ફરી એક વખત કોંગ્રેસમાં દેખાયા મતભેદ, એક નેતાએ કર્યું વાતનું સમર્થન તો બીજા નેતાએ વાતને વખોડી,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:20:02

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.  જે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. 

PM Modi's mother Hiraba Modi to enter 100th year on June 18 - BusinessToday

ભૂપેશ બઘેલે હીરા બા પર થયેલી ટિપ્પણીને વખોડી 

ગુજરાતમાં કોંગ્રસ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસની વિચારધારામાં મતભેદ જોવા મળ્યો છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે પરંતુ આમાં પણ મતભેદ જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વાત કરી છે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.  

CM Bhupesh Baghel : सीएम भूपेश बघेल का करियर, नेट वर्थ, परिवार, राजनीतिक  करियर और योजनाएं | CM Bhupesh Baghel : CM Bhupesh Baghel's Career , Net  worth , family , political Career and schemes

કોંગ્રેસના નેતાઓથી જ કોંગ્રસને થઈ રહ્યું છે નુકશાન 

એવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કોંગ્રેસને માત્ર કોંગ્રેસ જ ખતમ કરી રહી છે. કોંગ્રેસના એક નેતા આ દિશામાં જાય છે તો બીજા નેતા બીજી દિશામાં જાય છે. જેને કારણે કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને કારણે જ કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.