ST વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યો, સ્પેશિયલ બસને કારણે વિભાગને થઈ કરોડોની બમ્પર આવક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 17:58:26

દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે લોકો પોતાના વતન જતા હોય છે. રોજીરોટી માટે પોતાનું વતન છોડી લોકો શહેરમાં આવી મહેનત કરે છે. તેઓ તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તે માટે દિવાળીના દિવસો દરમિયાન, હોળી,છઠ્ઠના દિવસો દરમિયાન પોતાના ઘરે જતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાના ઘરે જઈ શકે તે માટે વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એસટી બસોની ખાસ વ્યવસ્થા તહેવારને ધ્યાનમાં રાખી કરાઈ હતી. દિવાળી દરમિયાન એસટી વિભાગને સારી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને અંદાજે 3.60 કરોડની કમાણી કરી છે. વધુ મળેલી માહિતી અનુસાર એક્સ્ટ્રા બસને કારણે એસટી વિભાગને 48 કરોડથી વધારેની કમાણી થઈ છે. 

રક્ષાબંધન માટે એસટી વિભાગ 500 થી વધુ બસો દોડાવશે | Sandesh

વડોદરા એસટી વિભાગને થઈ કરોડોની કમાણી! 

તહેવારને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી હતી. 1000થી વધારે બસો મુકવામાં આવી હતી. લોકો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન વડીલો આશીર્વાદ આપતા હોય છે કે આ દિવાળી તમને લાભદાયી નિવડે, પૈસાની સારી કમાણી થાય! ત્યારે દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન દોડાવવામાં આવેલી સ્પેશિયલ બસને લઈ એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. વડોદરા એસટી વિભાગને પણ દિવાળીનો તહેવાર ફળ્યો. 7થી 15 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી વિશેષ બસોને કારણે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને 3 કરોડ જેટલી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે.  

Godhra ST Division started 90 extra buses on Diwali festival | દિવાળીના  તહેવારમાં ગોધરા એસટી વિભાગે 90 વધારાની બસો શરૂ કરી - Divya Bhaskar

દિવાળીના તહેવાર દરમિયાન એસટી વિભાગને થઈ 7 કરોડની કમાણી!

દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી 43 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.