Diwali Celebration : Amreli જિલ્લાના સાવરકુંડલામાં કંઈક આવી રીતે ઉજવાય છે દિવાળી, લોકો એકબીજા પર ફેંકે છે ફટાકડા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 13:29:56

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે. સામાન્ય રીતે આપણે ફટાકડા રસ્તા પર રાખીને ફોડતા હોઈએ છીએ પરંતુ આ જગ્યા પર તો ફટાકડા ફેંકવામાં આવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. આગના ગોળા સામ સામે ફેંકવામાં આવે છે. 

ઈંગોરીયા નામનો ફટાકડો લોકો એકબીજા પર ફેંકે છે!

દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. કોઈ મીઠાઈ ખાઈને તહેવાર મનાવે છે તો કોઈ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ ગુજરાતના અમરેલીમાં કંઈ અલગ રીતે દિવાળીની ઉજવણી થાય છે. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરીયાનું યુદ્ધ. 


આગના ગોળાથી આકાશમાં જામે છે આતિશબાજી 

તહેવારની ઉજવણી દરમિયાન સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા આ પરંપરા.આજકાલથી નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવે છે....ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે. ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધમાં ભાગ લે છે અને ઈંગોરીયા રમે છે

 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે