સુરત ST ડેપો પરથી 1000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ, 38.88 લાખ રૂપિયાની આવક


  • Published By :
  • Published Date : 2023-11-10 17:59:18

રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વરના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ ઉમટી છે. તેમાં પણ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રીકોનો ધસારો જબરદસ્ત છે. મુસાફરોનો આ ધસારો જોતા સુરત એસટી તંત્રએ  રાજ્યનાં અન્ય શહેરો માટે 1000 બસ રવાના કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 38.88 લાખ રૂપિયાની આવક થઈ છે.


શુક્રવારે 320 ગ્રૃપ અને 140 ઓનલાઈન બુકિંગ


સુરત એસટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 10 નવેમ્બર એટલે શુક્રવારે 320 ગ્રૃપ બુકિંગ છે. તેમાં 140 ઓનલાઈન બુકિંગ છે અને બાકીના કરંટ બુકિંગ છે. હજી પણ કરંટ બુકિંગ થઈ રહ્યું છે. તેના કારણે દિવસ દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 1000 બસ ઉપાડવાનું પ્લાનિંગ છે.


બે દિવસમાં બસોની 154 ટ્રીપ 


સુરત એસટીને માત્ર છેલ્લા બે દિવસમાં 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11,394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી અને 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


કયા શહેર માટે કેટલી ટ્રીપ?


ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ 1000 ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની શક્યતા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.