દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા, DEOને પૂછપરછ માટે ACB કચેરી લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-03-16 15:29:39

શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. તેમાં પણ ​​​​​​​દાહોદમાં D.E.Oની કચેરી તેના ભ્રષ્ટાચારના કારણે ઘણી બદનામ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો રૂપિયા ચૂકવ્યા વગર થતાં નથી તેવી ફરિયાદો પણ અનેક વખત થઈ છે. આ ફરિયાદોને આધારે આજે તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો.  ACBની ટીમે છટકું ગોઠવીને દાહોદ DEOને રૂ.10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBનીની આ કાર્યવાહી બાદ દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.


DEOને પૂછપરછ માટે લઈ જવાયા


દાહોદ જિલ્લામાં હાલ 10-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ ટાણે જ  ACBના દરોડાના કારણે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ACBની ટીમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ACBની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


સમગ્ર મામલો શું છે?


પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ DEOએ ફરીયાદી પાસે રૂા.10,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની ફરીયાદ ACBમાં કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આ જ રોજ લાંચના છટકાંનુ આયોજન દાહોદ જીલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં કરવામાં આવ્યું હતું.  DEOએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. ACBની ટીમે આરોપી DEOને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.