Diwaliના ફટાકડાએ ઝેરીલી કરી Delhiની હવા, વધ્યુ પ્રદૂષણ, આતિશબાજીને કારણે એક્યુઆઈ પહોંચ્યો 900ને પાર!


  • Published By :
  • Published Date : 2023-11-13 11:33:54

પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ દિલ્હી-એનસીઆરમાં લોકોએ મનમૂકીને ફટાકડા ફોડ્યા છે. આખી રાત ફટાકડા ફોડવામાં આવ્યા છે. એક તરફ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે તો બીજી તરફ લોકોએ ફટાકડા ફોડી પ્રદૂષણનું સ્તર વધાર્યું છે તેવું કહીએ તો નવાઈ નહીં. કારણ કે દિલ્હીમાં દિવાળીની સવારે એક્યુઆઈ 200 નોંધાયું હતું જ્યારે દિવાળી વિત્યા બાદ અનેક સ્થળો પર એક્યુઆઈ 900ને પાર નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર સવારે પાંચ વાગે આનંદ વિહારમાં એક્યુઆઈ 969 નોંધાયો હતો. આ આંકડો ખતરનાક કેટેગરીમાં આવે છે.

   


ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય લોકોએ ફોડ્યા ફટાકડા!

સમગ્ર દેશમાં દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે. દિવાળીના સમય દરમિયાન આપણે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા ફોડી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ દેશના અનેક રાજ્યોમાં ધૂમ ફટાકડા ફોડવામાં આવ્યા છે અને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું સ્તર એકદમ ખરાબ થઈ ગયું છે. પ્રદૂષણને કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીવાસીઓએ ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય રાત્રે ધૂમ ફટાકડા ફોડ્યા છે. ફટાકડાને કારણે ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. 

દિલ્હીમાં ફટાકડા ફૂટયા બાદ વધ્યું વાયુ પ્રદૂષણ

દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ન માત્ર દિલ્હીમાં દેશના અનેક રાજ્યોમાં હવાની ગુણવત્તા એકદમ નીચે નોંધાઈ રહી છે. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ધણા ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે. દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણ પહેલેથી જ એક સમસ્યા હતી, વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કેવી રીતે લાવવું તે અંગે સરકાર વિચારણા કરી રહી હતી. કૃત્રિમ વરસાદ કરી પ્રદૂષણને કંટ્રોલ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વરસાદ પડ્યો અને વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં આવી ગયું. કૃત્રિમ વરસાદના વિચારને સ્થગિત રાખવામાં આવ્યો ઉપરાંત ઓડ-ઈવન ફોર્મ્યુલાને પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જે ચિંતાજનક છે.

ક્ષણિક મજા લાંબા સમયની સજામાં પરિવર્તિત થઈ શકે છે!  

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC) અનુસાર, દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. AQI માં વધારો રાત્રે 8 વાગ્યા પછી શરૂ થયો હતો અને રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે તેની ટોચે પહોંચ્યો હતો. રાતોરાત પ્રદૂષણનું સ્તર કેવી રીતે વધ્યું તે સમજવા માટે તમે આ ગ્રાફ જોઈ શકો છો. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો શેર કરવામાં આવ્યા છે જે જોઈને ખબર પડી જાય કે દિલ્હીમાં કેટલા ફટાકડા ફૂટ્યા હશે. થોડા સમયની ખુશી આગળ જતા ગંભીર અને ખરાબ પરિણામ આપી શકે છે! ફટાકડા ફોડવાની ખુશી થોડા લોકોની હોય છે પરંતુ તેનું પરિણામ દરેક લોકોને ચૂકવવું પડે છે! 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .