શું ટ્રાફિકના નિયમો પોલીસ પર લાગુ નથી થતા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત પોલીસ અધિકારીનો વીડિયો!


  • Published By :
  • Published Date : 2023-07-29 12:42:48

સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો આપણને જોવા મળતા હોય છે. એ વીડિયો જોઈને આપણે અનેક વખત કહેતા હોઈશું કે આમને તો પોલીસને હવાલે કરી દેવા જોઈએ. પોલીસ જ તેમને કાયદાનું ભાન કરાવશે. પરંતુ જો પોલીસ જ કાયદાનો ભંગ કરતી દેખાય તો? નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. કાયદાનું પાલન થાય તે માટે પોલીસ કટિબદ્ધ હોય છે પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરે તો? પોલીસનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વર્ધી પહેરેલા પોલીસ કર્મી છુટ્ટા હાથે બાઈક ચલાવી વટ પાડી રહ્યા છે.  

પોલીસ જ કાયદાનો ભંગ કરે તો? 

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ સ્ટંટબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાયદાનું ભાન લોકોને થાય તે માટે પોલીસ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ સામાન્ય માણસને આપણે સ્ટંટ કરતા જોઈએ છીએ તો આપણે કહેતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે પોલીસ જ આવા લોકોને સીધા કરી શકે છે. પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે? 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો પોલીસકર્મીનો સ્ટંટ કરતો વીડિયો 

સુરત પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વર્ધીમાં પોલીસ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતી દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ખુબ ટિકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે રીતે પોલીસ દ્વારા સામાન્ય લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, તેવી કાર્યવાહી શું પોલીસ આ પોલીસકર્મી વિરૂદ્ધ લેશે જે કાયદાનો ભંગ કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. પોલીસકર્મી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે. 


પોલીસ તંત્ર દ્વારા લેવાશે કોઈ પગલા?  

મહત્વનું છે અનેક વખત પોલીસની બેવડીનીતિ પર સવાલો ઉઠતા રહે છે. જે કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કરવી જોઈએ તેવી કાર્યવાહી સામાન્ય લોકો વિરૂદ્ધ કરવામાં આવે છે. અનેક વખત પોલીસ કાયદો પોતાના હાથમાં લેતા દેખાય છે તો કોઈ વખત જાણે ન્યાય કરવાની જવાબદારી તેવી રીતે તે કામ કરતા હોય છે. ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન  ઉઠી રહ્યો છે કે શું આ પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે આ વખતે પણ પોલીસ આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું...     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.