શું તમે જાણો છો ગાયને શા માટે આપવામાં આવ્યો છે માતાનો દરજ્જો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-07 16:50:16

હિંદુ ધર્મમાં તેમજ ભારતીય પરંપરામાં ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ગાયની અંદર લગભગ 33 કરોડ દેવી દેવતાઓનો રહેલા છે જેને કારણે જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. 


Hindu Yuva Vahini (Gujarat): ગાયમાતા રાષ્ટ્રમાતા ??? કોઈ ગાયને જ પૂછી જૂઓ...

સદીઓથી આપણે ત્યાં ગાય માતાને પૂજનીય માનવામાં આવે છે. ગાયની સેવા કરવીએ સૌથી પુણ્યનું કાર્ય છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ગાયને આંગળામાં રાખી તેની સેવા પૂજા કરતા હતા. ગાયની પૂજા કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. ગાયની નિયમીત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ રહે છે. અનેક લોકો ગાયની સેવા તો કરે છે પરંતુ ગાયને રોટલી પણ ખવડાવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. 

Hd photos free download, Hd images, Wallpaper free download

ગાય માતાની પૂજા દરમિયાન લોકો ગાય માતાને રોટલી પણ અર્પણ કરતા હોય છે. રોટલીમાં ગોળ રાખી ખવડાવવાથી ગાયમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘણી પેઢીઓ પર આની સકારાત્મક અસર પડે છે. ઉપરાંત ગાયને રોટલી અર્પણ કરવાથી ઘરના બાળકો સુખ-શાંતિથી રહી શકે છે. દરેક ખુશીઓ તેમને પ્રાપ્ત થાય છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે ગોળ સાથેની રોટલી ખવડાવવાથી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિની મદદ મળે છે. 

ગાયને રોટલીની સાથે ખવડાવો આ ચીજો, પૂરી થશે તમામ મનોકામના, ખુલી જશે ભાગ્યનાં  દરવાજા - Panchatiyo

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું તો મહત્વ રહેલું છે પરંતુ આપણી સંસ્કૃતિમાં પશુ-પક્ષીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેરક વસ્તુ આપણે પૂજનીય માનીએ છીએ. આપણે ત્યાં દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અનેક લોકો ગાયનું પણ દાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક પ્રતાપી રાજાને ગાયનું દાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ બાદ પણ વિધીમાં ગાયનું દાન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ગાયના દાનને મહાદાન માનવામાં આવે છે.       

  



બનાસકાંઠા અને પાટણ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરવાના છે.. બનાસકાંઠાના લાખણીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...