Health Tips : શું શિયાળામાં વધારે થાય છે Hair Fall? જાણો શા માટે આ સિઝનમાં થાય છે હેર ફોલ? જો તમારા પણ વાળ ખરી રહ્યા છે અપનાવો આ ટીપ્સ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:54:21

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન માથાના વાળ ખરે છે, મતલબ હેર ફોલ થાય છે પરંતુ શિયાળાની સિઝનમાં પણ અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે વાળ ખરે છે. અનેક લોકોને હેર ફોલ આ સિઝનમાં થતો હોય છે, કદાચ તમારામાંથી પણ અનેક એવા હશે જેમને આ ફરિયાદ હશે. ત્યારે આજે જાણીએ કે શું શિયાળાને કારણે વાળ વધારે ખરે છે કે કોઈ બીજા કારણો પણ આની પાછળ જવાબદાર હોય છે? અનેક લોકો માનતા હોય છે કે તેલ ન નાખવાને કારણે વાળ ખરે છે વગેરે વગેરે...  

વધારે પડતા વાળ ખરતા હોય તો થઈ જજો સાવધાન, જરૂર કરાવી લેજો આટલા ટેસ્ટ, નહીં  તો બાદમાં પસ્તાશો | If you are also facing serious problem of hair fall  then definitely get

ન માત્ર ચોમાસામાં પરંતુ શિયાળામાં ખરે છે લોકોના વાળ

ડોક્ટરની માનીએ તો વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અનેક લોકોના વાળ સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન ખરતા હોય છે પરંતુ અનેક લોકોના વાળ શિયાળા દરમિયાન પણ ખરતા હોય છે. ડોક્ટરનું માનીએ તો વાળ ખરવા પાછળ અનેક બીજા કારણો હોય છે જેવા કે ખાણી પીણી, બિમારીને કારણે લેવામાં આવતી દવાઓ, સ્ટ્રેસ, બહારનું વાતાવરણ જેવા કારણો આની પાછળ જવાબદાર હોય છે. શિયાળાને કારણે સ્કીન ડ્રાય થઈ જતી હોય છે, સ્કીન ડ્રાય થવાને કારણે ડેન્ડ્રફ વધી જાય છે. અને એના કારણે વાળ વધારે ઉતરે છે. ન માત્ર વાળ ઉતરે છે પરંતુ માથામાં ખંજવાળ આવે છે.      

વાળને વધારવા માટે વિટામિન E ઓયલનો કરો ઉપયોગ – Revoi.in

તેલ લગાવાથી ઓછા ઉતરે છે વાળ?      

જો તમે માનતા હોવ કે તેલ લગાવવાથી વાળ નથી ઉતરતા તો કદાચ તમે ખોટા છો. વાળ ઉતરવાને અને તેલને કોઈ સીધો સંબંધ નથી. ડોક્ટરનું માનવું હોય છે કે તેલ લગાવવાથી વાળ સોફ્ટ બને છે. તેલ લગાવવાથી વાળ ચમકે છે. તેલ દ્વારા કરવામાં આવતી મસાજથી blood circulation થાય છે જે વાળ માટે સારૂં હોય છે. પરંતુ જો તમે માનો છો કે તેલ લગાવાથી વાળ ઉગે છે તો તમે કદાચ ખોટા છો.   


આ 1 કારણથી થાય છે પુષ્કળ હેર ફોલ અને વાળ ખરતા બંધ નથી થતાં, જાણીને તરત જ  કરી લો ઉપાય | Lack of iron increase hair fall and hair loss know the  solution

વાળ ઓછા ઉતરે તે માટે અપનાવો આ ટિપ્સ! 

જો વાળને ખરતા અટકાવવા માટે અનેક ઘરેલૂ ઉપાયો છે. નિષ્ણાંતોના મતે તમે વાળને ખરતા અટકાવવા નારિયેળના તેલમાં સૂકેલા મીઠો લીમડાના પત્તા ઉમેરી શકો છે. તે સિવાય દહીનો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થઈ શકે છે. દહીને માથામાં લગાવી રાખવાથી વાળ મજૂબત થાય છે વાળ ખરવાનું ઓછું થાય છે. એવું માનવામાં આવે છે કે ડેન્ડ્રફને ઓછો કરવા એલોવીરા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાળ પર એલોવિરા લગાવવાથી વાળ ઓછા ખરે છે.    



નોંધ - કોઈ પણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે...


પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.