દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-05-07 19:27:06

રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે રીઢા બની ગયા છે. કર્મચારીઓને સારો પગાર મળતો હોવા છતાં પણ તે લાંચ લેવામાં શરમ અનુભવતા નથી. આ જ કારણે લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ACB ટીમ અવારનવાર લાંચિયા અધિકારીઓને છટકું ગોઠવીને ઝડપી પાડે છે. જેમ કે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં શિક્ષણ જગત સહિત સરકારી મહેકમ આલમમાં ખળભળાટ મચી ગયો છે. 


ACBની ટ્રેપમાં ફસાયા  


દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે.  શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતે તેમણે લાંચ માંગી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ACBના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતા દાહોદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા ACBએ મયુર પારેખને ઝડપી પાડવા માટે જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી, આ ટ્રેપમાં તે આબાદ રીતે સપડાઈ ગયા હતા. 


અગાઉ પણ DEO લાંચ લેતા ઝડપાયા હતા


આ અગાઉ પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેમનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજ રોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACB પોલીસના હાથે ઝડપાયા છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.