શું તમે જાણો છો ગાયને શા માટે આપવામાં આવ્યો છે માતાનો દરજ્જો?


  • Published By :
  • Published Date : 2023-01-07 16:50:16

હિંદુ ધર્મમાં તેમજ ભારતીય પરંપરામાં ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ગાયની અંદર લગભગ 33 કરોડ દેવી દેવતાઓનો રહેલા છે જેને કારણે જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. 


Hindu Yuva Vahini (Gujarat): ગાયમાતા રાષ્ટ્રમાતા ??? કોઈ ગાયને જ પૂછી જૂઓ...

સદીઓથી આપણે ત્યાં ગાય માતાને પૂજનીય માનવામાં આવે છે. ગાયની સેવા કરવીએ સૌથી પુણ્યનું કાર્ય છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ગાયને આંગળામાં રાખી તેની સેવા પૂજા કરતા હતા. ગાયની પૂજા કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. ગાયની નિયમીત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ રહે છે. અનેક લોકો ગાયની સેવા તો કરે છે પરંતુ ગાયને રોટલી પણ ખવડાવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. 

Hd photos free download, Hd images, Wallpaper free download

ગાય માતાની પૂજા દરમિયાન લોકો ગાય માતાને રોટલી પણ અર્પણ કરતા હોય છે. રોટલીમાં ગોળ રાખી ખવડાવવાથી ગાયમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘણી પેઢીઓ પર આની સકારાત્મક અસર પડે છે. ઉપરાંત ગાયને રોટલી અર્પણ કરવાથી ઘરના બાળકો સુખ-શાંતિથી રહી શકે છે. દરેક ખુશીઓ તેમને પ્રાપ્ત થાય છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે ગોળ સાથેની રોટલી ખવડાવવાથી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિની મદદ મળે છે. 

ગાયને રોટલીની સાથે ખવડાવો આ ચીજો, પૂરી થશે તમામ મનોકામના, ખુલી જશે ભાગ્યનાં  દરવાજા - Panchatiyo

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું તો મહત્વ રહેલું છે પરંતુ આપણી સંસ્કૃતિમાં પશુ-પક્ષીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેરક વસ્તુ આપણે પૂજનીય માનીએ છીએ. આપણે ત્યાં દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અનેક લોકો ગાયનું પણ દાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક પ્રતાપી રાજાને ગાયનું દાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ બાદ પણ વિધીમાં ગાયનું દાન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ગાયના દાનને મહાદાન માનવામાં આવે છે.       

  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.