બ્રેકિંગ! GPSCના પૂર્વ ચેરમેન ડૉ.દિનેશ દાસાની UPSC સભ્ય તરીકે નિમણૂક, જાણો કેવી રહી છે અત્યાર સુધીની તેમની સફર?


  • Published By :
  • Published Date : 2023-09-29 16:21:36

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. દિનેશ દાસાની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં નવી જવાબદારી સંભાળી છે. UPSCમાં ડૉ. દિનેશ દાસાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન્સ (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ  મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે.


ડૉ. દિનેશ દાસાએ ટ્વીટ કરી આપી જાણકારી


 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા ડૉ. દિનેશ દાસાએ તે અંગે ટ્વીટ કરતા કહ્યું કે "તમને જણાવતા હું સન્માનિત અને નમ્રતા અનુભવું છું કે માનનીય રાષ્ટ્રપતિએ મારી UPSC ના સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ તક GPSC નું નેતૃત્વ કરતી વખતે મેં કરેલા કાર્યનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તેમના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન આપ્યું. હું અતૂટ સમર્પણ અને પ્રામાણિકતા સાથે મારા પ્રિય રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહિત છું." UPSCના દરેક સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. ડૉ. મનોજ સોનીની અધ્યક્ષતામાં, આ કમિશનના સભ્ય તરીકે હાલમાં રાજીવ નયન ચૌબે, લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત), શ્રીમતી પ્રીતિ સુદાન, શ્રીમતી સુમન શર્મા અને બિદ્યુત બિહારી સ્વેન સેવા આપી રહ્યા છે.


કોણ છે દિનેશ દાસા?


ડૉ.દિનેશ દાસા દક્ષિણ ગુજરાતના નવસારીના વતની છે. દિનેશ દાસાએ વર્ષ 1991માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કેમ્પસમાં અસ્પી કોલેજ ઓફ ફોરેસ્ટ્રી એન્ટ હોર્ટિકલ્ચરમાં પ્રવેશ લીધો હતો.1992નું વર્ષ આવતાં-આવતાં તેઓને સમજાઈ ગયું હતું કે પોતે જે ભણે છે તે ફોરેસ્ટ્રીના આધારે કારકિર્દીમાં સ્થિર થવાની કોઈ શક્યતા જણાતી નથી. કેમકે તેઓને આસિ. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અથવા આર.એફ.ઓ બનવું હતું. જોકે સરકારે આ જગ્યાઓ માટે વર્ષ 1983માં છેલ્લે પરીક્ષા લીધી હતી પણ પછીના વર્ષામાં પરીક્ષા જ ન લીધી આથી ફોરેસ્ટ ઓફિસર બનવાનું સપનું અધુરું રહી ગયું હતું. જો કે બાદમાં તેમણે ગુજરાત સરકારના મોટા હોદ્દાઓ પર સેવા આપી હતી. જેમ કે  ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે વન કાયદો અને ટકાઉ વિકાસ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. 


માત્ર 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં આ પદ મેળવનાર દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન બન્યા હતા. 31 જાન્યુઆરી, 2022ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થતા નિવૃત્ત થયા હતા. તેમણે 1 ફેબ્રુઆરી, 2016 થી 31 જાન્યુઆરી, 2020 દરમ્યાન આયોગે કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી હતી. છ વર્ષના તેમના નેતૃત્વ હેઠળ GPSCએ લીધેલી એક પણ પરીક્ષામાં પેપર લિકની ઘટના બની ન હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.