ગુજરાત કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 16:35:40

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ફરી એક વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વંથલી નગરપાલિકા ઉપપ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસ દાખલ કરવામાં આવ્યો હતો. આમ થવાથી જૂનાગઢ કોંગ્રેસમાંથી જૂથવાદ બહાર આવ્યો છે.  


કોંગ્રેસને નેતાઓ કહી રહ્યા અલવિદા  

ચૂંટણી નજીક આવતા જ્યાં કોંગ્રેસે એકજૂટ થવાની જરૂર છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આંતરિક વિવાદને કારણે કોંગ્રેસને હમેશાં મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે, ત્યારે આ વખતે પણ આને કારણે કોંગ્રેસને નુક્શાન ખઈ શકે છે.       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .