ભાજપથી નારાજ થયેલા કેસરીસિંહ સોલંકી જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By :
  • Published Date : 2022-11-11 09:52:30

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજનીતિમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર બીજા દિવસે કોઈ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક ઉમેદવારોના પત્તા કપાઈ ગયા છે. ત્યારે મોડી રાત્રે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

માતરથી કેસરીસિંહને મળી શકે છે ટિકિટ

આ વખતે ગુજરાતમાં પક્ષપલટો કરવા ધારાસભ્યોને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી અથવા ભાજપમાંથી નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને અલવિદા કહી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. કેસરીસિંહ સોલંકીના આમ આદમી પાર્ટીમાં જવાથી પાર્ટીમાં આંતરિક ડખા થઈ શકે છે કારણ કે પાર્ટીએ પહેલાંથી જ માતર માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતરથી આપ કેસરીસિંહને ટિકિટ આપશે જેને કારણે મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ શકે છે. 

Mahipatsinh chauhan | Facebook

અનેક વખત ઉમેદવારોના નામ કરાયા છે બદલી 

આમ આદમી પાર્ટીએ નામની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોના નામ ચેન્જ કર્યા છે. યુવરાજસિંહ પહેલાં જે જગ્યાથી ચૂંટણી લડવાના હતા તેને બદલી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખંભાત માટે ઉમેદવારોના નામ બદલી દેવામાં આવ્યા હતા. ત્યારે માતરથી મહિપતસિંહ ચૌહાણનું પત્તુ કપાઈ જાય તો નવાઈ નહી.    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.