Diwaliના ફટાકડાએ ઝેરીલી કરી Delhiની હવા, વધ્યુ પ્રદૂષણ, આતિશબાજીને કારણે એક્યુઆઈ પહોંચ્યો 900ને પાર!


  • Published By :
  • Published Date : 2023-11-13 11:33:54

પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ દિલ્હી-એનસીઆરમાં લોકોએ મનમૂકીને ફટાકડા ફોડ્યા છે. આખી રાત ફટાકડા ફોડવામાં આવ્યા છે. એક તરફ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે તો બીજી તરફ લોકોએ ફટાકડા ફોડી પ્રદૂષણનું સ્તર વધાર્યું છે તેવું કહીએ તો નવાઈ નહીં. કારણ કે દિલ્હીમાં દિવાળીની સવારે એક્યુઆઈ 200 નોંધાયું હતું જ્યારે દિવાળી વિત્યા બાદ અનેક સ્થળો પર એક્યુઆઈ 900ને પાર નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર સવારે પાંચ વાગે આનંદ વિહારમાં એક્યુઆઈ 969 નોંધાયો હતો. આ આંકડો ખતરનાક કેટેગરીમાં આવે છે.

   


ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય લોકોએ ફોડ્યા ફટાકડા!

સમગ્ર દેશમાં દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે. દિવાળીના સમય દરમિયાન આપણે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા ફોડી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ દેશના અનેક રાજ્યોમાં ધૂમ ફટાકડા ફોડવામાં આવ્યા છે અને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું સ્તર એકદમ ખરાબ થઈ ગયું છે. પ્રદૂષણને કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીવાસીઓએ ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાંય રાત્રે ધૂમ ફટાકડા ફોડ્યા છે. ફટાકડાને કારણે ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. 

દિલ્હીમાં ફટાકડા ફૂટયા બાદ વધ્યું વાયુ પ્રદૂષણ

દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ન માત્ર દિલ્હીમાં દેશના અનેક રાજ્યોમાં હવાની ગુણવત્તા એકદમ નીચે નોંધાઈ રહી છે. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ધણા ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે. દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણ પહેલેથી જ એક સમસ્યા હતી, વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કેવી રીતે લાવવું તે અંગે સરકાર વિચારણા કરી રહી હતી. કૃત્રિમ વરસાદ કરી પ્રદૂષણને કંટ્રોલ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વરસાદ પડ્યો અને વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં આવી ગયું. કૃત્રિમ વરસાદના વિચારને સ્થગિત રાખવામાં આવ્યો ઉપરાંત ઓડ-ઈવન ફોર્મ્યુલાને પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વખત વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જે ચિંતાજનક છે.

ક્ષણિક મજા લાંબા સમયની સજામાં પરિવર્તિત થઈ શકે છે!  

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC) અનુસાર, દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. AQI માં વધારો રાત્રે 8 વાગ્યા પછી શરૂ થયો હતો અને રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે તેની ટોચે પહોંચ્યો હતો. રાતોરાત પ્રદૂષણનું સ્તર કેવી રીતે વધ્યું તે સમજવા માટે તમે આ ગ્રાફ જોઈ શકો છો. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો શેર કરવામાં આવ્યા છે જે જોઈને ખબર પડી જાય કે દિલ્હીમાં કેટલા ફટાકડા ફૂટ્યા હશે. થોડા સમયની ખુશી આગળ જતા ગંભીર અને ખરાબ પરિણામ આપી શકે છે! ફટાકડા ફોડવાની ખુશી થોડા લોકોની હોય છે પરંતુ તેનું પરિણામ દરેક લોકોને ચૂકવવું પડે છે! 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.