Diwali Celebration : Amreli જિલ્લાના સાવરકુંડલામાં કંઈક આવી રીતે ઉજવાય છે દિવાળી, લોકો એકબીજા પર ફેંકે છે ફટાકડા!


  • Published By :
  • Published Date : 2023-11-13 13:29:56

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે આપણે ફટાકડા રસ્તા પર રાખીને ફોડતા હોઈએ છીએ પરંતુ આ જગ્યા પર તો ફટાકડા ફેંકવામાં આવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. આગના ગોળા સામ સામે ફેંકવામાં આવે છે. 

ઈંગોરીયા નામનો ફટાકડો લોકો એકબીજા પર ફેંકે છે!

દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. કોઈ મીઠાઈ ખાઈને તહેવાર મનાવે છે તો કોઈ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ગુજરાતના અમરેલીમાં કંઈ અલગ રીતે દિવાળીની ઉજવણી થાય છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરીયાનું યુદ્ધ. 


આગના ગોળાથી આકાશમાં જામે છે આતિશબાજી 

તહેવારની ઉજવણી દરમિયાન સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા આ પરંપરા.આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવે છે....ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે. ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધમાં ભાગ લે છે અને ઈંગોરીયા રમે છે

 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.