Loksabhaમાં શરૂ થઈ No Confidence Motion પર ચર્ચા, મણિપુર મુદ્દે PM Modiને પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 12:52:25

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. મણિપુર હિંસામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. બપોરે 12 વાગ્યાથી લોકસભામાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી. પહેલા એવી માહિતી સામે આવી હતી કે આ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. પરંતુ ચર્ચાની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ન બોલવાનું મૌન વ્રત ધારણ કર્યું છે. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. પીએમ મોદીને ત્રણ સવાલ તેમણે પૂછ્યા હતા.

  

મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે - ગૌરવ ગોગોઈ

અનેક મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. અનેક લોકોના જીવ જતા રહ્યા છે. મણિપુરમાં થતી હિંસા પર પીએમ મોદી તેમજ સરકાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ એક્શન લીધા નથી. સંસદની શરૂઆત પહેલા પીએમ મોદીએ મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે નિવેદન આપ્યું હતું. એ પણ માત્ર સેકેન્ડોનું હતું. તે બાદ મણિપુર મુદ્દે પીએમ મોદી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે સંસદમાં અનેક વખત હોબાળો થયો છે. આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં ફેલ થઈ છે. જેને કારણે 150 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. 


પીએમ મોદીને પૂછ્યા ત્રણ સવાલ!

મણિપુર મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન - શા માટે પીએમ મોદીએ મણિપુરની મુલાકાત આજ સુધી નથી લીધી? મણિપુર મુદ્દે બોલવામાં પીએમ મોદીએ કેમ 80 દિવસ થયા, જ્યારે બોલ્યા તો માત્ર 30 સેકેન્ડ જ બોલ્યા? પીએમ મોદીએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ પદ ઉપરથી હટાવ્યા નહીં?       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.