ST વિભાગને દિવાળીનો તહેવાર ફળ્યો, સ્પેશિયલ બસને કારણે વિભાગને થઈ કરોડોની બમ્પર આવક! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 17:58:26

દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે લોકો પોતાના વતન જતા હોય છે. રોજીરોટી માટે પોતાનું વતન છોડી લોકો શહેરમાં આવી મહેનત કરે છે. તેઓ તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તે માટે દિવાળીના દિવસો દરમિયાન, હોળી,છઠ્ઠના દિવસો દરમિયાન પોતાના ઘરે જતા હોય છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાના ઘરે જઈ શકે તે માટે વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એસટી બસોની ખાસ વ્યવસ્થા તહેવારને ધ્યાનમાં રાખી કરાઈ હતી. દિવાળી દરમિયાન એસટી વિભાગને સારી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને અંદાજે 3.60 કરોડની કમાણી કરી છે. વધુ મળેલી માહિતી અનુસાર એક્સ્ટ્રા બસને કારણે એસટી વિભાગને 48 કરોડથી વધારેની કમાણી થઈ છે. 

રક્ષાબંધન માટે એસટી વિભાગ 500 થી વધુ બસો દોડાવશે | Sandesh

વડોદરા એસટી વિભાગને થઈ કરોડોની કમાણી! 

તહેવારને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી હતી. 1000થી વધારે બસો મુકવામાં આવી હતી. લોકો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન વડીલો આશીર્વાદ આપતા હોય છે કે આ દિવાળી તમને લાભદાયી નિવડે, પૈસાની સારી કમાણી થાય! ત્યારે દિવાળીનો તહેવાર એસટી વિભાગને ફળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન દોડાવવામાં આવેલી સ્પેશિયલ બસને લઈ એસટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. વડોદરા એસટી વિભાગને પણ દિવાળીનો તહેવાર ફળ્યો. 7થી 15 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી વિશેષ બસોને કારણે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને 3 કરોડ જેટલી કમાણી થઈ છે તેવી માહિતી સામે આવી છે.  

Godhra ST Division started 90 extra buses on Diwali festival | દિવાળીના  તહેવારમાં ગોધરા એસટી વિભાગે 90 વધારાની બસો શરૂ કરી - Divya Bhaskar

દિવાળીના તહેવાર દરમિયાન એસટી વિભાગને થઈ 7 કરોડની કમાણી!

દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી 43 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી.



વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધ્રોલ ખાતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો...