બનાસકાંઠાના ભાભરમાં પોસ્ટરને લઈ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે સર્જાયો વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 14:15:56

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કરી રહી છે. યાત્રાનું આયોજન કરી પોતાની સરકારે કામ લોકો સુધી પહોંચાડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના કાર્યકરતા ગૌ માતા સહાયના બેવરો હટાવી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાભરમાં ગૌમાતા સહાયના બેનરો હટાવાતા વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.

 

ગૌ ભક્તોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતા રહે છે ત્યારે બનાસકાંઠાના ભાભરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સર્કલ પર ગૌમાતા સહાય માટે બેનર લાગ્યા હતા. ભાજપના કાર્યકરો તેને ઉતારી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના આપના કાર્યકરોએ કેમેરામાં કેદ કરી હતી. વીડિયો ઉતારતા તેમનો મોબાઈલ બંધ કરાવી દીધો હતો. ગૌ માતા સહાયના બેનરો હટાવી દેવાતા ગૌ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે