Divorce case: પત્નીએ 12 વર્ષ સુધી શારીરિક સંબંધનો વિરોધ કરતા હાઈકોર્ટે પતિ સાથે કર્યો ન્યાય


  • Published By :
  • Published Date : 2024-02-09 21:43:17

લગ્ન જીવન દરમિયાન ક્યારેક એવું બને છે કે હર્યોભર્યો ઘરસંસાર વિખેરાઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં છુટાછેડા માટેનો એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિની પત્ની 10 વર્ષથી વધારે સમયથી પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. પતિની છુટાછેડાની અરજી સ્વિકારતા કોર્ટે અંતે સમગ્ર હકીકત જાણ્યા બાદ પત્નીથી છુટાછેડા લેવાની મંજૂરી આપી હતી. 


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં રહેતા આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ પારિવારિક કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પત્ની પર આધારના આધાર પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, તેની પત્ની સિઝોફ્રેનિયાથી પીડિત હતી અને કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલી હતી. તે પંથની વિચારધારાથી પ્રભાવિત પત્ની બ્રહ્મચર્યનું પાલન કરી રહી હતી. પત્નીએ તેમની સાથે યૌન સંબંધ બાંધવાની ના પાડી રહી હતી. પારિવારિક કોર્ટમાં પતિએ પોતાની અરજીમાં એવું પણ કહ્યું કે તેની પત્નીનું કહેવું છે કે, જો તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ તર્ક આપ્યો કે, લગ્નના સમયે તેને પત્નીની માનસિક સ્થિતિ વિશે ખબર નહોતી. તેનું કહેવું હતું કે, આટલી મોટી સચ્ચાઈથી દૂર રાખવા એ પણ એક પ્રકારની ક્રૂરતા કરવા જેવું છે. જો કે 2018માં કોર્ટે પતિના દાવા ફગાવી દીધા હતા. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્યે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, પત્નીની બીમારી, વૈવાહિક દાયિત્યોથી દૂર રહેવું અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું પુરતું છે કે આ લગ્ન તૂટી ચુક્યા છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આવું કોઈ કારણ નથી કે છુટાછેડા ન આપી શકાય. કોર્ટે પતિને પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા આપવા કહ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.