દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા, DEOને પૂછપરછ માટે ACB કચેરી લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-03-16 15:29:39

શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. તેમાં પણ ​​​​​​​દાહોદમાં D.E.Oની કચેરી તેના ભ્રષ્ટાચારના કારણે ઘણી બદનામ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો રૂપિયા ચૂકવ્યા વગર થતાં નથી તેવી ફરિયાદો પણ અનેક વખત થઈ છે. આ ફરિયાદોને આધારે આજે તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો.  ACBની ટીમે છટકું ગોઠવીને દાહોદ DEOને રૂ.10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBનીની આ કાર્યવાહી બાદ દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.


DEOને પૂછપરછ માટે લઈ જવાયા


દાહોદ જિલ્લામાં હાલ 10-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ ટાણે જ  ACBના દરોડાના કારણે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ACBની ટીમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ACBની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


સમગ્ર મામલો શું છે?


પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ DEOએ ફરીયાદી પાસે રૂા.10,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની ફરીયાદ ACBમાં કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આ જ રોજ લાંચના છટકાંનુ આયોજન દાહોદ જીલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં કરવામાં આવ્યું હતું.  DEOએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. ACBની ટીમે આરોપી DEOને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.