OPDનો સમય વધારવા મુદ્દે હવે આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુક્યું, સચિવાલય સામે કર્યા ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:27:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી આંદોલનોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધા સુધારવાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારવામાં આવ્યો હતો. જો કે હવે આ નિર્ણય સામે તબીબો વિરોધ પર ઉતર્યાં છે.


OPDનો સમય વધારવા સામે વિરોધ


આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે મુદ્દે વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં OPDનો જૂનો સમય રાખવાને લઈને દેખાવો કર્યા હતા. કર્મચારીઓએ ‘કાળો કાયદો દૂર કરો’ના સુત્રોચાર કરવા સાથે દેખાવો કર્યા, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે યોગ્ય નથી. આ સાથે સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. આથી સરકાર પોતાનો આદેશ પરત લે તેમજ તાત્કાલીક ધોરણ જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર અસર


જુનિયર તબીબોએ ઓપીડીના નવા સમયમાં કોઈ પણ જાતના સાથ સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, OPD સેવામાં વધુ સમયના કારણે રેસિડન્ટ ડોક્ટરોના કોર્સ ઉપર વિપરિત અસર થાય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ જોતા તબીબોને માનસિક તેમજ શારીરિક રીતે વિપરિત અસર થાય છે. નવા નિયમ મુજબ અમારે રજાના દિવસે પણ કામ કરવું પડશે અને અઠવાડિયામાં એક પણ રજા નહીં મળે.


વિરોધ કરતાં તબીબોનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા મળી રહે તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરે. આ સાથે જ વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થશે.


OPD અંગે સરકારે શું જાહેરાત કરી હતી?


આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બે દિવસ પહેલા જ OPDને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.


સરકારી હોસ્પિટલોમાં સવારની OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 કલાક અને સાંજની OPDનો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.