ઓફ ફોરેસ્ટ્રી એન્ટ હોર્ટિકલ્ચરમાં પ્રવેશ લીધો હતો.1992નું વર્ષ આવતાં-આવતાં તેઓને સમજાઈ ગયું હતું કે પોતે જે ભણે છે તે ફોરેસ્ટ્રીના આધારે કારકિર્દીમાં સ્થિર થવાની કોઈ શક્યતા જણાતી નથી. કેમકે તેઓને આસિ. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અથવા આર.એફ.ઓ બનવું હતું. જોકે સરકારે આ જગ્યાઓ માટે વર્ષ 1983માં છેલ્લે પરીક્ષા લીધી હતી પણ પછીના વર્ષામાં પરીક્ષા જ ન લીધી આથી ફોરેસ્ટ ઓફિસર બનવાનું સપનું અધુરું રહી ગયું હતું. જો કે બાદમાં તેમણે ગુજરાત સરકારના મોટા હોદ્દાઓ પર સેવા આપી હતી. જેમ કે  ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે વન કાયદો અને ટકાઉ વિકાસ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. 


માત્ર 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં આ પદ મેળવનાર દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન બન્યા હતા. 31 જાન્યુઆરી, 2022ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થતા નિવૃત્ત થયા હતા. તેમણે 1 ફેબ્રુઆરી, 2016 થી 31 જાન્યુઆરી, 2020 દરમ્યાન આયોગે કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી હતી. છ વર્ષના તેમના નેતૃત્વ હેઠળ GPSCએ લીધેલી એક પણ પરીક્ષામાં પેપર લિકની ઘટના બની ન હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.