શું તમે Rage Room વિશે જાણો છો જ્યાં ગુસ્સો શાંત કરવા માટે લોકો કરે છે વસ્તુઓની તોડફોડ? જો તમને પણ ગુસ્સામાં વસ્તુ તોડવાની આદત હોય તો...


  • Published By :
  • Published Date : 2024-06-13 18:35:23

લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે.. નાની નાની વાતમાં લોકો એટલો બધો ગુસ્સો કરે છે કે વાત જ ના પૂછો.. અમુક લોકોને એટલો બધો ગુસ્સો આવતો હોય છે કે હાથમાં રહેલી વસ્તુ, આસપાસ પડેલી વસ્તુને તોડી નાખે છે.. હાથમાં જે પણ વસ્તુ હોય તેને ફેંકીને તોડી પણ દીધી હોય.. આપણે ત્યાં કહેવાય છે કે ગુસ્સો માત્ર એક ક્ષણનો હોય છે પરંતુ ગુસ્સા પછી થતો પછતાવો બહુ હોય છે.. 

ગુસ્સો શાંત થયા પછી ખબર પડે છે કે કેટલું નુકસાન કરી દીધું

તોડફોડ કર્યાની થોડી મિનિટો પછી ખબર પડે કે ભાઈ ગુસ્સામાને ગુસ્સામાં આપણે કેટલું મોટું નુકશાન કરી બેઠા? તમને થતું હશે કે અહીંયા ગુસ્સાની વાત થતી હશે પરંતુ ના અહીંયા વાત થાય છે Rage roomની જ્યાં તોડફોડ કરવા માટે વસ્તુઓ આપવામાં આવે . Rage roomમાં  જઈને તોડફોડ કર્યા પછી તમને કોઈ અફસોસ નહીં થાય કે યાર.. મે આ શું કર્યું  ???


આજકાલના લોકો થઈ ગયા છે શોર્ટ ટેમ્પર!

અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ.. Patience રાખવા જોઈએ પરંતુ આજકાલ લોકોનો સ્વભાવ શોર્ટ ટેમ્પર થઈ ગયો છે.. ગુસ્સો આપણે કોઈ બીજા પર ઉતારી દેતા હોઈએ છીએ, કોઈ માણસ પર કોઈ વસ્તુ પર... આ ગુસ્સો ઉતારવા Rage Room જેવી સુવિધાઓ આવી ગઈ છે.. આ Rage Room ગુસ્સો ઉતારવા માટેનો રૂમ છે. લોકો frustrate થાય છે, શોર્ટ ટેમ્પર થાય છે અને ગુસ્સાને સહન ન કરી શકનારા લોકો ગુસ્સામાં ને ગુસ્સામાં તોડફોડ કરતાં હોય છે.. 



Rage Roomમાં તમે ગુસ્સો કાઢી શકો છો. 

ગુસ્સામાં આપણે કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ તેની ખબર આપણો ગુસ્સો શાંત થાય તે બાદ ખબર પડતી હોય છે.. આવાં કેટલાક કેસમાં તોડફોડ કરવાની આદત ધરાવતા લોકોને જોતા  ધીરે ધીરે ભારતમાં પણ Rage Room બની રહ્યાં છે.. Rage Room,જેને Smash room કે અથવા anger room તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રૂમ છે તમે તમારો ગુસ્સો કાઢી શકો છે.. નિર્જીવ વસ્તુઓ પર તમે ગુસ્સો કાઢી શકો છો.. 



તોડવા માટે અનેક વસ્તુઓ મુકવામાં આવતી હોય છે. 

Rage Roomમાં તોડવા માટે કાચની બોટલો, કાચની પ્લેટ,ટીવી, લેપટોપ, અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેસ્ટસ અને ફર્નિચર જેવી વસ્તુઓ મૂકવામાં આવે છે.. જેને તોડવા બેઝબોલ બેટ કે હથોડી કે કોઈ મજબૂત પાઇપ જેવી વસ્તુ મળે છે અને પછી.. પછી.. તમે તમારાં બોસને કે બ્રેકઅપ થવાના કારણને કે પછી જે તમારા ગુસ્સાની વરાળનું કારણ હોય  તેને યાદ કરીને દે ધનાધન તોડ ફોડ કરી શકો છો... આ તોડફોડ કર્યા બાદ તમને અફસોસ પણ નહીં થાય અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.... 



વિચાર આવે કે આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા!

Rage Roomની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા વિચાર આવે કે શું આપણને આટલો બધો ગુસ્સો આવે છે? આપણે એટલા પણ સક્ષમ નથી કે ગુસ્સો સહન કરી શકીએ.. ગુસ્સો એ હદે વધી ગયો છે કે આપણે તેને કંટ્રોલ કરવા Rage Roomની જરૂરત પડે છે.. આ કોન્સેપ્ટમાં પણ તોડફોડ કરવા જુદા જુદા પેકેજ મુજબ પૈસાની જરૂર તો પાડવાની જ છે..  ત્યારે એ પ્રશ્ન પણ થાય છે કે જો કોઈ ગરીબ હોય એને શું કરવાનું ? એક જોતા આ Rage Roomનો કોન્સેપ્ટ સારો પણ છે કારણ અનેક વખત જોવામાં આવ્યું છે કે મહિલાઓ પર ગુસ્સો ઉતારવામાં આવે છે, તેમની પર હિંસા કરવામાં આવે છે. મહિલા સાથે મારપીટ કરવામાં આવે છે. 



Rage Room માત્ર ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે.. 

તોડફોડ એ માનસિક ગુસ્સાના નિયંત્રણનું કાયમી સમાધાન ક્યારેય ના બની શકે.. એ ફક્ત ક્ષણિક સહાનુભૂતિ અને ટ્રેન્ડ મુજબનું મનોરંજન છે બસ.... તે કાયમી સમાધાન નથી.. અને જે વર્ષો જૂનું અને કાયમી સમાધાન છે તે આપણે અનુસરવું નથી..  જેમ કે મૌન, યોગ,આહાર- વિહાર, વ્યાયામ કે બીજી કેટલીક સ્ટ્રેસફ્રી ટેક્નિકસ.. મહત્વનું છે કે આ માત્ર ટેમ્પરરી વિકલ્પ છે. આપણે ગુસ્સાને કંટ્રોલ કરતા શિખવું પડશે.. જો તમે પણ ગુસ્સામાં આવીને વસ્તુઓની તોડફોડ કરી હોય તો અમને કમેન્ટમાં જણાવજો,..  



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.