શું તમે જાણો છો માળામાં 108 મણકા કેમ હોય છે? તેની પાછળ રહેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 16:31:23

હિંદુ ધર્મમાં મંત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી શકાય છે. મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રોની મદદથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. માળામાં 108 મણકા હોય છે તેની પાછળ પણ કારણ છે. 

     ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે? | meaning 108 beads  on mala in gujarati - Gujarati Oneindia

અનેક સાધકો જપ કરતી વખતે માળાનો ઉપયોગ કરતા હોય છે. ભગવદ્ સ્મરણ માટે માળાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી કરવી પણ આવશ્ક છે. કેટલી વાર મંત્રનો જાપ થયો તેની ગણતરી પણ જરૂરી છે. ગણતરી રાખવામાં માળા મદદગાર સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. દિવસના 12 કલાક દરમિયાન આપણે લગભગ 10800 વખત શ્વાસ લેતા હોઈએ છીએ. ભક્તોને સ્વાભાવિક પણે પ્રત્યેક ક્ષણે ભગવાનનું નામ લેવું ગમે છે. આ રીતે એક માળા ફેરવવીએ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે. 

હળદરની માળાના ફાયદા, થઇ જશે બધા જ સંકટો દુરજાણો કેવી રીતે... - Gujaratidayro

એક બીજા મતાનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની ઘણી અસર રહેલી હોય છે. સૂર્ય અને ચંદ્રના આધારે ઋતુચક્ર ચાલે છે. હિંદુ ધર્મમાં ગતિવિધીઓ જોઈ 27 વિભાગોમાં વહેચેલા નક્ષત્રો પર આધારિત છે. આ નક્ષત્રમાળાના આધારે આ જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એમ 27 નક્ષત્ર મળીને 108 ચરણ થાય છે. અને એ જ કારણથી માળા 108 મણકા રાખવામાં આવ્યા છે.         

 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.