Diwali Celebration : Amreli જિલ્લાના સાવરકુંડલામાં કંઈક આવી રીતે ઉજવાય છે દિવાળી, લોકો એકબીજા પર ફેંકે છે ફટાકડા!


  • Published By :
  • Published Date : 2023-11-13 13:29:56

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે આપણે ફટાકડા રસ્તા પર રાખીને ફોડતા હોઈએ છીએ પરંતુ આ જગ્યા પર તો ફટાકડા ફેંકવામાં આવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. આગના ગોળા સામ સામે ફેંકવામાં આવે છે. 

ઈંગોરીયા નામનો ફટાકડો લોકો એકબીજા પર ફેંકે છે!

દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. કોઈ મીઠાઈ ખાઈને તહેવાર મનાવે છે તો કોઈ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ગુજરાતના અમરેલીમાં કંઈ અલગ રીતે દિવાળીની ઉજવણી થાય છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરીયાનું યુદ્ધ. 


આગના ગોળાથી આકાશમાં જામે છે આતિશબાજી 

તહેવારની ઉજવણી દરમિયાન સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા આ પરંપરા.આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવે છે....ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે. ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધમાં ભાગ લે છે અને ઈંગોરીયા રમે છે

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.