ભાષણની અસહમતિ હુમલા સુધી પહોંચી?કેમ Shantikar Vasavaના સમર્થનમાં યુવાનો ભેગા થયા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:11:04

નર્મદા જિલ્લાનું કારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેક વખત દેખાતો હોય છે. ત્યારે ફરી એખ વખત આ જંગ દેખાયો છે પરંતુ આ વખતે ફરક એ છે કે ચૈતર વસાવા વિરૂદ્ધ મનસુખ વસાવાનો જંગ નથી પરંતુ શાંતિકર વસાવા અને મનુસખ વસાવા વચ્ચેનો જંગ છે! ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોંદોદના ધારાસભ્ય દર્શના વસાવા, સાંસદ મનસુખ વસાવા, શાંતિકર વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા.   

આક્રામક સ્પીચને કારણે મનસુખ વસાવા રોષે ભરાયા!

છેલ્લા ઘણા સમયથી ભાજપના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં રહ્યા છે. પોતાના નિવેદનોને કારણે તેમજ ભાષણને કારણે તેમની ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે વસાવા સમાજનું વિશાળ સંમેલન હતું. સામાજીક નેતા શાંતિકર વસાવા પહેલા જ આરોપ મુકી ચુક્યા હતા કે એમને બોલતા અટકાવવાની કોશીશ થઈ. એમની આક્રમક સ્પીચના અંતે સાંસદ મનસુખ વસાવા ધીરજ ચુક્યા અને ઉભા થઈને એમને રોકવા માટે ગયા કે મંચસ્થ લોકોનું અપમાન થઈ રહ્યું છે પણ સામે ઉભી રહેલી હજારોની ભીડ શાંતિકર વસાવાના સમર્થનમાં દોડીને આવી, પણ પછી... જ્યારે શાંતિકર વસાવા સંમેલન પછી પાછા નીકળ્યા ત્યારે એમની ગાડી પર કથિત રીતે સાંસદના માણસોએ હુમલો કર્યો.

શાંતિકર વસાવા પર કથિત રીતે થયો હુમલો!

ભરૂચ ખાતે યોજાયેલુ વસાવા સમાજનું સંમેલન રાજનીતિક વિવાદોનું મૂળ બન્યું. ચૈતર વસાવા હાજર નહોતા, ભાજપ કૉંગ્રેસ આપ દરેક પક્ષના નેતાઓ એક મંચ પર હાજર હતા. વાત સમાજની ચાલુ હતી. સામાજીક નેતા શાંતિકર વસાવા આક્રમક રીતે સંબોધી રહ્યા હતા. સ્ટેજ પર જ બબાલ થઈ પણ પછી શાંતિકર વસાવાની ગાડી પર નેત્રંગ પાસે આંતરીને ગાડી પર પત્થર મારવામાં આવ્યા. મંચ પરથી આવું ભાષણ શું કામ આપ્યું એવો પ્રશ્ન હતો. કથિત રીતે ગાડી રોકનાર લોકો ભાજપના કાર્યકર્તા અને સાંસદના માણસો હોવાનું કહેવાયું. શાંતિકર વસાવાએ પોતાને કોઈ ઈજા નથી થઈ અને હુમલો કરનારને ઓળખે છે પણ ફરીયાદ નથી કરવાની રજૂઆત કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.