'ડિવોર્સ સેલિબ્રેશન'નો ટ્રેન્ડ વધ્યો, ચાણસ્માના યુવાને છૂટાછેડાની કાંઈક આવી રીતે કરી અનોખી ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-29 21:13:16

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. સ્રી અને પુરૂષ આ પવિત્ર સંબંધમાં બંધાઈને સાત જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપે છે.  જો કે આજના જમાનામાં આ પવિત્ર સંબંધ તુટી રહ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને રાજ્યની કોર્ટોમાં છુટાછેડાના કેસોની ભરમાર છે. ઘણીવાર જો કોઈ કપલના છુટાછેડા મંજુર થાય તો છુટા પડતા યુવક અને યુવતી તેની ઉજવણી કરતા જોવા મળે છે. આજના સમયમાં છુટાછેડાની ઉજવણી એક ફેશન બની ગઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્માના યુવાનને છૂટાછેડા મળતા તેણે તેની અનોખી રીતે ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલાએ પણ ચેન્નાઈમાં ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું, તેના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.


ચાણસ્માના યુવાને છૂટાછેડાની કરી ઉજવણી 


પાટણ જિલ્લાના ચાણસ્માના વિપુલકુમાર રમેશભાઈ રાવળે છૂટાછેડાની ઉજવણી કરી હતી. વિપુલકુમાર  રાવળે તેમના છૂટાછેડાની ઉજવણી ડીજે પાર્ટી કરીને નહીં પણ થોડી અલગ રીતે કરી હતી. છૂટાછેડા થયા બાદ દુ:ખી થવાની જગ્યાએ મોજમાં આવીને વિપુલ કુમાર રમેશભાઈ રાવળે પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. આટલું જ નહીં પણ તેમણે તેમના આ દાનની પાવતી પણ બનાવી હતી. આજકાલ આ પાવતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યારે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પાવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 


શું લખ્યું છે દાન પાવતીમાં?


વિપુલ કુમાર  રાવળની આ પાવતીનો ફોટો જોઈએ તો તેમણે જે ટ્રસ્ટમાં દાન આપ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે. ચાણસ્મા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં વિપુલભાઈ રમેશભાઈ રાવળે જીવદયા ખાતે દાન આપ્યું છે. તેમણે નામની નીચે શા માટે દાન આપ્યું તેનું કારણ આુપ્યું છે. છૂટા કર્યાની ખુશીમાં જીવદયા ખાતે દાન આપી રહ્યો છું. આમ કરીને તેમણે સાતસો પચાસ રૂપિયાનું દાન આપ્યું છે. છૂટાછેડાનો હરખ વ્યક્ત કરવાની વિપુલભાઈની રીત ખૂબ વાયરલ થઈ રહી છે. 


મહિલાએ કરાવ્યું હતું ડિવોર્સ ફોટોશૂટ


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલા પણ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈમાં રહેતી શાલિની નામની મહિલાએ તેનું 'છૂટાછેડાનું ફોટોશૂટ' કરાવ્યું છે. એટલું જ નહીં શાલિનીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના 'છૂટાછેડા ફોટોશૂટ'નો ફોટો શેર કર્યા હતા. પતિથી અલગ થયા પછી, તેણે હતાશ થવાને બદલે તેને સકારાત્મક રીતે અપનાવ્યું અને લાલ ડ્રેસમાં સજ્જ બનીને સુંદર સ્ટાઈલમાં 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ'  કરાવ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.