દ્વારકામાં આફતની મુસાફરી, ક્યારે જાગશે સત્તાધીશો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:15:53

આફતની સવારી

મોરબીની ઘટના પરથી કોણ લેશે શીખ? દ્વારકામાં ફેરી બોટ સર્વિસનો વિડિઓ વાયરલ થયો છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને ફેરીબોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા છે. દરિયામાં ચાલતી આ બોટ ખરેખર આફતની સવારી છે. જેને રોકવી ખુબ જ જરૂરી છે કારણ કે દુર્ઘટના થાય પછી તો આપડું તંત્ર માત્ર વેદનાઓ જ ઠાલવતું હોય છે.ઉઠ્યા ત્યારથી સવારની જેમ હવે આપડી સિસ્ટમ જાગે તો આવી દુર્ઘટનાઓથી માસૂમોનાં જીવ નહિ જાય

 


મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર ક્યારે જાગશે?

આ દ્રશ્ય પોતે જ ઘણુ બધું કહી જાય છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને દ્વારકામાં બોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા જે ચિંતાનો વિષય બન્યો છે. બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરતાં યાત્રિકો નજરે પડયા હતા.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.દિવાળીના તહેવારમાં ફરવાના શોખીન ગુજરાતીઓ અનેક ધાર્મિક સ્થળોએ પણ ઉમટી પડ્યા છે એ આમ તો સારી વાત છે પરંતુ ચિંતા એ વાતની છે કે આ ભીડમાં ભારે જોખમ ઉભુ થઈ ગયું છે. હજી તો  મોરબીની ઘટનાના મૃતકોનો આંકડો વધી જ રહ્યો છે  ત્યારે દ્વારકામાં પણ ફેરી બોટમાં ભારે ભીડમાં જઈ રહેલા લોકો નજરે પડી રહ્યા છે. દ્વારકાની જ વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

 

અમદાવાદનું તંત્ર તો જાગ્યું દ્વારકાના અધિકારીઓ ક્યારે જાગશે?

અમદાવાદીઓનું આકર્ષણ બનેલા અટલ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે AMCએ નિર્ણય લીધો છે. ફરમાન પ્રમાણે અટલ બ્રિજ પર દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યા છે.અમદાવાદનું AMC "દેર આયે દૂરુસ્ત આયે" જાગ્યું તો છે પણ હવે જોવાનું એ રહેશે કે દ્વારકાની આ આફતની સવારી ક્યારે બંધ થશે



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.