ફરી એક વખત કોંગ્રેસમાં દેખાયા મતભેદ, એક નેતાએ કર્યું વાતનું સમર્થન તો બીજા નેતાએ વાતને વખોડી,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:20:02

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.  જે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. 

PM Modi's mother Hiraba Modi to enter 100th year on June 18 - BusinessToday

ભૂપેશ બઘેલે હીરા બા પર થયેલી ટિપ્પણીને વખોડી 

ગુજરાતમાં કોંગ્રસ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસની વિચારધારામાં મતભેદ જોવા મળ્યો છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે પરંતુ આમાં પણ મતભેદ જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વાત કરી છે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.  

CM Bhupesh Baghel : सीएम भूपेश बघेल का करियर, नेट वर्थ, परिवार, राजनीतिक  करियर और योजनाएं | CM Bhupesh Baghel : CM Bhupesh Baghel's Career , Net  worth , family , political Career and schemes

કોંગ્રેસના નેતાઓથી જ કોંગ્રસને થઈ રહ્યું છે નુકશાન 

એવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કોંગ્રેસને માત્ર કોંગ્રેસ જ ખતમ કરી રહી છે. કોંગ્રેસના એક નેતા આ દિશામાં જાય છે તો બીજા નેતા બીજી દિશામાં જાય છે. જેને કારણે કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને કારણે જ કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.        




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.