Divorce case: પત્નીએ 12 વર્ષ સુધી શારીરિક સંબંધનો વિરોધ કરતા હાઈકોર્ટે પતિ સાથે કર્યો ન્યાય


  • Published By :
  • Published Date : 2024-02-09 21:43:17

લગ્ન જીવન દરમિયાન ક્યારેક એવું બને છે કે હર્યોભર્યો ઘરસંસાર વિખેરાઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં છુટાછેડા માટેનો એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિની પત્ની 10 વર્ષથી વધારે સમયથી પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. પતિની છુટાછેડાની અરજી સ્વિકારતા કોર્ટે અંતે સમગ્ર હકીકત જાણ્યા બાદ પત્નીથી છુટાછેડા લેવાની મંજૂરી આપી હતી. 


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં રહેતા આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ પારિવારિક કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પત્ની પર આધારના આધાર પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, તેની પત્ની સિઝોફ્રેનિયાથી પીડિત હતી અને કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલી હતી. તે પંથની વિચારધારાથી પ્રભાવિત પત્ની બ્રહ્મચર્યનું પાલન કરી રહી હતી. પત્નીએ તેમની સાથે યૌન સંબંધ બાંધવાની ના પાડી રહી હતી. પારિવારિક કોર્ટમાં પતિએ પોતાની અરજીમાં એવું પણ કહ્યું કે તેની પત્નીનું કહેવું છે કે, જો તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ તર્ક આપ્યો કે, લગ્નના સમયે તેને પત્નીની માનસિક સ્થિતિ વિશે ખબર નહોતી. તેનું કહેવું હતું કે, આટલી મોટી સચ્ચાઈથી દૂર રાખવા એ પણ એક પ્રકારની ક્રૂરતા કરવા જેવું છે. જો કે 2018માં કોર્ટે પતિના દાવા ફગાવી દીધા હતા. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્યે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, પત્નીની બીમારી, વૈવાહિક દાયિત્યોથી દૂર રહેવું અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું પુરતું છે કે આ લગ્ન તૂટી ચુક્યા છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આવું કોઈ કારણ નથી કે છુટાછેડા ન આપી શકાય. કોર્ટે પતિને પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા આપવા કહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.