'ડિવોર્સ સેલિબ્રેશન'નો ટ્રેન્ડ વધ્યો, ચાણસ્માના યુવાને છૂટાછેડાની કાંઈક આવી રીતે કરી અનોખી ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-29 21:13:16

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. સ્રી અને પુરૂષ આ પવિત્ર સંબંધમાં બંધાઈને સાત જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપે છે.  જો કે આજના જમાનામાં આ પવિત્ર સંબંધ તુટી રહ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને રાજ્યની કોર્ટોમાં છુટાછેડાના કેસોની ભરમાર છે. ઘણીવાર જો કોઈ કપલના છુટાછેડા મંજુર થાય તો છુટા પડતા યુવક અને યુવતી તેની ઉજવણી કરતા જોવા મળે છે. આજના સમયમાં છુટાછેડાની ઉજવણી એક ફેશન બની ગઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્માના યુવાનને છૂટાછેડા મળતા તેણે તેની અનોખી રીતે ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલાએ પણ ચેન્નાઈમાં ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું, તેના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.


ચાણસ્માના યુવાને છૂટાછેડાની કરી ઉજવણી 


પાટણ જિલ્લાના ચાણસ્માના વિપુલકુમાર રમેશભાઈ રાવળે છૂટાછેડાની ઉજવણી કરી હતી. વિપુલકુમાર  રાવળે તેમના છૂટાછેડાની ઉજવણી ડીજે પાર્ટી કરીને નહીં પણ થોડી અલગ રીતે કરી હતી. છૂટાછેડા થયા બાદ દુ:ખી થવાની જગ્યાએ મોજમાં આવીને વિપુલ કુમાર રમેશભાઈ રાવળે પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. આટલું જ નહીં પણ તેમણે તેમના આ દાનની પાવતી પણ બનાવી હતી. આજકાલ આ પાવતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યારે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પાવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 


શું લખ્યું છે દાન પાવતીમાં?


વિપુલ કુમાર  રાવળની આ પાવતીનો ફોટો જોઈએ તો તેમણે જે ટ્રસ્ટમાં દાન આપ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે. ચાણસ્મા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં વિપુલભાઈ રમેશભાઈ રાવળે જીવદયા ખાતે દાન આપ્યું છે. તેમણે નામની નીચે શા માટે દાન આપ્યું તેનું કારણ આુપ્યું છે. છૂટા કર્યાની ખુશીમાં જીવદયા ખાતે દાન આપી રહ્યો છું. આમ કરીને તેમણે સાતસો પચાસ રૂપિયાનું દાન આપ્યું છે. છૂટાછેડાનો હરખ વ્યક્ત કરવાની વિપુલભાઈની રીત ખૂબ વાયરલ થઈ રહી છે. 


મહિલાએ કરાવ્યું હતું ડિવોર્સ ફોટોશૂટ


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલા પણ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈમાં રહેતી શાલિની નામની મહિલાએ તેનું 'છૂટાછેડાનું ફોટોશૂટ' કરાવ્યું છે. એટલું જ નહીં શાલિનીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના 'છૂટાછેડા ફોટોશૂટ'નો ફોટો શેર કર્યા હતા. પતિથી અલગ થયા પછી, તેણે હતાશ થવાને બદલે તેને સકારાત્મક રીતે અપનાવ્યું અને લાલ ડ્રેસમાં સજ્જ બનીને સુંદર સ્ટાઈલમાં 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ'  કરાવ્યું હતું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.