પેટ્રોલ-ડિઝલ માટે રઘવાયા ન થાઓ, પેટ્રોલ પંપ એસોસિએશનને આપી હૈયાધારણા


  • Published By :
  • Published Date : 2024-01-02 21:37:26

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક-ડ્રાઇવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું,ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. આ જ કારણે રાજ્યના મોટા શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી.


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા


ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની આશંકાને પગલે લોકો તેમના વાહનની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા.  લોકોને કોઈ નોકરી કે ધંધા માટે જવા માટે વિહિકલની જરૂર પડે છે. હવે તો ખેડૂતોને પાણી લેવા માટે ડીઝલ પંપમાં ડીઝલની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટરોની હળતાલને કારણે અઠવાડિયા સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાના છે. એટલે લોકોએ દોડધામ મચાવી અને પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરવા પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી.


પેટ્રોલ પંપ એસોસિએશનનની વાતથી હાશકારો



જો કે આ દરમિયાન ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનને હાશકારો આપે તેવી વાત કરી છે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છેકે, રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશની અછત વર્તાશે નહીં, કારણ ક ફેડરેશન પાસે પૂરતો જથ્થો છે. ટ્રક ડ્રાઇવરની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઇ છે પરંતુ રાજ્યમાં વાહન ચાલકોએ પરેશાન થવાની જરૂર નથી અને લાઇનો લગાવવાની જરૂર નથી. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.