Divorce case: પત્નીએ 12 વર્ષ સુધી શારીરિક સંબંધનો વિરોધ કરતા હાઈકોર્ટે પતિ સાથે કર્યો ન્યાય


  • Published By :
  • Published Date : 2024-02-09 21:43:17

લગ્ન જીવન દરમિયાન ક્યારેક એવું બને છે કે હર્યોભર્યો ઘરસંસાર વિખેરાઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં છુટાછેડા માટેનો એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિની પત્ની 10 વર્ષથી વધારે સમયથી પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. પતિની છુટાછેડાની અરજી સ્વિકારતા કોર્ટે અંતે સમગ્ર હકીકત જાણ્યા બાદ પત્નીથી છુટાછેડા લેવાની મંજૂરી આપી હતી. 


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં રહેતા આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ પારિવારિક કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પત્ની પર આધારના આધાર પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, તેની પત્ની સિઝોફ્રેનિયાથી પીડિત હતી અને કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલી હતી. તે પંથની વિચારધારાથી પ્રભાવિત પત્ની બ્રહ્મચર્યનું પાલન કરી રહી હતી. પત્નીએ તેમની સાથે યૌન સંબંધ બાંધવાની ના પાડી રહી હતી. પારિવારિક કોર્ટમાં પતિએ પોતાની અરજીમાં એવું પણ કહ્યું કે તેની પત્નીનું કહેવું છે કે, જો તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ તર્ક આપ્યો કે, લગ્નના સમયે તેને પત્નીની માનસિક સ્થિતિ વિશે ખબર નહોતી. તેનું કહેવું હતું કે, આટલી મોટી સચ્ચાઈથી દૂર રાખવા એ પણ એક પ્રકારની ક્રૂરતા કરવા જેવું છે. જો કે 2018માં કોર્ટે પતિના દાવા ફગાવી દીધા હતા. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્યે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, પત્નીની બીમારી, વૈવાહિક દાયિત્યોથી દૂર રહેવું અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું પુરતું છે કે આ લગ્ન તૂટી ચુક્યા છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આવું કોઈ કારણ નથી કે છુટાછેડા ન આપી શકાય. કોર્ટે પતિને પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા આપવા કહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.