શું તમે જાણો છો કોણ હતા કે.ડી જાધવ, જેમને ગુગલે ડૂડલ બનાવીને કર્યા છે યાદ...


  • Published By :
  • Published Date : 2023-01-15 16:00:59

મોટી મોટી હસ્તીઓ અને મોટી મોટી ઘટનાઓને યાદ કરાવા ગૂગલ પાતોના ડૂડલ્સ બદલતા રહે છે. આજે પણ સર્ચ એન્જિન ગુગલે ડૂડલ બદલીને ભારતના દિગ્ગજ પહેલવાન ખાશાબા દાદાસાહેબ જાધવને યાદ કર્યા છે. સ્વતંત્રતાના સમય પછી ઓલિમ્પિકમાં તેમણે પહેલું સિંગલમાં મેડલ જીત્યું હતું. આજે તેમની 97મી જન્મજયંતી છે. 

Is Khashaba Dadasaheb Jadhav the India's 1st Olympic Champion? - Divya Jobs


27 વર્ષે  ઓલિમ્પિકમાં જીત્યો બોન્ઝ મેડલ 

15 જાન્યુઆરી 1926ના રોજ કે.ડી જાધવનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું કદ નાનું હતું પરંતુ જ્યારે તે કુશ્તીના મેદાનમાં ઉતરે તો મોટા મોટા પહેલવાનોને હંફાવી દેતા હતા. 1952માં હેલસિંકીમાં આયોજીત ગ્રીષ્મકાલિન  ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે તેમણે પદક મેળવ્યો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના જ હતા. 

The first Indian to win an Olympic medal: KD Jadhav


કદ નાનું હતું પણ ભલભલા પહેલવાનોને હંફાવી દેતા 

કેડી જાધવ એવા પહેલવાનોમાંથી એક હતા જેમણે દુનિયાને બતાવ્યું કે પહેલવાન થવા હટ્ટા-કટ્ટા શરીરની જરૂર નથી હોતી પરંતુ આત્મવિશ્વાસ તેમજ ટેક્નિકની જરૂર હોય છે. તેમનું કદ માત્ર 5 ફૂટ 5 ઈંચનું હતું. કદ ભલે નાનુ હતું પરંતુ મોટા મોટા પહેલવાનોને તેમની સામે હારનો સામનો કરવો પડતો હતો.       

Google honours wrestler Khashaba Dadasaheb Jadhav on his 97th birth  anniversary - The Hindu

ઘૂંટણમાં ઈજા થતા  ઓલિમ્પિકમાં ગોલ્ડ ન જીતી શક્યા 

તેમણે કુશ્તીની શરૂઆત 10 વર્ષની ઉંમરેથી કરી દીધી હતી. પોતાના પિતા સાથે તેઓ રોજે કુશ્તીની પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટેક્નિક્સ એકદમ અલગ હોતી હતી. પ્રથમ  ઓલિમ્પિકમાં તેમની મુલાકાત કુશતીમાં માહિકર ફ્લાઈવેટ પહેલવાન સાથે થઈ હતી. આ વખતે તેમણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું હતું. કાંસ્ય પદક તેમણે પોતાને નામ કરી લીધો હતો. પરંતુ  ઓલિમ્પિકમાં તેમના ઘૂંટણને ઈજા પહોંચી હતી જેને કારણે તેમણે કુશ્તી છોડી દીધી હતી. તેમનું નિધન 14 ઓગસ્ટ 1984માં થઈ ગયું હતું. જીવતા જીવ તેમને એવોર્ડે મળ્યો ન હતો પરંતુ નિધન બાદ 2000માં કુશ્તીના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.