ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 16:35:40

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ફરી એક વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વંથલી નગરપાલિકા ઉપપ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસ દાખલ કરવામાં આવ્યો હતો. આમ થવાથી જૂનાગઢ કોંગ્રેસમાંથી જૂથવાદ બહાર આવ્યો છે.  


કોંગ્રેસને નેતાઓ કહી રહ્યા અલવિદા  

ચૂંટણી નજીક આવતા જ્યાં કોંગ્રેસે એકજૂટ થવાની જરૂર છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આંતરિક વિવાદને કારણે કોંગ્રેસને હમેશાં મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે, ત્યારે આ વખતે પણ આને કારણે કોંગ્રેસને નુક્શાન ખઈ શકે છે.       



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.