દિનુ મામાએ બરોડા ડેરીમાં કરી વાપસી, ફરી બન્યા ડેરીના પ્રમુખ, કહ્યું 'ભાજપ તો દિલમાં જ હતું'


  • Published By :
  • Published Date : 2023-11-09 13:11:32

વિધાનસભાની ચૂંટણીમાં પાદરા બેઠક પર બળવો કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અપક્ષ ઉમેદવારી કરનાર બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા છે. ભાજપ તરફથી જ દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો અને અને પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. 


સતીષ પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું


બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે ગયા મહિનાના અંતમાં રાજીનામું આપતા દિનુમામાનો પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશું.  દિનેશભાઇ પટેલ (દિનુમામા) ફરી એક વખત બરોડા ડેરીના પ્રમુખ બનતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને અભિનંદન આપ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે પણ નિર્ણયને આવકાર્યો હતો.    


દિનુમામાએ શું કહ્યું?


બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતું.


વિધાનસભાની ચૂંટણીમાં આપ્યું હતું રાજીનામું


વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. પાદરા વિધાનસભા બેઠક પરથી દિનુ મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જો કે હવે દિનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.