સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, લક્ઝરી બસના ભાડામાં બેફામ વધારો


  • Published By :
  • Published Date : 2023-11-10 19:06:58

સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસ સંચાલકો આડેધડ લૂંટ ચલાવી રહ્યા છે. સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. સુરતના શહેરના હીરા ઉદ્યોગમાં લાખો લોકો કામ કરે છે. એમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગઢડા, પાલીતાણા, રાજપીપળા, ગારિયાધાર, બોટાદ વગેરે જેવા સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને વસ્યા છે. તેમનાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે. વતનથી દૂર નોકરી-ધંધા માટે સુરતમાં આવીને વસ્યા હોવાથી લોકો શાળામાં વેકેશન પડે એટલે વતન ઊપડી જાય છે. 


સૌરાષ્ટ્રવાસીઓનું વતન તરફ પ્રયાણ


સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, જેને લઈને વહેલું વેકેશન પડી ગયું છે અને ક્યારે ખુલશે તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી વરાછા રોડ, કતારગામ, અશ્વિનીકુમાર રોડ, વેડ રોડ, કાપોદ્રા વગેરે વિસ્તારોમાં કારખાનાઓ બંધ થઈ ગયા છે એટલે આ વિસ્તારો સુનકાર જેવા થઈ ગયા છે. ગત રોજથી મોટા પ્રમાણમાં લોકો વતનની વાટ પકડી છે. જેના લઈને દિવાળી પહેલા જ સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તાર તો સુમસાન જ થઈ જશે. અમરોલી, કતારગામથી ઉપડેલી બસો વરાછા, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા, પ્રાણી સંગ્રાહાલય, શ્યામધામ અને છેલ્લે કામરેજ સ્ટોપ કર્યો હતો. દરેક જગ્યા પર વતન જવા માટે લોકોનો મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ લોકોની ભીડ નાના વરાછા ખાતે જોવા મળી હતી. નાના વરાછાના ઢાળથી લઈને સીમાડા નાકા સુધી લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. એક સમયે તો આ રોડ પર એક સાથે 10થી વધુ બસોનો ખડકલો થઈ ગયો હતો.


ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ


સુરતમાં દર વખતની જેમ આ વખતે પણ પ્રાઈવેટ બસ સંચાલકોએ લૂંટવાના ધંધા શરૂ કરી દીધા છે અને ભાવ સીધા ડબલ કરી નાખ્યા છે. લોકો પણ મજબૂરીનો ભોગ બનીને પૈસા આપી રહ્યા છે. એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવી છે પણ તે પહોંચી વળે તેવી સ્થિતિ દેખાતી નથી. સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના ઘરે વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા લોકોની સંખ્યા વધારે છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા ડબલ કરી દેવામાં આવ્યો છે. જે રેગ્યુલર દિવસોમાં 600 ટિકિટ હતી તે હાલ 1200થી લઈને 1400 સુધી કરી દેવામાં આવી છે. આ અંગે મુસાફરો પણ કહે છે કે ટિકિટના દરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રિટર્ન બસો પણ ચલાવવામાં આવે છે. જેથી સુરતના ઘસારાને પહોંચી શકાય. રાત્રે ઉપડેલી જે બસ સવારે સૌરાષ્ટ્ર પહોંચે છે તે પરત રાત્રે સુરત આવી જાય છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .