Breaking News : Loksabha Election પહેલા કોંગ્રેસમાં ભંગાણ, વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-01-19 10:38:23

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મોટા નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. વિધાનસભા અધ્યક્ષને ચી.જે.ચાવડાએ પોતાનું રાજીનામું સોંપ્યું છે.   

વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

એક તરફ એવી અટકળો ચાલી રહી હતી કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સી.જે.ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં ભાજપમાં ફરી એક વખત ભરતી મેળો શરૂ થશે જેમાં પૂર્વ ધારાસભ્યો એક સાથે જોડાઈ શકે છે!    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.