સુરત ST ડેપો પરથી 1000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ, 38.88 લાખ રૂપિયાની આવક


  • Published By :
  • Published Date : 2023-11-10 17:59:18

રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વરના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ ઉમટી છે. તેમાં પણ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રીકોનો ધસારો જબરદસ્ત છે. મુસાફરોનો આ ધસારો જોતા સુરત એસટી તંત્રએ  રાજ્યનાં અન્ય શહેરો માટે 1000 બસ રવાના કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 38.88 લાખ રૂપિયાની આવક થઈ છે.


શુક્રવારે 320 ગ્રૃપ અને 140 ઓનલાઈન બુકિંગ


સુરત એસટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 10 નવેમ્બર એટલે શુક્રવારે 320 ગ્રૃપ બુકિંગ છે. તેમાં 140 ઓનલાઈન બુકિંગ છે અને બાકીના કરંટ બુકિંગ છે. હજી પણ કરંટ બુકિંગ થઈ રહ્યું છે. તેના કારણે દિવસ દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 1000 બસ ઉપાડવાનું પ્લાનિંગ છે.


બે દિવસમાં બસોની 154 ટ્રીપ 


સુરત એસટીને માત્ર છેલ્લા બે દિવસમાં 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11,394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી અને 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


કયા શહેર માટે કેટલી ટ્રીપ?


ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ 1000 ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની શક્યતા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.