શું તમે જાણો છો કોણ હતા કે.ડી જાધવ, જેમને ગુગલે ડૂડલ બનાવીને કર્યા છે યાદ...


  • Published By :
  • Published Date : 2023-01-15 16:00:59

મોટી મોટી હસ્તીઓ અને મોટી મોટી ઘટનાઓને યાદ કરાવા ગૂગલ પાતોના ડૂડલ્સ બદલતા રહે છે. આજે પણ સર્ચ એન્જિન ગુગલે ડૂડલ બદલીને ભારતના દિગ્ગજ પહેલવાન ખાશાબા દાદાસાહેબ જાધવને યાદ કર્યા છે. સ્વતંત્રતાના સમય પછી ઓલિમ્પિકમાં તેમણે પહેલું સિંગલમાં મેડલ જીત્યું હતું. આજે તેમની 97મી જન્મજયંતી છે. 

Is Khashaba Dadasaheb Jadhav the India's 1st Olympic Champion? - Divya Jobs


27 વર્ષે  ઓલિમ્પિકમાં જીત્યો બોન્ઝ મેડલ 

15 જાન્યુઆરી 1926ના રોજ કે.ડી જાધવનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું કદ નાનું હતું પરંતુ જ્યારે તે કુશ્તીના મેદાનમાં ઉતરે તો મોટા મોટા પહેલવાનોને હંફાવી દેતા હતા. 1952માં હેલસિંકીમાં આયોજીત ગ્રીષ્મકાલિન  ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે તેમણે પદક મેળવ્યો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના જ હતા. 

The first Indian to win an Olympic medal: KD Jadhav


કદ નાનું હતું પણ ભલભલા પહેલવાનોને હંફાવી દેતા 

કેડી જાધવ એવા પહેલવાનોમાંથી એક હતા જેમણે દુનિયાને બતાવ્યું કે પહેલવાન થવા હટ્ટા-કટ્ટા શરીરની જરૂર નથી હોતી પરંતુ આત્મવિશ્વાસ તેમજ ટેક્નિકની જરૂર હોય છે. તેમનું કદ માત્ર 5 ફૂટ 5 ઈંચનું હતું. કદ ભલે નાનુ હતું પરંતુ મોટા મોટા પહેલવાનોને તેમની સામે હારનો સામનો કરવો પડતો હતો.       

Google honours wrestler Khashaba Dadasaheb Jadhav on his 97th birth  anniversary - The Hindu

ઘૂંટણમાં ઈજા થતા  ઓલિમ્પિકમાં ગોલ્ડ ન જીતી શક્યા 

તેમણે કુશ્તીની શરૂઆત 10 વર્ષની ઉંમરેથી કરી દીધી હતી. પોતાના પિતા સાથે તેઓ રોજે કુશ્તીની પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટેક્નિક્સ એકદમ અલગ હોતી હતી. પ્રથમ  ઓલિમ્પિકમાં તેમની મુલાકાત કુશતીમાં માહિકર ફ્લાઈવેટ પહેલવાન સાથે થઈ હતી. આ વખતે તેમણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું હતું. કાંસ્ય પદક તેમણે પોતાને નામ કરી લીધો હતો. પરંતુ  ઓલિમ્પિકમાં તેમના ઘૂંટણને ઈજા પહોંચી હતી જેને કારણે તેમણે કુશ્તી છોડી દીધી હતી. તેમનું નિધન 14 ઓગસ્ટ 1984માં થઈ ગયું હતું. જીવતા જીવ તેમને એવોર્ડે મળ્યો ન હતો પરંતુ નિધન બાદ 2000માં કુશ્તીના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.