'ડિવોર્સ સેલિબ્રેશન'નો ટ્રેન્ડ વધ્યો, ચાણસ્માના યુવાને છૂટાછેડાની કાંઈક આવી રીતે કરી અનોખી ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-29 21:13:16

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. સ્રી અને પુરૂષ આ પવિત્ર સંબંધમાં બંધાઈને સાત જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપે છે.  જો કે આજના જમાનામાં આ પવિત્ર સંબંધ તુટી રહ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને રાજ્યની કોર્ટોમાં છુટાછેડાના કેસોની ભરમાર છે. ઘણીવાર જો કોઈ કપલના છુટાછેડા મંજુર થાય તો છુટા પડતા યુવક અને યુવતી તેની ઉજવણી કરતા જોવા મળે છે. આજના સમયમાં છુટાછેડાની ઉજવણી એક ફેશન બની ગઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્માના યુવાનને છૂટાછેડા મળતા તેણે તેની અનોખી રીતે ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલાએ પણ ચેન્નાઈમાં ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું, તેના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.


ચાણસ્માના યુવાને છૂટાછેડાની કરી ઉજવણી 


પાટણ જિલ્લાના ચાણસ્માના વિપુલકુમાર રમેશભાઈ રાવળે છૂટાછેડાની ઉજવણી કરી હતી. વિપુલકુમાર  રાવળે તેમના છૂટાછેડાની ઉજવણી ડીજે પાર્ટી કરીને નહીં પણ થોડી અલગ રીતે કરી હતી. છૂટાછેડા થયા બાદ દુ:ખી થવાની જગ્યાએ મોજમાં આવીને વિપુલ કુમાર રમેશભાઈ રાવળે પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. આટલું જ નહીં પણ તેમણે તેમના આ દાનની પાવતી પણ બનાવી હતી. આજકાલ આ પાવતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યારે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પાવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 


શું લખ્યું છે દાન પાવતીમાં?


વિપુલ કુમાર  રાવળની આ પાવતીનો ફોટો જોઈએ તો તેમણે જે ટ્રસ્ટમાં દાન આપ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે. ચાણસ્મા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં વિપુલભાઈ રમેશભાઈ રાવળે જીવદયા ખાતે દાન આપ્યું છે. તેમણે નામની નીચે શા માટે દાન આપ્યું તેનું કારણ આુપ્યું છે. છૂટા કર્યાની ખુશીમાં જીવદયા ખાતે દાન આપી રહ્યો છું. આમ કરીને તેમણે સાતસો પચાસ રૂપિયાનું દાન આપ્યું છે. છૂટાછેડાનો હરખ વ્યક્ત કરવાની વિપુલભાઈની રીત ખૂબ વાયરલ થઈ રહી છે. 


મહિલાએ કરાવ્યું હતું ડિવોર્સ ફોટોશૂટ


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલા પણ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈમાં રહેતી શાલિની નામની મહિલાએ તેનું 'છૂટાછેડાનું ફોટોશૂટ' કરાવ્યું છે. એટલું જ નહીં શાલિનીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના 'છૂટાછેડા ફોટોશૂટ'નો ફોટો શેર કર્યા હતા. પતિથી અલગ થયા પછી, તેણે હતાશ થવાને બદલે તેને સકારાત્મક રીતે અપનાવ્યું અને લાલ ડ્રેસમાં સજ્જ બનીને સુંદર સ્ટાઈલમાં 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ'  કરાવ્યું હતું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.