દિનુ મામાએ બરોડા ડેરીમાં કરી વાપસી, ફરી બન્યા ડેરીના પ્રમુખ, કહ્યું 'ભાજપ તો દિલમાં જ હતું'


  • Published By :
  • Published Date : 2023-11-09 13:11:32

વિધાનસભાની ચૂંટણીમાં પાદરા બેઠક પર બળવો કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અપક્ષ ઉમેદવારી કરનાર બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા છે. ભાજપ તરફથી જ દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો અને અને પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. 


સતીષ પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું


બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે ગયા મહિનાના અંતમાં રાજીનામું આપતા દિનુમામાનો પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશું.  દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના પ્રમુખ બનતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે પણ નિર્ણયને આવકાર્યો હતો.    


દિનુમામાએ શું કહ્યું?


બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતું.


વિધાનસભાની ચૂંટણીમાં આપ્યું હતું રાજીનામું


વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. પાદરા વિધાનસભા બેઠક પરથી દિનુ મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જો કે હવે દિનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી