Loksabhaમાં શરૂ થઈ No Confidence Motion પર ચર્ચા, મણિપુર મુદ્દે PM Modiને પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 12:52:25

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. મણિપુર હિંસામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. બપોરે 12 વાગ્યાથી લોકસભામાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી. પહેલા એવી માહિતી સામે આવી હતી કે આ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. પરંતુ ચર્ચાની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ન બોલવાનું મૌન વ્રત ધારણ કર્યું છે. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. પીએમ મોદીને ત્રણ સવાલ તેમણે પૂછ્યા હતા.

  

મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે - ગૌરવ ગોગોઈ

અનેક મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. અનેક લોકોના જીવ જતા રહ્યા છે. મણિપુરમાં થતી હિંસા પર પીએમ મોદી તેમજ સરકાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ એક્શન લીધા નથી. સંસદની શરૂઆત પહેલા પીએમ મોદીએ મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે નિવેદન આપ્યું હતું. એ પણ માત્ર સેકેન્ડોનું હતું. તે બાદ મણિપુર મુદ્દે પીએમ મોદી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે સંસદમાં અનેક વખત હોબાળો થયો છે. આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં ફેલ થઈ છે. જેને કારણે 150 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. 


પીએમ મોદીને પૂછ્યા ત્રણ સવાલ!

મણિપુર મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન - શા માટે પીએમ મોદીએ મણિપુરની મુલાકાત આજ સુધી નથી લીધી? મણિપુર મુદ્દે બોલવામાં પીએમ મોદીએ કેમ 80 દિવસ થયા, જ્યારે બોલ્યા તો માત્ર 30 સેકેન્ડ જ બોલ્યા? પીએમ મોદીએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ પદ ઉપરથી હટાવ્યા નહીં?       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.