દુનિયાના આ દેશોમાં બેરોજગારીના કારણે હાહાકાર, જુઓ ટોપ 10માં ભારત કયા નંબર પર છે?


  • Published By :
  • Published Date : 2023-12-24 17:06:16

વિશ્વના ઘણા દેશોમાં બેરોજગારી સતત વધી રહી છે. આ દેશોમાં યુવાનો પાસે રોજગાર નથી અને ગરીબી સતત વધી રહી છે. દુનિયામાં જ્યારે પણ બેરોજગારીની વાત થાય છે ત્યારે પાકિસ્તાનનું નામ ચોક્કસથી જ આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોપ 10 બેરોજગારીવાળા દેશોમાં પાકિસ્તાનનું નામ સામેલ નથી. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પાકિસ્તાન કરતા વધુ બેરોજગારી છે. દક્ષિણ આફ્રિકા અત્યારે વિશ્વમાં બેરોજગારીનો ગઢ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વના સૌથી વધુ 10 બેરોજગારીવાળા દેશોની યાદી જાહેર કરી છે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. ચાલો તમને જણાવીએ કે કયા દેશમાં કેટલી બેરોજગારી છે.


આ દેશોમાં સૌથી વધુ બેરોજગારી


કેનેડામાં બેરોજગારી વધી  


કેનેડામાં બેરોજગારીનો દર 5.8 ટકા છે. આ પછી આર્જેન્ટિનામાં બેરોજગારીનો દર 5.7 ટકા, ઈન્ડોનેશિયામાં 5.32 ટકા, ચીનમાં 5 ટકા અને સાઉદીમાં 4.9 ટકા છે. યુકેમાં બેરોજગારીનો દર 4.2 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં તે 3.2 ટકા અને અમેરિકામાં 3.7 ટકા છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.