બનાસકાંઠાના ભાભરમાં પોસ્ટરને લઈ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે સર્જાયો વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 14:15:56

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કરી રહી છે. યાત્રાનું આયોજન કરી પોતાની સરકારે કામ લોકો સુધી પહોંચાડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના કાર્યકરતા ગૌ માતા સહાયના બેવરો હટાવી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાભરમાં ગૌમાતા સહાયના બેનરો હટાવાતા વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.

 

ગૌ ભક્તોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતા રહે છે ત્યારે બનાસકાંઠાના ભાભરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સર્કલ પર ગૌમાતા સહાય માટે બેનર લાગ્યા હતા. ભાજપના કાર્યકરો તેને ઉતારી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના આપના કાર્યકરોએ કેમેરામાં કેદ કરી હતી. વીડિયો ઉતારતા તેમનો મોબાઈલ બંધ કરાવી દીધો હતો. ગૌ માતા સહાયના બેનરો હટાવી દેવાતા ગૌ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.