Loksabhaમાં શરૂ થઈ No Confidence Motion પર ચર્ચા, મણિપુર મુદ્દે PM Modiને પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 12:52:25

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. મણિપુર હિંસામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. બપોરે 12 વાગ્યાથી લોકસભામાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી. પહેલા એવી માહિતી સામે આવી હતી કે આ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. પરંતુ ચર્ચાની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ન બોલવાનું મૌન વ્રત ધારણ કર્યું છે. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. પીએમ મોદીને ત્રણ સવાલ તેમણે પૂછ્યા હતા.

  

મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે - ગૌરવ ગોગોઈ

અનેક મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. અનેક લોકોના જીવ જતા રહ્યા છે. મણિપુરમાં થતી હિંસા પર પીએમ મોદી તેમજ સરકાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ એક્શન લીધા નથી. સંસદની શરૂઆત પહેલા પીએમ મોદીએ મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે નિવેદન આપ્યું હતું. એ પણ માત્ર સેકેન્ડોનું હતું. તે બાદ મણિપુર મુદ્દે પીએમ મોદી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે સંસદમાં અનેક વખત હોબાળો થયો છે. આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં ફેલ થઈ છે. જેને કારણે 150 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. 


પીએમ મોદીને પૂછ્યા ત્રણ સવાલ!

મણિપુર મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન - શા માટે પીએમ મોદીએ મણિપુરની મુલાકાત આજ સુધી નથી લીધી? મણિપુર મુદ્દે બોલવામાં પીએમ મોદીએ કેમ 80 દિવસ થયા, જ્યારે બોલ્યા તો માત્ર 30 સેકેન્ડ જ બોલ્યા? પીએમ મોદીએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ પદ ઉપરથી હટાવ્યા નહીં?       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .