ST વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યો, સ્પેશિયલ બસને કારણે વિભાગને થઈ કરોડોની બમ્પર આવક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-18 17:58:26

દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે લોકો પોતાના વતન જતા હોય છે. રોજીરોટી માટે પોતાનું વતન છોડી લોકો શહેરમાં આવી મહેનત કરે છે. તેઓ તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તે માટે દિવાળીના દિવસો દરમિયાન, હોળી,છઠ્ઠના દિવસો દરમિયાન પોતાના ઘરે જતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાના ઘરે જઈ શકે તે માટે વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એસટી બસોની ખાસ વ્યવસ્થા તહેવારને ધ્યાનમાં રાખી કરાઈ હતી. દિવાળી દરમિયાન એસટી વિભાગને સારી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને અંદાજે 3.60 કરોડની કમાણી કરી છે. વધુ મળેલી માહિતી અનુસાર એક્સ્ટ્રા બસને કારણે એસટી વિભાગને 48 કરોડથી વધારેની કમાણી થઈ છે. 

રક્ષાબંધન માટે એસટી વિભાગ 500 થી વધુ બસો દોડાવશે | Sandesh

વડોદરા એસટી વિભાગને થઈ કરોડોની કમાણી! 

તહેવારને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી હતી. 1000થી વધારે બસો મુકવામાં આવી હતી. લોકો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન વડીલો આશીર્વાદ આપતા હોય છે કે આ દિવાળી તમને લાભદાયી નિવડે, પૈસાની સારી કમાણી થાય! ત્યારે દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન દોડાવવામાં આવેલી સ્પેશિયલ બસને લઈ એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. વડોદરા એસટી વિભાગને પણ દિવાળીનો તહેવાર ફળ્યો. 7થી 15 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી વિશેષ બસોને કારણે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને 3 કરોડ જેટલી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે.  

Godhra ST Division started 90 extra buses on Diwali festival | દિવાળીના  તહેવારમાં ગોધરા એસટી વિભાગે 90 વધારાની બસો શરૂ કરી - Divya Bhaskar

દિવાળીના તહેવાર દરમિયાન એસટી વિભાગને થઈ 7 કરોડની કમાણી!

દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી 43 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.