દિવાળીનો તહેવાર GSRTCને ફળ્યો, એસ.ટી નિગમે રૂ. 7 કરોડથી વધુની કરી કમાણી


  • Published By :
  • Published Date : 2023-11-16 21:34:12

રાજ્યમાં તહેવારોની સીઝન પુરી થઈ છે, મોટી સંખ્યામાં લોકોએ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા માટે વતન તરફ પ્રયાણ કર્યું હતું. આ તહેવારો ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. રાજ્યમાં સૌ વધુ કમાણી સુરત ડેપોએ કરી હતી.દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ તરફથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સુરત એસટીની તિજોરી છલકાઇ ગઇ હતી.


સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક


દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.  દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી. દિવાળી સમયે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા હોવાથી લોકોએ સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે જેથી એસટી વિભાગને કરોડોની આવક થઇ છે. આ વર્ષે સુરત એસટીના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આવક થઈ છે


ઓનલાઇન બુકિંગ એક લાખને પાર


ગુજરાત એસટી નિગમે રોકડમાં ટિકિટ વેચાણમાં જ નહીં ઓનલાઈન ટીકીટ બુકિંગમાં પણ નવો રેકોર્ડ સર્જ્યો હતો. 7 અને 15 નવેમ્બરે 1 લાખથી વધારે ટિકિટનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં 50 હજારથી 60 હજાર ટિકિટ બુક થતી હોય છે પરંતુ આ બંને દિવસ દરમિયાન ઓનલાઇન બુકિંગનો આંકડો એક લાખથી વધારે પહોંચ્યો હતો. દેશભરના પરિવહન સેવાની બસોમાં પ્રવાસ માટે એક જ દિવસમાં સૌથી વધારે ટિકિટ બુકિંગ બાબતે પણ રેકોર્ડ બન્યો હતો. 7 અને 15 નવેમ્બરના રોજ 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ જ્યારે 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઇ હતી જ્યારે દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા સંચાલનમાં પણ એસટી નિગમને 7 કરોડથી વધુની આવક થઈ હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.