દિવાળી ટાણે ખાનગી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ, ST વિભાગે શરૂ કરી 150 જેટલી વધારાની ટ્રીપ


  • Published By :
  • Published Date : 2023-11-07 22:29:07

રાજ્યમાં દિવાળીના તહેવારને જુજ દિવસો રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અંકલેશ્નર સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર વતનના ગામમાં મનાવવા ઈચ્છતા આ લોકો પાસેથી ખાનગી ખાનગી બસના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. લોકોની મજબુરીનો લાભ ઉઠાવતા આ લેભાગુ ખાનગી બસના સંચાલકોએ અચાનક જ ભાડા વધારી દીધા છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ ખાનગી બસ સંચાલકોને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જો કે આ ખાનગી બસ સંચાલકોએ હર્ષ સંઘવીની ચીમકીની પણ ઐસીતૈસી કરીને બેફામ ભાડું વસૂલી રહ્યા છે. આ પરિસ્થીતીમાં મુસાફરોને લૂંટતા બચાવવા રાજ્ય સરકારના એસ ટી નિગમે પહેલ કરી છે.


150 જેટલી વધારાની ટ્રીપ શરૂ 


ગુજરાતમાં દિવાળી ટાણે મુસાફરોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણે એસટી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટથી રાજ્યના અલગ અલગ મોટા શહેરો અને જિલ્લાઓમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઈને એસટી વિભાગે 150 જેટલી વધારાની ટ્રીપ શરૂ કરી છે. પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં વતનના ગામ જતા લોકોને આર્થિક બોજ ન પડે તે માટે એસટી બસમાં એડવાન્સ બુકિંગ 1200 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરતથી રાજકોટ માટે ખાનગી બસ દ્વારા 2400 રૂપિયા સુધીનું ભાડુ વસૂલવામાં આવે છે. 


અમદાવાદ-સુરતનું ભાડું પણ વધ્યું


અમદાવાદ જવા અને આવવા માટે સરકારી વોલ્વો એસી બસનું ભાડું 520 રૂપિયા છે જે ખાનગી બસમાં 1100 સુધી પહોંચી ગયું છે. આમ ખાનગી બસ સેવાના ડબલ ભાડાને પગલે એસટી બસ ડેપો ઉપર ટ્રાફિક હાઉસફુલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ટ્રાફિક ચિક્કાર થવાનો છે. હાલ તો મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં એડવાન્સ ટીકીટ પણ ખૂટી પડે તેવું લાગી રહ્યું છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?


દિવાળીના તહેવારમાં સુરત તરફથી સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતનમાં આવતા હોય છે અને લોકો ફરવા પણ જતા હોય છે ત્યારે લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. તહેવારના સમયે ચિક્કાર ભીડ રહેતી હોવાથી ખાનગી વાહન ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોય છે અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય તેવા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોને બેફામ ઉઘરાણા બંધ કરવા ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી. નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.