Health Tips : શું શિયાળામાં વધારે થાય છે Hair Fall? જાણો શા માટે આ સિઝનમાં થાય છે હેર ફોલ? જો તમારા પણ વાળ ખરી રહ્યા છે અપનાવો આ ટીપ્સ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:54:21

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન માથાના વાળ ખરે છે, મતલબ હેર ફોલ થાય છે પરંતુ શિયાળાની સિઝનમાં પણ અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે વાળ ખરે છે. અનેક લોકોને હેર ફોલ આ સિઝનમાં થતો હોય છે, કદાચ તમારામાંથી પણ અનેક એવા હશે જેમને આ ફરિયાદ હશે. ત્યારે આજે જાણીએ કે શું શિયાળાને કારણે વાળ વધારે ખરે છે કે કોઈ બીજા કારણો પણ આની પાછળ જવાબદાર હોય છે? અનેક લોકો માનતા હોય છે કે તેલ ન નાખવાને કારણે વાળ ખરે છે વગેરે વગેરે...  

વધારે પડતા વાળ ખરતા હોય તો થઈ જજો સાવધાન, જરૂર કરાવી લેજો આટલા ટેસ્ટ, નહીં  તો બાદમાં પસ્તાશો | If you are also facing serious problem of hair fall  then definitely get

ન માત્ર ચોમાસામાં પરંતુ શિયાળામાં ખરે છે લોકોના વાળ

ડોક્ટરની માનીએ તો વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અનેક લોકોના વાળ સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન ખરતા હોય છે પરંતુ અનેક લોકોના વાળ શિયાળા દરમિયાન પણ ખરતા હોય છે. ડોક્ટરનું માનીએ તો વાળ ખરવા પાછળ અનેક બીજા કારણો હોય છે જેવા કે ખાણી પીણી, બિમારીને કારણે લેવામાં આવતી દવાઓ, સ્ટ્રેસ, બહારનું વાતાવરણ જેવા કારણો આની પાછળ જવાબદાર હોય છે. શિયાળાને કારણે સ્કીન ડ્રાય થઈ જતી હોય છે, સ્કીન ડ્રાય થવાને કારણે ડેન્ડ્રફ વધી જાય છે. અને એના કારણે વાળ વધારે ઉતરે છે. ન માત્ર વાળ ઉતરે છે પરંતુ માથામાં ખંજવાળ આવે છે.      

વાળને વધારવા માટે વિટામિન E ઓયલનો કરો ઉપયોગ – Revoi.in

તેલ લગાવાથી ઓછા ઉતરે છે વાળ?      

જો તમે માનતા હોવ કે તેલ લગાવવાથી વાળ નથી ઉતરતા તો કદાચ તમે ખોટા છો. વાળ ઉતરવાને અને તેલને કોઈ સીધો સંબંધ નથી. ડોક્ટરનું માનવું હોય છે કે તેલ લગાવવાથી વાળ સોફ્ટ બને છે. તેલ લગાવવાથી વાળ ચમકે છે. તેલ દ્વારા કરવામાં આવતી મસાજથી blood circulation થાય છે જે વાળ માટે સારૂં હોય છે. પરંતુ જો તમે માનો છો કે તેલ લગાવાથી વાળ ઉગે છે તો તમે કદાચ ખોટા છો.   


આ 1 કારણથી થાય છે પુષ્કળ હેર ફોલ અને વાળ ખરતા બંધ નથી થતાં, જાણીને તરત જ  કરી લો ઉપાય | Lack of iron increase hair fall and hair loss know the  solution

વાળ ઓછા ઉતરે તે માટે અપનાવો આ ટિપ્સ! 

જો વાળને ખરતા અટકાવવા માટે અનેક ઘરેલૂ ઉપાયો છે. નિષ્ણાંતોના મતે તમે વાળને ખરતા અટકાવવા નારિયેળના તેલમાં સૂકેલા મીઠો લીમડાના પત્તા ઉમેરી શકો છે. તે સિવાય દહીનો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થઈ શકે છે. દહીને માથામાં લગાવી રાખવાથી વાળ મજૂબત થાય છે વાળ ખરવાનું ઓછું થાય છે. એવું માનવામાં આવે છે કે ડેન્ડ્રફને ઓછો કરવા એલોવીરા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાળ પર એલોવિરા લગાવવાથી વાળ ઓછા ખરે છે.    



નોંધ - કોઈ પણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે...


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી