બનાસકાંઠાના ભાભરમાં પોસ્ટરને લઈ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે સર્જાયો વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 14:15:56

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કરી રહી છે. યાત્રાનું આયોજન કરી પોતાની સરકારે કામ લોકો સુધી પહોંચાડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના કાર્યકરતા ગૌ માતા સહાયના બેવરો હટાવી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાભરમાં ગૌમાતા સહાયના બેનરો હટાવાતા વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.

 

ગૌ ભક્તોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતા રહે છે ત્યારે બનાસકાંઠાના ભાભરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સર્કલ પર ગૌમાતા સહાય માટે બેનર લાગ્યા હતા. ભાજપના કાર્યકરો તેને ઉતારી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના આપના કાર્યકરોએ કેમેરામાં કેદ કરી હતી. વીડિયો ઉતારતા તેમનો મોબાઈલ બંધ કરાવી દીધો હતો. ગૌ માતા સહાયના બેનરો હટાવી દેવાતા ગૌ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.      



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.