દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-05-07 19:27:06

રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે રીઢા બની ગયા છે. કર્મચારીઓને સારો પગાર મળતો હોવા છતાં પણ તે લાંચ લેવામાં શરમ અનુભવતા નથી. આ જ કારણે લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ACB ટીમ અવારનવાર લાંચિયા અધિકારીઓને છટકું ગોઠવીને ઝડપી પાડે છે. જેમ કે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં શિક્ષણ જગત સહિત સરકારી મહેકમ આલમમાં ખળભળાટ મચી ગયો છે. 


ACBની ટ્રેપમાં ફસાયા  


દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે.  શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતે તેમણે લાંચ માંગી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ACBના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતા દાહોદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા ACBએ મયુર પારેખને ઝડપી પાડવા માટે જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી, આ ટ્રેપમાં તે આબાદ રીતે સપડાઈ ગયા હતા. 


અગાઉ પણ DEO લાંચ લેતા ઝડપાયા હતા


આ અગાઉ પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેમનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજ રોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACB પોલીસના હાથે ઝડપાયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.