DMK સાંસદના 'ગૌમૂત્ર' રાજ્યોવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું, ભાજપ સાથે કોંગ્રેસે પણ સેંથિલ કુમાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-05 22:18:42

આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ હતો. મંગળવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ - 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ - 2023 રજૂ કર્યા હતા. આ દરમિયાન તમિલનાડુના ધર્મપુરીના ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમાર એસ. એ હિન્દી બેલ્ટના રાજ્યોને 'ગૌમૂત્ર' રાજ્યો ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું, કે "આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં જ ચૂંટણી જીતવામાં છે, જેને અમે સામાન્ય રીતે 'ગૌમૂત્ર' રાજ્યો કહીએ છીએ. તમે દક્ષિણ ભારતના રાજ્યોમાં સત્તામાં નથી આવી શક્તા. તેમણે વધુમાં કહ્યું, "તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં શું થયું તે તમે જોયું. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ."


ભાજપે વળતો પ્રહાર કર્યો


આ નિવેદન બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને સનાતન અને સનાતની પરંપરાનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે દેશ આ પ્રકારનું અપમાન બિલકુલ સહન કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે હવે કદાચ DMK પણ સમજી જશે કે ગૌમૂત્રના ફાયદા શું છે કારણ કે જે કોઈ દેશની આસ્થા સાથે રમત  રમશે, દેશની જનતા એક થઈને તેને જડબાતોડ જવાબ આપશે.


કોંગ્રેસે પણ નિવેદનને વખોડ્યું


આ સિવાય કોંગ્રેસે ડીએમકે સાંસદ  સેંથિલકુમારના નિવેદનને વખોડ્યું હતું, ચિદમ્બરમ સહિત અનેક નેતાઓએ માફીની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા પ્રોમદ ક્રિષ્નમે કહ્યું કે જો ડીએમકેના નેતાઓ આવું જ વર્તન કરવાનું ચાલુ રાખશે અને સનાતન ધર્મ વિરુદ્ધ આવી વાહિયાત વાતો કરતા રહેશે, તો ભાજપનો ઝંડો માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ નહીં પણ સાંઢ રાજ્યોમાં પણ લહેરાતો જોવા મળશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.