દિવાળી ટાણે ખાનગી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ, ST વિભાગે શરૂ કરી 150 જેટલી વધારાની ટ્રીપ


  • Published By :
  • Published Date : 2023-11-07 22:29:07

રાજ્યમાં દિવાળીના તહેવારને જુજ દિવસો રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અંકલેશ્નર સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર વતનના ગામમાં મનાવવા ઈચ્છતા આ લોકો પાસેથી ખાનગી ખાનગી બસના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. લોકોની મજબુરીનો લાભ ઉઠાવતા આ લેભાગુ ખાનગી બસના સંચાલકોએ અચાનક જ ભાડા વધારી દીધા છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ ખાનગી બસ સંચાલકોને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જો કે આ ખાનગી બસ સંચાલકોએ હર્ષ સંઘવીની ચીમકીની પણ ઐસીતૈસી કરીને બેફામ ભાડું વસૂલી રહ્યા છે. આ પરિસ્થીતીમાં મુસાફરોને લૂંટતા બચાવવા રાજ્ય સરકારના એસ ટી નિગમે પહેલ કરી છે.


150 જેટલી વધારાની ટ્રીપ શરૂ 


ગુજરાતમાં દિવાળી ટાણે મુસાફરોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણે એસટી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટથી રાજ્યના અલગ અલગ મોટા શહેરો અને જિલ્લાઓમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઈને એસટી વિભાગે 150 જેટલી વધારાની ટ્રીપ શરૂ કરી છે. પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં વતનના ગામ જતા લોકોને આર્થિક બોજ ન પડે તે માટે એસટી બસમાં એડવાન્સ બુકિંગ 1200 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરતથી રાજકોટ માટે ખાનગી બસ દ્વારા 2400 રૂપિયા સુધીનું ભાડુ વસૂલવામાં આવે છે. 


અમદાવાદ-સુરતનું ભાડું પણ વધ્યું


અમદાવાદ જવા અને આવવા માટે સરકારી વોલ્વો એસી બસનું ભાડું 520 રૂપિયા છે જે ખાનગી બસમાં 1100 સુધી પહોંચી ગયું છે. આમ ખાનગી બસ સેવાના ડબલ ભાડાને પગલે એસટી બસ ડેપો ઉપર ટ્રાફિક હાઉસફુલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ટ્રાફિક ચિક્કાર થવાનો છે. હાલ તો મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં એડવાન્સ ટીકીટ પણ ખૂટી પડે તેવું લાગી રહ્યું છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?


દિવાળીના તહેવારમાં સુરત તરફથી સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતનમાં આવતા હોય છે અને લોકો ફરવા પણ જતા હોય છે ત્યારે લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. તહેવારના સમયે ચિક્કાર ભીડ રહેતી હોવાથી ખાનગી વાહન ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોય છે અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય તેવા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોને બેફામ ઉઘરાણા બંધ કરવા ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી. નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.