દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા, DEOને પૂછપરછ માટે ACB કચેરી લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-03-16 15:29:39

શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. તેમાં પણ ​​​​​​​દાહોદમાં D.E.Oની કચેરી તેના ભ્રષ્ટાચારના કારણે ઘણી બદનામ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો રૂપિયા ચૂકવ્યા વગર થતાં નથી તેવી ફરિયાદો પણ અનેક વખત થઈ છે. આ ફરિયાદોને આધારે આજે તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો.  ACBની ટીમે છટકું ગોઠવીને દાહોદ DEOને રૂ.10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBનીની આ કાર્યવાહી બાદ દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.


DEOને પૂછપરછ માટે લઈ જવાયા


દાહોદ જિલ્લામાં હાલ 10-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ ટાણે જ  ACBના દરોડાના કારણે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ACBની ટીમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ACBની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


સમગ્ર મામલો શું છે?


પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ DEOએ ફરીયાદી પાસે રૂા.10,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની ફરીયાદ ACBમાં કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આ જ રોજ લાંચના છટકાંનુ આયોજન દાહોદ જીલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં કરવામાં આવ્યું હતું.  DEOએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. ACBની ટીમે આરોપી DEOને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.