શું તમે જાણો છો માળામાં 108 મણકા કેમ હોય છે? તેની પાછળ રહેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


  • Published By :
  • Published Date : 2023-01-09 16:31:23

હિંદુ ધર્મમાં મંત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી શકાય છે. મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રોની મદદથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. માળામાં 108 મણકા હોય છે તેની પાછળ પણ કારણ છે. 

     ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે? | meaning 108 beads  on mala in gujarati - Gujarati Oneindia

અનેક સાધકો જપ કરતી વખતે માળાનો ઉપયોગ કરતા હોય છે. ભગવદ્ સ્મરણ માટે માળાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી કરવી પણ આવશ્ક છે. કેટલી વાર મંત્રનો જાપ થયો તેની ગણતરી પણ જરૂરી છે. ગણતરી રાખવામાં માળા મદદગાર સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. દિવસના 12 કલાક દરમિયાન આપણે લગભગ 10800 વખત શ્વાસ લેતા હોઈએ છીએ. ભક્તોને સ્વાભાવિક પણે પ્રત્યેક ક્ષણે ભગવાનનું નામ લેવું ગમે છે. આ રીતે એક માળા ફેરવવીએ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે. 

હળદરની માળાના ફાયદા, થઇ જશે બધા જ સંકટો દુરજાણો કેવી રીતે... - Gujaratidayro

એક બીજા મતાનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની ઘણી અસર રહેલી હોય છે. સૂર્ય અને ચંદ્રના આધારે ઋતુચક્ર ચાલે છે. હિંદુ ધર્મમાં ગતિવિધીઓ જોઈ 27 વિભાગોમાં વહેચેલા નક્ષત્રો પર આધારિત છે. આ નક્ષત્રમાળાના આધારે આ જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એમ 27 નક્ષત્ર મળીને 108 ચરણ થાય છે. અને એ જ કારણથી માળા 108 મણકા રાખવામાં આવ્યા છે.         

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી