Rajkotમાં Congressમાં જોડાનાર મહિલા નેતા Diptiben Vaghasiyaએ ભાંગરો વાટ્યો, એવું બોલ્યા કે બધા હસી પડ્યા!


  • Published By :
  • Published Date : 2024-08-12 15:27:24

આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ સામે જે સૌથી મોટો પડકાર લાગે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની આ વાત એટલે કરી રહ્યાં છીએ કેમ કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક મહિલા નેતા જાહેરમાં એવું બોલી ગયા કે, ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં આવ્યા 

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતી વખતે મહિલા કાર્યકર બોલ્યા...!

રાજ્યમાં બનેલી દરેક દૂર્ઘટનાઓમાં જેમણે પોતાનું વ્હાલસોયું સ્વજન ગુમાવ્યું છે એ પીડિત પરિવારજનોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસે ગુજરાત ન્યાય યાત્રાની શરુઆત કરી છે... આ ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી હતી.. જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર હતા... આ કાર્યક્રમમાં ભાજપના દિપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા...તેમનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું અને પછી દિપ્તીબેનને માઈક આપવામાં આવ્યું...  



દિપ્તીબેન એવું બોલ્યા કે કોંગ્રેસના નેતાઓ પણ વિચારતા થઈ ગયા..!

સવાલ થાય કે હવે હૈયે હતું અને હોઠે આવી ગયું? આ પારથી પેલે પાર આવ્યા છે... એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે.. દિપ્તીબેન આવું બોલ્યા એટલે કોંગ્રેસના નેતાઓ પણ વિચાર કરતા થઈ ગયા...  અને ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે એવું બોલ્યા એટલે વાયરલ થઈ ગયા... દિપ્તીબેનની આ વાત કેટલી સાચી એ તો બેન જ જાણે... ભાંગરો વાટ્યા બાદ દિપ્તીબેન દ્વિધામાં મુકાયા... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .