દાહોદ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-05-07 19:27:06

રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે રીઢા બની ગયા છે. કર્મચારીઓને સારો પગાર મળતો હોવા છતાં પણ તે લાંચ લેવામાં શરમ અનુભવતા નથી. આ જ કારણે લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ACB ટીમ અવારનવાર લાંચિયા અધિકારીઓને છટકું ગોઠવીને ઝડપી પાડે છે. જેમ કે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં શિક્ષણ જગત સહિત સરકારી મહેકમ આલમમાં ખળભળાટ મચી ગયો છે. 


ACBની ટ્રેપમાં ફસાયા  


દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે.  શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતે તેમણે લાંચ માંગી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ACBના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતા દાહોદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા ACBએ મયુર પારેખને ઝડપી પાડવા માટે જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી, આ ટ્રેપમાં તે આબાદ રીતે સપડાઈ ગયા હતા. 


અગાઉ પણ DEO લાંચ લેતા ઝડપાયા હતા


આ અગાઉ પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેમનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજ રોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACB પોલીસના હાથે ઝડપાયા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.