સુરત ST ડેપો પરથી 1000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ, 38.88 લાખ રૂપિયાની આવક


  • Published By :
  • Published Date : 2023-11-10 17:59:18

રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વરના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ ઉમટી છે. તેમાં પણ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રીકોનો ધસારો જબરદસ્ત છે. મુસાફરોનો આ ધસારો જોતા સુરત એસટી તંત્રએ  રાજ્યનાં અન્ય શહેરો માટે 1000 બસ રવાના કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 38.88 લાખ રૂપિયાની આવક થઈ છે.


શુક્રવારે 320 ગ્રૃપ અને 140 ઓનલાઈન બુકિંગ


સુરત એસટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 10 નવેમ્બર એટલે શુક્રવારે 320 ગ્રૃપ બુકિંગ છે. તેમાં 140 ઓનલાઈન બુકિંગ છે અને બાકીના કરંટ બુકિંગ છે. હજી પણ કરંટ બુકિંગ થઈ રહ્યું છે. તેના કારણે દિવસ દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 1000 બસ ઉપાડવાનું પ્લાનિંગ છે.


બે દિવસમાં બસોની 154 ટ્રીપ 


સુરત એસટીને માત્ર છેલ્લા બે દિવસમાં 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11,394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી અને 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


કયા શહેર માટે કેટલી ટ્રીપ?


ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ 1000 ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની શક્યતા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી