શું તમે Rage Room વિશે જાણો છો જ્યાં ગુસ્સો શાંત કરવા માટે લોકો કરે છે વસ્તુઓની તોડફોડ? જો તમને પણ ગુસ્સામાં વસ્તુ તોડવાની આદત હોય તો...


  • Published By :
  • Published Date : 2024-06-13 18:35:23

લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે.. નાની નાની વાતમાં લોકો એટલો બધો ગુસ્સો કરે છે કે વાત જ ના પૂછો.. અમુક લોકોને એટલો બધો ગુસ્સો આવતો હોય છે કે હાથમાં રહેલી વસ્તુ, આસપાસ પડેલી વસ્તુને તોડી નાખે છે.. હાથમાં જે પણ વસ્તુ હોય તેને ફેંકીને તોડી પણ દીધી હોય.. આપણે ત્યાં કહેવાય છે કે ગુસ્સો માત્ર એક ક્ષણનો હોય છે પરંતુ ગુસ્સા પછી થતો પછતાવો બહુ હોય છે.. 

ગુસ્સો શાંત થયા પછી ખબર પડે છે કે કેટલું નુકસાન કરી દીધું

તોડફોડ કર્યાની થોડી મિનિટો પછી ખબર પડે કે ભાઈ ગુસ્સામાને ગુસ્સામાં આપણે કેટલું મોટું નુકશાન કરી બેઠા? તમને થતું હશે કે અહીંયા ગુસ્સાની વાત થતી હશે પરંતુ ના અહીંયા વાત થાય છે Rage roomની જ્યાં તોડફોડ કરવા માટે વસ્તુઓ આપવામાં આવે . Rage roomમાં  જઈને તોડફોડ કર્યા પછી તમને કોઈ અફસોસ નહીં થાય કે યાર.. મે આ શું કર્યું  ???


આજકાલના લોકો થઈ ગયા છે શોર્ટ ટેમ્પર!

અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ.. Patience રાખવા જોઈએ પરંતુ આજકાલ લોકોનો સ્વભાવ શોર્ટ ટેમ્પર થઈ ગયો છે.. ગુસ્સો આપણે કોઈ બીજા પર ઉતારી દેતા હોઈએ છીએ, કોઈ માણસ પર કોઈ વસ્તુ પર... આ ગુસ્સો ઉતારવા Rage Room જેવી સુવિધાઓ આવી ગઈ છે.. આ Rage Room ગુસ્સો ઉતારવા માટેનો રૂમ છે. લોકો frustrate થાય છે, શોર્ટ ટેમ્પર થાય છે અને ગુસ્સાને સહન ન કરી શકનારા લોકો ગુસ્સામાં ને ગુસ્સામાં તોડફોડ કરતાં હોય છે.. 



Rage Roomમાં તમે ગુસ્સો કાઢી શકો છો. 

ગુસ્સામાં આપણે કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ તેની ખબર આપણો ગુસ્સો શાંત થાય તે બાદ ખબર પડતી હોય છે.. આવાં કેટલાક કેસમાં તોડફોડ કરવાની આદત ધરાવતા લોકોને જોતા  ધીરે ધીરે ભારતમાં પણ Rage Room બની રહ્યાં છે.. Rage Room,જેને Smash room કે અથવા anger room તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રૂમ છે તમે તમારો ગુસ્સો કાઢી શકો છે.. નિર્જીવ વસ્તુઓ પર તમે ગુસ્સો કાઢી શકો છો.. 



તોડવા માટે અનેક વસ્તુઓ મુકવામાં આવતી હોય છે. 

Rage Roomમાં તોડવા માટે કાચની બોટલો, કાચની પ્લેટ,ટીવી, લેપટોપ, અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેસ્ટસ અને ફર્નિચર જેવી વસ્તુઓ મૂકવામાં આવે છે.. જેને તોડવા બેઝબોલ બેટ કે હથોડી કે કોઈ મજબૂત પાઇપ જેવી વસ્તુ મળે છે અને પછી.. પછી.. તમે તમારાં બોસને કે બ્રેકઅપ થવાના કારણને કે પછી જે તમારા ગુસ્સાની વરાળનું કારણ હોય  તેને યાદ કરીને દે ધનાધન તોડ ફોડ કરી શકો છો... આ તોડફોડ કર્યા બાદ તમને અફસોસ પણ નહીં થાય અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.... 



વિચાર આવે કે આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા!

Rage Roomની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા વિચાર આવે કે શું આપણને આટલો બધો ગુસ્સો આવે છે? આપણે એટલા પણ સક્ષમ નથી કે ગુસ્સો સહન કરી શકીએ.. ગુસ્સો એ હદે વધી ગયો છે કે આપણે તેને કંટ્રોલ કરવા Rage Roomની જરૂરત પડે છે.. આ કોન્સેપ્ટમાં પણ તોડફોડ કરવા જુદા જુદા પેકેજ મુજબ પૈસાની જરૂર તો પાડવાની જ છે..  ત્યારે એ પ્રશ્ન પણ થાય છે કે જો કોઈ ગરીબ હોય એને શું કરવાનું ? એક જોતા આ Rage Roomનો કોન્સેપ્ટ સારો પણ છે કારણ અનેક વખત જોવામાં આવ્યું છે કે મહિલાઓ પર ગુસ્સો ઉતારવામાં આવે છે, તેમની પર હિંસા કરવામાં આવે છે. મહિલા સાથે મારપીટ કરવામાં આવે છે. 



Rage Room માત્ર ટેમ્પરરી સોલ્યુશન હોઈ શકે.. 

તોડફોડ એ માનસિક ગુસ્સાના નિયંત્રણનું કાયમી સમાધાન ક્યારેય ના બની શકે.. એ ફક્ત ક્ષણિક સહાનુભૂતિ અને ટ્રેન્ડ મુજબનું મનોરંજન છે બસ.... તે કાયમી સમાધાન નથી.. અને જે વર્ષો જૂનું અને કાયમી સમાધાન છે તે આપણે અનુસરવું નથી..  જેમ કે મૌન, યોગ,આહાર- વિહાર, વ્યાયામ કે બીજી કેટલીક સ્ટ્રેસફ્રી ટેક્નિકસ.. મહત્વનું છે કે આ માત્ર ટેમ્પરરી વિકલ્પ છે. આપણે ગુસ્સાને કંટ્રોલ કરતા શિખવું પડશે.. જો તમે પણ ગુસ્સામાં આવીને વસ્તુઓની તોડફોડ કરી હોય તો અમને કમેન્ટમાં જણાવજો,..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.