Diwali Celebration : Amreli જિલ્લાના સાવરકુંડલામાં કંઈક આવી રીતે ઉજવાય છે દિવાળી, લોકો એકબીજા પર ફેંકે છે ફટાકડા!


  • Published By :
  • Published Date : 2023-11-13 13:29:56

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે આપણે ફટાકડા રસ્તા પર રાખીને ફોડતા હોઈએ છીએ પરંતુ આ જગ્યા પર તો ફટાકડા ફેંકવામાં આવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. આગના ગોળા સામ સામે ફેંકવામાં આવે છે. 

ઈંગોરીયા નામનો ફટાકડો લોકો એકબીજા પર ફેંકે છે!

દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. કોઈ મીઠાઈ ખાઈને તહેવાર મનાવે છે તો કોઈ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ગુજરાતના અમરેલીમાં કંઈ અલગ રીતે દિવાળીની ઉજવણી થાય છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરીયાનું યુદ્ધ. 


આગના ગોળાથી આકાશમાં જામે છે આતિશબાજી 

તહેવારની ઉજવણી દરમિયાન સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા આ પરંપરા.આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવે છે....ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે. ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધમાં ભાગ લે છે અને ઈંગોરીયા રમે છે

 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."