રાજ્યમાં ફરી આસમાની આફત, 24 કલાકમાં 21 તાલુકામાં માવઠું, ખેડૂતોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-12-04 13:02:00

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થયા હતો. હવામાન વિભાગની જાણકારી મુજબ રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમમાં સૌથી વધું વરસાદ બાલાસિનોરમાં નોંધાયો હતો. છૂટાંછવાયાં સ્થળોએ પવન સાથે કમોસમી હળવો વરસાદ થતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. હજી તો થોડા દિવસ પહેલાં જ ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી ત્યાં ફરી એક વાર માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.  21 તાલુકામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. બીજી તરફ ખેતી નિયામકની કચેરી દ્વારા કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


આ તાલુકામાં થયું માવઠું


હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના ગળતેશ્વર અને મહિસાગરના લુણાવાડામાં માં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ, સાબરકાંઠાના વિજયનગર, ખેડાના ઠાસરા, મહિસાગરના કડામામાં અડધા ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે. છૂટા છવાયા વરસાદની વાત કરીએ તો વીરપુર, ખાંભા, કપડવંજ, કાનપુર, સંતરામપુર, કલોલ, માગરોળ (સુરત), માલપુર, ખેડબ્રહ્મા, સાંજેલી, મેઘરજ, ઈડર, ફતેપુરા, મહુધામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગે શું આગાહી કરી હતી?


હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને કહ્યું હતું કે ‘બે દિવસ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સાઉથ અમદાવાદ ડિ​સ્ટ્રિક્ટ, અરવલ્લી, મહિસાગર, અમરેલી, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.’



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.