શું ટ્રાફિકના નિયમો પોલીસ પર લાગુ નથી થતા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત પોલીસ અધિકારીનો વીડિયો!


  • Published By :
  • Published Date : 2023-07-29 12:42:48

સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો આપણને જોવા મળતા હોય છે. એ વીડિયો જોઈને આપણે અનેક વખત કહેતા હોઈશું કે આમને તો પોલીસને હવાલે કરી દેવા જોઈએ. પોલીસ જ તેમને કાયદાનું ભાન કરાવશે. પરંતુ જો પોલીસ જ કાયદાનો ભંગ કરતી દેખાય તો? નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. કાયદાનું પાલન થાય તે માટે પોલીસ કટિબદ્ધ હોય છે પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરે તો? પોલીસનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વર્ધી પહેરેલા પોલીસ કર્મી છુટ્ટા હાથે બાઈક ચલાવી વટ પાડી રહ્યા છે.  

પોલીસ જ કાયદાનો ભંગ કરે તો? 

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ સ્ટંટબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાયદાનું ભાન લોકોને થાય તે માટે પોલીસ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ સામાન્ય માણસને આપણે સ્ટંટ કરતા જોઈએ છીએ તો આપણે કહેતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે પોલીસ જ આવા લોકોને સીધા કરી શકે છે. પરંતુ પોલીસ જ જો કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કોણ કરશે? 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો પોલીસકર્મીનો સ્ટંટ કરતો વીડિયો 

સુરત પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વર્ધીમાં પોલીસ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતી દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની ખુબ ટિકા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે રીતે પોલીસ દ્વારા સામાન્ય લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, તેવી કાર્યવાહી શું પોલીસ આ પોલીસકર્મી વિરૂદ્ધ લેશે જે કાયદાનો ભંગ કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. પોલીસકર્મી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે. 


પોલીસ તંત્ર દ્વારા લેવાશે કોઈ પગલા?  

મહત્વનું છે અનેક વખત પોલીસની બેવડીનીતિ પર સવાલો ઉઠતા રહે છે. જે કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કરવી જોઈએ તેવી કાર્યવાહી સામાન્ય લોકો વિરૂદ્ધ કરવામાં આવે છે. અનેક વખત પોલીસ કાયદો પોતાના હાથમાં લેતા દેખાય છે તો કોઈ વખત જાણે ન્યાય કરવાની જવાબદારી તેવી રીતે તે કામ કરતા હોય છે. ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન  ઉઠી રહ્યો છે કે શું આ પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે આ વખતે પણ પોલીસ આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું...     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.