શું તમે જાણો છો માળામાં 108 મણકા કેમ હોય છે? તેની પાછળ રહેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


  • Published By :
  • Published Date : 2023-01-09 16:31:23

હિંદુ ધર્મમાં મંત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી શકાય છે. મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રોની મદદથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. માળામાં 108 મણકા હોય છે તેની પાછળ પણ કારણ છે. 

     ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે? | meaning 108 beads  on mala in gujarati - Gujarati Oneindia

અનેક સાધકો જપ કરતી વખતે માળાનો ઉપયોગ કરતા હોય છે. ભગવદ્ સ્મરણ માટે માળાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી કરવી પણ આવશ્ક છે. કેટલી વાર મંત્રનો જાપ થયો તેની ગણતરી પણ જરૂરી છે. ગણતરી રાખવામાં માળા મદદગાર સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. દિવસના 12 કલાક દરમિયાન આપણે લગભગ 10800 વખત શ્વાસ લેતા હોઈએ છીએ. ભક્તોને સ્વાભાવિક પણે પ્રત્યેક ક્ષણે ભગવાનનું નામ લેવું ગમે છે. આ રીતે એક માળા ફેરવવીએ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે. 

હળદરની માળાના ફાયદા, થઇ જશે બધા જ સંકટો દુરજાણો કેવી રીતે... - Gujaratidayro

એક બીજા મતાનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની ઘણી અસર રહેલી હોય છે. સૂર્ય અને ચંદ્રના આધારે ઋતુચક્ર ચાલે છે. હિંદુ ધર્મમાં ગતિવિધીઓ જોઈ 27 વિભાગોમાં વહેચેલા નક્ષત્રો પર આધારિત છે. આ નક્ષત્રમાળાના આધારે આ જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એમ 27 નક્ષત્ર મળીને 108 ચરણ થાય છે. અને એ જ કારણથી માળા 108 મણકા રાખવામાં આવ્યા છે.         

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.