ભાષણની અસહમતિ હુમલા સુધી પહોંચી?કેમ Shantikar Vasavaના સમર્થનમાં યુવાનો ભેગા થયા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:11:04

નર્મદા જિલ્લાનું કારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેક વખત દેખાતો હોય છે. ત્યારે ફરી એખ વખત આ જંગ દેખાયો છે પરંતુ આ વખતે ફરક એ છે કે ચૈતર વસાવા વિરૂદ્ધ મનસુખ વસાવાનો જંગ નથી પરંતુ શાંતિકર વસાવા અને મનુસખ વસાવા વચ્ચેનો જંગ છે! ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોંદોદના ધારાસભ્ય દર્શના વસાવા, સાંસદ મનસુખ વસાવા, શાંતિકર વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા.   

આક્રામક સ્પીચને કારણે મનસુખ વસાવા રોષે ભરાયા!

છેલ્લા ઘણા સમયથી ભાજપના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં રહ્યા છે. પોતાના નિવેદનોને કારણે તેમજ ભાષણને કારણે તેમની ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે વસાવા સમાજનું વિશાળ સંમેલન હતું. સામાજીક નેતા શાંતિકર વસાવા પહેલા જ આરોપ મુકી ચુક્યા હતા કે એમને બોલતા અટકાવવાની કોશીશ થઈ. એમની આક્રમક સ્પીચના અંતે સાંસદ મનસુખ વસાવા ધીરજ ચુક્યા અને ઉભા થઈને એમને રોકવા માટે ગયા કે મંચસ્થ લોકોનું અપમાન થઈ રહ્યું છે પણ સામે ઉભી રહેલી હજારોની ભીડ શાંતિકર વસાવાના સમર્થનમાં દોડીને આવી, પણ પછી... જ્યારે શાંતિકર વસાવા સંમેલન પછી પાછા નીકળ્યા ત્યારે એમની ગાડી પર કથિત રીતે સાંસદના માણસોએ હુમલો કર્યો.

શાંતિકર વસાવા પર કથિત રીતે થયો હુમલો!

ભરૂચ ખાતે યોજાયેલુ વસાવા સમાજનું સંમેલન રાજનીતિક વિવાદોનું મૂળ બન્યું. ચૈતર વસાવા હાજર નહોતા, ભાજપ કૉંગ્રેસ આપ દરેક પક્ષના નેતાઓ એક મંચ પર હાજર હતા. વાત સમાજની ચાલુ હતી. સામાજીક નેતા શાંતિકર વસાવા આક્રમક રીતે સંબોધી રહ્યા હતા. સ્ટેજ પર જ બબાલ થઈ પણ પછી શાંતિકર વસાવાની ગાડી પર નેત્રંગ પાસે આંતરીને ગાડી પર પત્થર મારવામાં આવ્યા. મંચ પરથી આવું ભાષણ શું કામ આપ્યું એવો પ્રશ્ન હતો. કથિત રીતે ગાડી રોકનાર લોકો ભાજપના કાર્યકર્તા અને સાંસદના માણસો હોવાનું કહેવાયું. શાંતિકર વસાવાએ પોતાને કોઈ ઈજા નથી થઈ અને હુમલો કરનારને ઓળખે છે પણ ફરીયાદ નથી કરવાની રજૂઆત કરી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.