ભાજપમાં નારાજગી, સાંસદના ભાઈ અપક્ષમાં નોંધાવશે ઉમેદવારી


  • Published By :
  • Published Date : 2022-11-16 19:20:34

મહેસાણાના ખેરાલુમાં ભાજપએ ઉમેદવાર જાહેર કર્યા છે ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદાર ભાઇ ચોધરીનું નામ જાહેર કરતાની સાથે જ નારાજગી જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર જાહેર થતાં જ ભાજપમાં ભડકો સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.જેને લઈને ખેરાલુમાં રાજકારણ ગરમાયું છે

 

હાઇકમાંડના કહેવાથી ભરતસિહ લોકસભામાં ગયા હતા

વર્ષોથી ભરતસિહ ડાભીનો પરિવાર સ્થાનિક લેવલે રાજકારણમાં અગ્રેસર રહ્યો છે. ભરતસિહના પિતા શંકરજી ઓખાજી ઠાકોર વર્ષોથી ખેરાલુમાં રાજકારણથી જોડાયેલા છે. 2017માં ખેરાલુથી ભાજપમાંથી ચુંટણી લડ્યા હતા ભરતસિહ અને બહુમતીથી જીત્યા પણ હતા પરંતુ તેઓએ પાટણથી 2019માં અલ્પેશ ઠાકોર સામે લોકસભાની ચુંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા.ત્યારબાદ 2019માં ખેરાલુમાં પેટા ચુંટણી થઈ હતી અને ફરી એકવાર ભાજપે બાજી મારી હતી

 

કોને મળી ટિકિટ

માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે