'ડિવોર્સ સેલિબ્રેશન'નો ટ્રેન્ડ વધ્યો, ચાણસ્માના યુવાને છૂટાછેડાની કાંઈક આવી રીતે કરી અનોખી ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-29 21:13:16

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. સ્રી અને પુરૂષ આ પવિત્ર સંબંધમાં બંધાઈને સાત જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપે છે.  જો કે આજના જમાનામાં આ પવિત્ર સંબંધ તુટી રહ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને રાજ્યની કોર્ટોમાં છુટાછેડાના કેસોની ભરમાર છે. ઘણીવાર જો કોઈ કપલના છુટાછેડા મંજુર થાય તો છુટા પડતા યુવક અને યુવતી તેની ઉજવણી કરતા જોવા મળે છે. આજના સમયમાં છુટાછેડાની ઉજવણી એક ફેશન બની ગઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્માના યુવાનને છૂટાછેડા મળતા તેણે તેની અનોખી રીતે ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલાએ પણ ચેન્નાઈમાં ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું, તેના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.


ચાણસ્માના યુવાને છૂટાછેડાની કરી ઉજવણી 


પાટણ જિલ્લાના ચાણસ્માના વિપુલકુમાર રમેશભાઈ રાવળે છૂટાછેડાની ઉજવણી કરી હતી. વિપુલકુમાર  રાવળે તેમના છૂટાછેડાની ઉજવણી ડીજે પાર્ટી કરીને નહીં પણ થોડી અલગ રીતે કરી હતી. છૂટાછેડા થયા બાદ દુ:ખી થવાની જગ્યાએ મોજમાં આવીને વિપુલ કુમાર રમેશભાઈ રાવળે પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. આટલું જ નહીં પણ તેમણે તેમના આ દાનની પાવતી પણ બનાવી હતી. આજકાલ આ પાવતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યારે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પાવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 


શું લખ્યું છે દાન પાવતીમાં?


વિપુલ કુમાર  રાવળની આ પાવતીનો ફોટો જોઈએ તો તેમણે જે ટ્રસ્ટમાં દાન આપ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે. ચાણસ્મા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં વિપુલભાઈ રમેશભાઈ રાવળે જીવદયા ખાતે દાન આપ્યું છે. તેમણે નામની નીચે શા માટે દાન આપ્યું તેનું કારણ આુપ્યું છે. છૂટા કર્યાની ખુશીમાં જીવદયા ખાતે દાન આપી રહ્યો છું. આમ કરીને તેમણે સાતસો પચાસ રૂપિયાનું દાન આપ્યું છે. છૂટાછેડાનો હરખ વ્યક્ત કરવાની વિપુલભાઈની રીત ખૂબ વાયરલ થઈ રહી છે. 


મહિલાએ કરાવ્યું હતું ડિવોર્સ ફોટોશૂટ


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલા પણ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈમાં રહેતી શાલિની નામની મહિલાએ તેનું 'છૂટાછેડાનું ફોટોશૂટ' કરાવ્યું છે. એટલું જ નહીં શાલિનીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના 'છૂટાછેડા ફોટોશૂટ'નો ફોટો શેર કર્યા હતા. પતિથી અલગ થયા પછી, તેણે હતાશ થવાને બદલે તેને સકારાત્મક રીતે અપનાવ્યું અને લાલ ડ્રેસમાં સજ્જ બનીને સુંદર સ્ટાઈલમાં 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ'  કરાવ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.