શું ટ્રાફિકના નિયમો પોલીસ પર લાગુ નથી થતા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત પોલીસ અધિકારીનો વીડિયો!


  • Published By :
  • Published Date : 2023-07-29 12:42:48

સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો આપણને જોવા મળતા હોય છે. એ વીડિયો જોઈને આપણે અનેક વખત કહેતા હોઈશું કે આમને તો પોલીસને હવાલે કરી દેવા જોઈએ. પોલીસ જ તેમને કાયદાનું ભાન કરાવશે. પરંતુ જો પોલીસ જ કાયદાનો ભંગ કરતી દેખાય તો? નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. કાયદાનું પાલન થાય તે માટે પોલીસ કટિબદ્ધ હોય છે પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરે તો? પોલીસનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વર્ધી પહેરેલા પોલીસ કર્મી છુટ્ટા હાથે બાઈક ચલાવી વટ પાડી રહ્યા છે.  

પોલીસ જ કાયદાનો ભંગ કરે તો? 

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ સ્ટંટબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાયદાનું ભાન લોકોને થાય તે માટે પોલીસ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ સામાન્ય માણસને આપણે સ્ટંટ કરતા જોઈએ છીએ તો આપણે કહેતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે પોલીસ જ આવા લોકોને સીધા કરી શકે છે. પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે? 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો પોલીસકર્મીનો સ્ટંટ કરતો વીડિયો 

સુરત પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વર્ધીમાં પોલીસ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતી દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ખુબ ટિકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે રીતે પોલીસ દ્વારા સામાન્ય લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, તેવી કાર્યવાહી શું પોલીસ આ પોલીસકર્મી વિરૂદ્ધ લેશે જે કાયદાનો ભંગ કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. પોલીસકર્મી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે. 


પોલીસ તંત્ર દ્વારા લેવાશે કોઈ પગલા?  

મહત્વનું છે અનેક વખત પોલીસની બેવડીનીતિ પર સવાલો ઉઠતા રહે છે. જે કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કરવી જોઈએ તેવી કાર્યવાહી સામાન્ય લોકો વિરૂદ્ધ કરવામાં આવે છે. અનેક વખત પોલીસ કાયદો પોતાના હાથમાં લેતા દેખાય છે તો કોઈ વખત જાણે ન્યાય કરવાની જવાબદારી તેવી રીતે તે કામ કરતા હોય છે. ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન  ઉઠી રહ્યો છે કે શું આ પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે આ વખતે પણ પોલીસ આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું...     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.