Divorce case: પત્નીએ 12 વર્ષ સુધી શારીરિક સંબંધનો વિરોધ કરતા હાઈકોર્ટે પતિ સાથે કર્યો ન્યાય


  • Published By :
  • Published Date : 2024-02-09 21:43:17

લગ્ન જીવન દરમિયાન ક્યારેક એવું બને છે કે હર્યોભર્યો ઘરસંસાર વિખેરાઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં છુટાછેડા માટેનો એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિની પત્ની 10 વર્ષથી વધારે સમયથી પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી હતી. પતિની છુટાછેડાની અરજી સ્વિકારતા કોર્ટે અંતે સમગ્ર હકીકત જાણ્યા બાદ પત્નીથી છુટાછેડા લેવાની મંજૂરી આપી હતી. 


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં રહેતા આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ પારિવારિક કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પત્ની પર આધારના આધાર પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, તેની પત્ની સિઝોફ્રેનિયાથી પીડિત હતી અને કોઈ ધાર્મિક પંથ સાથે જોડાયેલી હતી. તે પંથની વિચારધારાથી પ્રભાવિત પત્ની બ્રહ્મચર્યનું પાલન કરી રહી હતી. પત્નીએ તેમની સાથે યૌન સંબંધ બાંધવાની ના પાડી રહી હતી. પારિવારિક કોર્ટમાં પતિએ પોતાની અરજીમાં એવું પણ કહ્યું કે તેની પત્નીનું કહેવું છે કે, જો તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાની કોશિશ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ તર્ક આપ્યો કે, લગ્નના સમયે તેને પત્નીની માનસિક સ્થિતિ વિશે ખબર નહોતી. તેનું કહેવું હતું કે, આટલી મોટી સચ્ચાઈથી દૂર રાખવા એ પણ એક પ્રકારની ક્રૂરતા કરવા જેવું છે. જો કે 2018માં કોર્ટે પતિના દાવા ફગાવી દીધા હતા. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્યે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, પત્નીની બીમારી, વૈવાહિક દાયિત્યોથી દૂર રહેવું અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું પુરતું છે કે આ લગ્ન તૂટી ચુક્યા છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આવું કોઈ કારણ નથી કે છુટાછેડા ન આપી શકાય. કોર્ટે પતિને પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણ તરીકે 5 લાખ રૂપિયા આપવા કહ્યું છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે