રાજકોટમાં ગૃહકલેશ જીવલેણ બન્યો, પતિએ પત્નીની કરી હત્યા, પત્નીને તરફડતી મુકી પતિ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-13 15:00:32

પતિ અને પત્ની વચ્ચેનો ઘર કંકાસ ઘણી વખત જીવલેણ બની જાય છે. રાજકોટ જિલ્લામાં એક પતિએ તેની પત્નીના માથા પર બોથડ પદાર્થ ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. બાદમાં પતિ અત્યંત ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે નજીકમાં જ પડેલા બોથડ પદાર્થ ઝિંકી દીઘો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ તેમના પુત્રને ફોન કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી, હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. પુત્રએ તાત્કાલિક દોડી આવીને બેભાન માતાને હોસ્પિટલમાં ખસેડી હતી, જો કે ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.   


શું હતો સમગ્ર મામલો?


રાજકોટ જિલ્લાના શાપરની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં રહેતી કમળાબેન (ઉ.વ. 55)ની તેના જ પતિ પ્રેમજી ગોવિંદ પરમારે ગૃહકલેશને કારણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર બાબુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. બાકીના બંને પુત્રો મજુરી કરે છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેને કારણે આજે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ રોડના ઘા ઝીંકી પત્ની કમળાબેનની હત્યા કરી નાખી હતી. 


લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા


પતિ પ્રેમજી પરમારે પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ  તેના મોટા પુત્ર બાબુને કોલ કરી કહ્યું કે મે તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ પછી કોલ કટ કરી નાખ્યો હતો. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા. તે વખતે મકાનને તાળુ હતું. તાળુ તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવીલમાં લઈ આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવીલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી. તેણે પુત્રને કોલ કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.