શું તમે જાણો છો માળામાં 108 મણકા કેમ હોય છે? તેની પાછળ રહેલું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


  • Published By :
  • Published Date : 2023-01-09 16:31:23

હિંદુ ધર્મમાં મંત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચી શકાય છે. મંત્રોને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રોની મદદથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રોનો જાપ સામાન્ય રીતે માળા દ્વારા કરવામાં આવે છે. માળામાં 108 મણકા હોય છે તેની પાછળ પણ કારણ છે. 

     ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે? | meaning 108 beads  on mala in gujarati - Gujarati Oneindia

અનેક સાધકો જપ કરતી વખતે માળાનો ઉપયોગ કરતા હોય છે. ભગવદ્ સ્મરણ માટે માળાને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. આપણે જે જાપ કરીએ તેની ગણતરી કરવી પણ આવશ્ક છે. કેટલી વાર મંત્રનો જાપ થયો તેની ગણતરી પણ જરૂરી છે. ગણતરી રાખવામાં માળા મદદગાર સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મણકાનો સંબંધ આપણા શ્વાસ સાથે હોય છે. દિવસના 12 કલાક દરમિયાન આપણે લગભગ 10800 વખત શ્વાસ લેતા હોઈએ છીએ. ભક્તોને સ્વાભાવિક પણે પ્રત્યેક ક્ષણે ભગવાનનું નામ લેવું ગમે છે. આ રીતે એક માળા ફેરવવીએ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે. 

હળદરની માળાના ફાયદા, થઇ જશે બધા જ સંકટો દુરજાણો કેવી રીતે... - Gujaratidayro

એક બીજા મતાનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની ઘણી અસર રહેલી હોય છે. સૂર્ય અને ચંદ્રના આધારે ઋતુચક્ર ચાલે છે. હિંદુ ધર્મમાં ગતિવિધીઓ જોઈ 27 વિભાગોમાં વહેચેલા નક્ષત્રો પર આધારિત છે. આ નક્ષત્રમાળાના આધારે આ જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એમ 27 નક્ષત્ર મળીને 108 ચરણ થાય છે. અને એ જ કારણથી માળા 108 મણકા રાખવામાં આવ્યા છે.         

 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.