રાજ્યમાં ફરી આસમાની આફત, 24 કલાકમાં 21 તાલુકામાં માવઠું, ખેડૂતોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-12-04 13:02:00

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થયા હતો. હવામાન વિભાગની જાણકારી મુજબ રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમમાં સૌથી વધું વરસાદ બાલાસિનોરમાં નોંધાયો હતો. છૂટાંછવાયાં સ્થળોએ પવન સાથે કમોસમી હળવો વરસાદ થતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. હજી તો થોડા દિવસ પહેલાં જ ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી ત્યાં ફરી એક વાર માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.  21 તાલુકામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. બીજી તરફ ખેતી નિયામકની કચેરી દ્વારા કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


આ તાલુકામાં થયું માવઠું


હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના ગળતેશ્વર અને મહિસાગરના લુણાવાડામાં માં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ, સાબરકાંઠાના વિજયનગર, ખેડાના ઠાસરા, મહિસાગરના કડામામાં અડધા ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે. છૂટા છવાયા વરસાદની વાત કરીએ તો વીરપુર, ખાંભા, કપડવંજ, કાનપુર, સંતરામપુર, કલોલ, માગરોળ (સુરત), માલપુર, ખેડબ્રહ્મા, સાંજેલી, મેઘરજ, ઈડર, ફતેપુરા, મહુધામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગે શું આગાહી કરી હતી?


હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને કહ્યું હતું કે ‘બે દિવસ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સાઉથ અમદાવાદ ડિ​સ્ટ્રિક્ટ, અરવલ્લી, મહિસાગર, અમરેલી, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.’



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .