ભાજપથી નારાજ થયેલા કેસરીસિંહ સોલંકી જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 09:52:30

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજનીતિમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર બીજા દિવસે કોઈ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક ઉમેદવારોના પત્તા કપાઈ ગયા છે. ત્યારે મોડી રાત્રે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

માતરથી કેસરીસિંહને મળી શકે છે ટિકિટ

આ વખતે ગુજરાતમાં પક્ષપલટો કરવા ધારાસભ્યોને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી અથવા ભાજપમાંથી નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને અલવિદા કહી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. કેસરીસિંહ સોલંકીના આમ આદમી પાર્ટીમાં જવાથી પાર્ટીમાં આંતરિક ડખા થઈ શકે છે કારણ કે પાર્ટીએ પહેલાંથી જ માતર માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતરથી આપ કેસરીસિંહને ટિકિટ આપશે જેને કારણે મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ શકે છે. 

Mahipatsinh chauhan | Facebook

અનેક વખત ઉમેદવારોના નામ કરાયા છે બદલી 

આમ આદમી પાર્ટીએ નામની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોના નામ ચેન્જ કર્યા છે. યુવરાજસિંહ પહેલાં જે જગ્યાથી ચૂંટણી લડવાના હતા તેને બદલી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખંભાત માટે ઉમેદવારોના નામ બદલી દેવામાં આવ્યા હતા. ત્યારે માતરથી મહિપતસિંહ ચૌહાણનું પત્તુ કપાઈ જાય તો નવાઈ નહી.    



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.