પેટ્રોલ-ડિઝલ માટે રઘવાયા ન થાઓ, પેટ્રોલ પંપ એસોસિએશનને આપી હૈયાધારણા


  • Published By :
  • Published Date : 2024-01-02 21:37:26

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક-ડ્રાઇવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું,ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. આ જ કારણે રાજ્યના મોટા શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી.


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા


ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની આશંકાને પગલે લોકો તેમના વાહનની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા.  લોકોને કોઈ નોકરી કે ધંધા માટે જવા માટે વિહિકલની જરૂર પડે છે. હવે તો ખેડૂતોને પાણી લેવા માટે ડીઝલ પંપમાં ડીઝલની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટરોની હળતાલને કારણે અઠવાડિયા સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાના છે. એટલે લોકોએ દોડધામ મચાવી અને પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરવા પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી.


પેટ્રોલ પંપ એસોસિએશનનની વાતથી હાશકારો



જો કે આ દરમિયાન ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનને હાશકારો આપે તેવી વાત કરી છે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છેકે, રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશની અછત વર્તાશે નહીં, કારણ ક ફેડરેશન પાસે પૂરતો જથ્થો છે. ટ્રક ડ્રાઇવરની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઇ છે પરંતુ રાજ્યમાં વાહન ચાલકોએ પરેશાન થવાની જરૂર નથી અને લાઇનો લગાવવાની જરૂર નથી. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે