ભાજપથી નારાજ થયેલા કેસરીસિંહ સોલંકી જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By :
  • Published Date : 2022-11-11 09:52:30

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજનીતિમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર બીજા દિવસે કોઈ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક ઉમેદવારોના પત્તા કપાઈ ગયા છે. ત્યારે મોડી રાત્રે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

માતરથી કેસરીસિંહને મળી શકે છે ટિકિટ

આ વખતે ગુજરાતમાં પક્ષપલટો કરવા ધારાસભ્યોને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી અથવા ભાજપમાંથી નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને અલવિદા કહી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. કેસરીસિંહ સોલંકીના આમ આદમી પાર્ટીમાં જવાથી પાર્ટીમાં આંતરિક ડખા થઈ શકે છે કારણ કે પાર્ટીએ પહેલાંથી જ માતર માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતરથી આપ કેસરીસિંહને ટિકિટ આપશે જેને કારણે મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ શકે છે. 

Mahipatsinh chauhan | Facebook

અનેક વખત ઉમેદવારોના નામ કરાયા છે બદલી 

આમ આદમી પાર્ટીએ નામની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોના નામ ચેન્જ કર્યા છે. યુવરાજસિંહ પહેલાં જે જગ્યાથી ચૂંટણી લડવાના હતા તેને બદલી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખંભાત માટે ઉમેદવારોના નામ બદલી દેવામાં આવ્યા હતા. ત્યારે માતરથી મહિપતસિંહ ચૌહાણનું પત્તુ કપાઈ જાય તો નવાઈ નહી.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.