દિનુ મામાએ બરોડા ડેરીમાં કરી વાપસી, ફરી બન્યા ડેરીના પ્રમુખ, કહ્યું 'ભાજપ તો દિલમાં જ હતું'


  • Published By :
  • Published Date : 2023-11-09 13:11:32

વિધાનસભાની ચૂંટણીમાં પાદરા બેઠક પર બળવો કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અપક્ષ ઉમેદવારી કરનાર બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા છે. ભાજપ તરફથી જ દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો અને અને પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. 


સતીષ પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું


બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે ગયા મહિનાના અંતમાં રાજીનામું આપતા દિનુમામાનો પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશું.  દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના પ્રમુખ બનતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે પણ નિર્ણયને આવકાર્યો હતો.    


દિનુમામાએ શું કહ્યું?


બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતું.


વિધાનસભાની ચૂંટણીમાં આપ્યું હતું રાજીનામું


વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. પાદરા વિધાનસભા બેઠક પરથી દિનુ મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જો કે હવે દિનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.