OPDનો સમય વધારવા મુદ્દે હવે આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુક્યું, સચિવાલય સામે કર્યા ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:27:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી આંદોલનોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધા સુધારવાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારવામાં આવ્યો હતો. જો કે હવે આ નિર્ણય સામે તબીબો વિરોધ પર ઉતર્યાં છે.


OPDનો સમય વધારવા સામે વિરોધ


આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે મુદ્દે વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં OPDનો જૂનો સમય રાખવાને લઈને દેખાવો કર્યા હતા. કર્મચારીઓએ ‘કાળો કાયદો દૂર કરો’ના સુત્રોચાર કરવા સાથે દેખાવો કર્યા, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે યોગ્ય નથી. આ સાથે સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. આથી સરકાર પોતાનો આદેશ પરત લે તેમજ તાત્કાલીક ધોરણ જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર અસર


જુનિયર તબીબોએ ઓપીડીના નવા સમયમાં કોઈ પણ જાતના સાથ સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, OPD સેવામાં વધુ સમયના કારણે રેસિડન્ટ ડોક્ટરોના કોર્સ ઉપર વિપરિત અસર થાય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ જોતા તબીબોને માનસિક તેમજ શારીરિક રીતે વિપરિત અસર થાય છે. નવા નિયમ મુજબ અમારે રજાના દિવસે પણ કામ કરવું પડશે અને અઠવાડિયામાં એક પણ રજા નહીં મળે.


વિરોધ કરતાં તબીબોનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા મળી રહે તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરે. આ સાથે જ વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થશે.


OPD અંગે સરકારે શું જાહેરાત કરી હતી?


આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બે દિવસ પહેલા જ OPDને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.


સરકારી હોસ્પિટલોમાં સવારની OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 કલાક અને સાંજની OPDનો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે