સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, લક્ઝરી બસના ભાડામાં બેફામ વધારો


  • Published By :
  • Published Date : 2023-11-10 19:06:58

સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકો આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે. સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. સુરતના શહેરના હીરા ઉદ્યોગમાં લાખો લોકો કામ કરે છે. એમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગઢડા, પાલીતાણા, રાજપીપળા, ગારિયાધાર, બોટાદ વગેરે જેવા સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને વસ્યા છે. તેમનાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે. વતનથી દૂર નોકરી-ધંધા માટે સુરતમાં આવીને વસ્યા હોવાથી લોકો શાળામાં વેકેશન પડે એટલે વતન ઊપડી જાય છે. 


સૌરાષ્ટ્રવાસીઓનું વતન તરફ પ્રયાણ


સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, જેને લઈને વહેલું વેકેશન પડી ગયું છે અને ક્યારે ખુલશે તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી વરાછા રોડ, કતારગામ, અશ્વિનીકુમાર રોડ, વેડ રોડ, કાપોદ્રા વગેરે વિસ્તારોમાં કારખાનાઓ બંધ થઈ ગયા છે એટલે આ વિસ્તારો સુનકાર જેવા થઈ ગયા છે. ગત રોજથી મોટા પ્રમાણમાં લોકો વતનની વાટ પકડી છે. જેના લઈને દિવાળી પહેલા જ સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તાર તો સુમસાન જ થઈ જશે. અમરોલી, કતારગામથી ઉપડેલી બસો વરાછા, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા, પ્રાણી સંગ્રાહાલય, શ્યામધામ અને છેલ્લે કામરેજ સ્ટોપ કર્યો હતો. દરેક જગ્યા પર વતન જવા માટે લોકોનો મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ લોકોની ભીડ નાના વરાછા ખાતે જોવા મળી હતી. નાના વરાછાના ઢાળથી લઈને સીમાડા નાકા સુધી લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. એક સમયે તો આ રોડ પર એક સાથે 10થી વધુ બસોનો ખડકલો થઈ ગયો હતો.


ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ


સુરતમાં દર વખતની જેમ આ વખતે પણ પ્રાઈવેટ બસ સંચાલકોએ લૂંટવાના ધંધા શરૂ કરી દીધા છે અને ભાવ સીધા ડબલ કરી નાખ્યા છે. લોકો પણ મજબૂરીનો ભોગ બનીને પૈસા આપી રહ્યા છે. એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવી છે પણ તે પહોંચી વળે તેવી સ્થિતિ દેખાતી નથી. સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના ઘરે વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા લોકોની સંખ્યા વધારે છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા ડબલ કરી દેવામાં આવ્યો છે. જે રેગ્યુલર દિવસોમાં 600 ટિકિટ હતી તે હાલ 1200થી લઈને 1400 સુધી કરી દેવામાં આવી છે. આ અંગે મુસાફરો પણ કહે છે કે ટિકિટના દરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રિટર્ન બસો પણ ચલાવવામાં આવે છે. જેથી સુરતના ઘસારાને પહોંચી શકાય. રાત્રે ઉપડેલી જે બસ સવારે સૌરાષ્ટ્ર પહોંચે છે તે પરત રાત્રે સુરત આવી જાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.