દ્વારકામાં આફતની મુસાફરી, ક્યારે જાગશે સત્તાધીશો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:15:53

આફતની સવારી

મોરબીની ઘટના પરથી કોણ લેશે શીખ? દ્વારકામાં ફેરી બોટ સર્વિસનો વિડિઓ વાયરલ થયો છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને ફેરીબોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા છે. દરિયામાં ચાલતી આ બોટ ખરેખર આફતની સવારી છે. જેને રોકવી ખુબ જ જરૂરી છે કારણ કે દુર્ઘટના થાય પછી તો આપડું તંત્ર માત્ર વેદનાઓ જ ઠાલવતું હોય છે.ઉઠ્યા ત્યારથી સવારની જેમ હવે આપડી સિસ્ટમ જાગે તો આવી દુર્ઘટનાઓથી માસૂમોનાં જીવ નહિ જાય

 


મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર ક્યારે જાગશે?

આ દ્રશ્ય પોતે જ ઘણુ બધું કહી જાય છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને દ્વારકામાં બોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા જે ચિંતાનો વિષય બન્યો છે. બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરતાં યાત્રિકો નજરે પડયા હતા.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.દિવાળીના તહેવારમાં ફરવાના શોખીન ગુજરાતીઓ અનેક ધાર્મિક સ્થળોએ પણ ઉમટી પડ્યા છે એ આમ તો સારી વાત છે પરંતુ ચિંતા એ વાતની છે કે આ ભીડમાં ભારે જોખમ ઉભુ થઈ ગયું છે. હજી તો  મોરબીની ઘટનાના મૃતકોનો આંકડો વધી જ રહ્યો છે  ત્યારે દ્વારકામાં પણ ફેરી બોટમાં ભારે ભીડમાં જઈ રહેલા લોકો નજરે પડી રહ્યા છે. દ્વારકાની જ વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

 

અમદાવાદનું તંત્ર તો જાગ્યું દ્વારકાના અધિકારીઓ ક્યારે જાગશે?

અમદાવાદીઓનું આકર્ષણ બનેલા અટલ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે AMCએ નિર્ણય લીધો છે. ફરમાન પ્રમાણે અટલ બ્રિજ પર દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યા છે.અમદાવાદનું AMC "દેર આયે દૂરુસ્ત આયે" જાગ્યું તો છે પણ હવે જોવાનું એ રહેશે કે દ્વારકાની આ આફતની સવારી ક્યારે બંધ થશે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.