DMK સાંસદના 'ગૌમૂત્ર' રાજ્યોવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, ભાજપ સાથે કોંગ્રેસે પણ સેંથિલ કુમાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-05 22:18:42

આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ - 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ - 2023 રજૂ કર્યા હતા. આ દરમિયાન તમિલનાડુના ધર્મપુરીના ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસ. એ હિન્દી બેલ્ટના રાજ્યોને 'ગૌમૂત્ર' રાજ્યો ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું, કે "આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં જ ચૂંટણી જીતવામાં છે, જેને અમે સામાન્ય રીતે 'ગૌમૂત્ર' રાજ્યો કહીએ છીએ. તમે દક્ષિણ ભારતના રાજ્યોમાં સત્તામાં નથી આવી શક્તા. તેમણે વધુમાં કહ્યું, "તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં શું થયું તે તમે જોયું. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ."


ભાજપે વળતો પ્રહાર કર્યો


આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને સનાતન અને સનાતની પરંપરાનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે દેશ આ પ્રકારનું અપમાન બિલકુલ સહન કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે હવે કદાચ DMK પણ સમજી જશે કે ગૌમૂત્રના ફાયદા શું છે કારણ કે જે કોઈ દેશની આસ્થા સાથે રમત  રમશે, દેશની જનતા એક થઈને તેને જડબાતોડ જવાબ આપશે.


કોંગ્રેસે પણ નિવેદનને વખોડ્યું


આ સિવાય કોંગ્રેસે ડીએમકે સાંસદ  સેંથિલકુમારના નિવેદનને વખોડ્યું હતું, ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ માફીની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા પ્રોમદ ક્રિષ્નમે કહ્યું કે જો ડીએમકેના નેતાઓ આવું જ વર્તન કરવાનું ચાલુ રાખશે અને સનાતન ધર્મ વિરુદ્ધ આવી વાહિયાત વાતો કરતા રહેશે, તો ભાજપનો ઝંડો માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ નહીં પણ સાંઢ રાજ્યોમાં પણ લહેરાતો જોવા મળશે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..