Breaking News : Loksabha Election પહેલા કોંગ્રેસમાં ભંગાણ, વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-01-19 10:38:23

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મોટા નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. વિધાનસભા અધ્યક્ષને ચી.જે.ચાવડાએ પોતાનું રાજીનામું સોંપ્યું છે.   

વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

એક તરફ એવી અટકળો ચાલી રહી હતી કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સી.જે.ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં ભાજપમાં ફરી એક વખત ભરતી મેળો શરૂ થશે જેમાં પૂર્વ ધારાસભ્યો એક સાથે જોડાઈ શકે છે!    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.