શું તમે જાણો છો કોણ હતા કે.ડી જાધવ, જેમને ગુગલે ડૂડલ બનાવીને કર્યા છે યાદ...


  • Published By :
  • Published Date : 2023-01-15 16:00:59

મોટી મોટી હસ્તીઓ અને મોટી મોટી ઘટનાઓને યાદ કરાવા ગૂગલ પાતોના ડૂડલ્સ બદલતા રહે છે. આજે પણ સર્ચ એન્જિન ગુગલે ડૂડલ બદલીને ભારતના દિગ્ગજ પહેલવાન ખાશાબા દાદાસાહેબ જાધવને યાદ કર્યા છે. સ્વતંત્રતાના સમય પછી ઓલિમ્પિકમાં તેમણે પહેલું સિંગલમાં મેડલ જીત્યું હતું. આજે તેમની 97મી જન્મજયંતી છે. 

Is Khashaba Dadasaheb Jadhav the India's 1st Olympic Champion? - Divya Jobs


27 વર્ષે  ઓલિમ્પિકમાં જીત્યો બોન્ઝ મેડલ 

15 જાન્યુઆરી 1926ના રોજ કે.ડી જાધવનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. મહારાષ્ટ્રના ગોલેશ્વર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું કદ નાનું હતું પરંતુ જ્યારે તે કુશ્તીના મેદાનમાં ઉતરે તો મોટા મોટા પહેલવાનોને હંફાવી દેતા હતા. 1952માં હેલસિંકીમાં આયોજીત ગ્રીષ્મકાલિન  ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે તેમણે પદક મેળવ્યો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના જ હતા. 

The first Indian to win an Olympic medal: KD Jadhav


કદ નાનું હતું પણ ભલભલા પહેલવાનોને હંફાવી દેતા 

કેડી જાધવ એવા પહેલવાનોમાંથી એક હતા જેમણે દુનિયાને બતાવ્યું કે પહેલવાન થવા હટ્ટા-કટ્ટા શરીરની જરૂર નથી હોતી પરંતુ આત્મવિશ્વાસ તેમજ ટેક્નિકની જરૂર હોય છે. તેમનું કદ માત્ર 5 ફૂટ 5 ઈંચનું હતું. કદ ભલે નાનુ હતું પરંતુ મોટા મોટા પહેલવાનોને તેમની સામે હારનો સામનો કરવો પડતો હતો.       

Google honours wrestler Khashaba Dadasaheb Jadhav on his 97th birth  anniversary - The Hindu

ઘૂંટણમાં ઈજા થતા  ઓલિમ્પિકમાં ગોલ્ડ ન જીતી શક્યા 

તેમણે કુશ્તીની શરૂઆત 10 વર્ષની ઉંમરેથી કરી દીધી હતી. પોતાના પિતા સાથે તેઓ રોજે કુશ્તીની પ્રેક્ટિસ કરતા હતા. તેમની ટેક્નિક્સ એકદમ અલગ હોતી હતી. પ્રથમ  ઓલિમ્પિકમાં તેમની મુલાકાત કુશતીમાં માહિકર ફ્લાઈવેટ પહેલવાન સાથે થઈ હતી. આ વખતે તેમણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું હતું. કાંસ્ય પદક તેમણે પોતાને નામ કરી લીધો હતો. પરંતુ  ઓલિમ્પિકમાં તેમના ઘૂંટણને ઈજા પહોંચી હતી જેને કારણે તેમણે કુશ્તી છોડી દીધી હતી. તેમનું નિધન 14 ઓગસ્ટ 1984માં થઈ ગયું હતું. જીવતા જીવ તેમને એવોર્ડે મળ્યો ન હતો પરંતુ નિધન બાદ 2000માં કુશ્તીના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.