શું તમે જાણો છો ગાયને શા માટે આપવામાં આવ્યો છે માતાનો દરજ્જો?


  • Published By :
  • Published Date : 2023-01-07 16:50:16

હિંદુ ધર્મમાં તેમજ ભારતીય પરંપરામાં ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ગાયની અંદર લગભગ 33 કરોડ દેવી દેવતાઓનો રહેલા છે જેને કારણે જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. 


Hindu Yuva Vahini (Gujarat): ગાયમાતા રાષ્ટ્રમાતા ??? કોઈ ગાયને જ પૂછી જૂઓ...

સદીઓથી આપણે ત્યાં ગાય માતાને પૂજનીય માનવામાં આવે છે. ગાયની સેવા કરવીએ સૌથી પુણ્યનું કાર્ય છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ગાયને આંગળામાં રાખી તેની સેવા પૂજા કરતા હતા. ગાયની પૂજા કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. ગાયની નિયમીત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ રહે છે. અનેક લોકો ગાયની સેવા તો કરે છે પરંતુ ગાયને રોટલી પણ ખવડાવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. 

Hd photos free download, Hd images, Wallpaper free download

ગાય માતાની પૂજા દરમિયાન લોકો ગાય માતાને રોટલી પણ અર્પણ કરતા હોય છે. રોટલીમાં ગોળ રાખી ખવડાવવાથી ગાયમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘણી પેઢીઓ પર આની સકારાત્મક અસર પડે છે. ઉપરાંત ગાયને રોટલી અર્પણ કરવાથી ઘરના બાળકો સુખ-શાંતિથી રહી શકે છે. દરેક ખુશીઓ તેમને પ્રાપ્ત થાય છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે ગોળ સાથેની રોટલી ખવડાવવાથી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિની મદદ મળે છે. 

ગાયને રોટલીની સાથે ખવડાવો આ ચીજો, પૂરી થશે તમામ મનોકામના, ખુલી જશે ભાગ્યનાં  દરવાજા - Panchatiyo

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું તો મહત્વ રહેલું છે પરંતુ આપણી સંસ્કૃતિમાં પશુ-પક્ષીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેરક વસ્તુ આપણે પૂજનીય માનીએ છીએ. આપણે ત્યાં દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અનેક લોકો ગાયનું પણ દાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક પ્રતાપી રાજાને ગાયનું દાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ બાદ પણ વિધીમાં ગાયનું દાન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ગાયના દાનને મહાદાન માનવામાં આવે છે.       

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.