DMK સાંસદના 'ગૌમૂત્ર' રાજ્યોવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, ભાજપ સાથે કોંગ્રેસે પણ સેંથિલ કુમાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-05 22:18:42

આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ - 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ - 2023 રજૂ કર્યા હતા. આ દરમિયાન તમિલનાડુના ધર્મપુરીના ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસ. એ હિન્દી બેલ્ટના રાજ્યોને 'ગૌમૂત્ર' રાજ્યો ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું, કે "આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં જ ચૂંટણી જીતવામાં છે, જેને અમે સામાન્ય રીતે 'ગૌમૂત્ર' રાજ્યો કહીએ છીએ. તમે દક્ષિણ ભારતના રાજ્યોમાં સત્તામાં નથી આવી શક્તા. તેમણે વધુમાં કહ્યું, "તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં શું થયું તે તમે જોયું. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ."


ભાજપે વળતો પ્રહાર કર્યો


આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને સનાતન અને સનાતની પરંપરાનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે દેશ આ પ્રકારનું અપમાન બિલકુલ સહન કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે હવે કદાચ DMK પણ સમજી જશે કે ગૌમૂત્રના ફાયદા શું છે કારણ કે જે કોઈ દેશની આસ્થા સાથે રમત  રમશે, દેશની જનતા એક થઈને તેને જડબાતોડ જવાબ આપશે.


કોંગ્રેસે પણ નિવેદનને વખોડ્યું


આ સિવાય કોંગ્રેસે ડીએમકે સાંસદ  સેંથિલકુમારના નિવેદનને વખોડ્યું હતું, ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ માફીની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા પ્રોમદ ક્રિષ્નમે કહ્યું કે જો ડીએમકેના નેતાઓ આવું જ વર્તન કરવાનું ચાલુ રાખશે અને સનાતન ધર્મ વિરુદ્ધ આવી વાહિયાત વાતો કરતા રહેશે, તો ભાજપનો ઝંડો માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ નહીં પણ સાંઢ રાજ્યોમાં પણ લહેરાતો જોવા મળશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.