OPDનો સમય વધારવા મુદ્દે હવે આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુક્યું, સચિવાલય સામે કર્યા ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:27:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી આંદોલનોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધા સુધારવાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારવામાં આવ્યો હતો. જો કે હવે આ નિર્ણય સામે તબીબો વિરોધ પર ઉતર્યાં છે.


OPDનો સમય વધારવા સામે વિરોધ


આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે મુદ્દે વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં OPDનો જૂનો સમય રાખવાને લઈને દેખાવો કર્યા હતા. કર્મચારીઓએ ‘કાળો કાયદો દૂર કરો’ના સુત્રોચાર કરવા સાથે દેખાવો કર્યા, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે યોગ્ય નથી. આ સાથે સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. આથી સરકાર પોતાનો આદેશ પરત લે તેમજ તાત્કાલીક ધોરણ જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર અસર


જુનિયર તબીબોએ ઓપીડીના નવા સમયમાં કોઈ પણ જાતના સાથ સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, OPD સેવામાં વધુ સમયના કારણે રેસિડન્ટ ડોક્ટરોના કોર્સ ઉપર વિપરિત અસર થાય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ જોતા તબીબોને માનસિક તેમજ શારીરિક રીતે વિપરિત અસર થાય છે. નવા નિયમ મુજબ અમારે રજાના દિવસે પણ કામ કરવું પડશે અને અઠવાડિયામાં એક પણ રજા નહીં મળે.


વિરોધ કરતાં તબીબોનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા મળી રહે તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરે. આ સાથે જ વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થશે.


OPD અંગે સરકારે શું જાહેરાત કરી હતી?


આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બે દિવસ પહેલા જ OPDને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.


સરકારી હોસ્પિટલોમાં સવારની OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 કલાક અને સાંજની OPDનો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.