પેટ્રોલ-ડિઝલ માટે રઘવાયા ન થાઓ, પેટ્રોલ પંપ એસોસિએશનને આપી હૈયાધારણા


  • Published By :
  • Published Date : 2024-01-02 21:37:26

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક-ડ્રાઇવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું,ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. આ જ કારણે રાજ્યના મોટા શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી.


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા


ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની આશંકાને પગલે લોકો તેમના વાહનની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા.  લોકોને કોઈ નોકરી કે ધંધા માટે જવા માટે વિહિકલની જરૂર પડે છે. હવે તો ખેડૂતોને પાણી લેવા માટે ડીઝલ પંપમાં ડીઝલની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટરોની હળતાલને કારણે અઠવાડિયા સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાના છે. એટલે લોકોએ દોડધામ મચાવી અને પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરવા પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી.


પેટ્રોલ પંપ એસોસિએશનનની વાતથી હાશકારો



જો કે આ દરમિયાન ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનને હાશકારો આપે તેવી વાત કરી છે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છેકે, રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશની અછત વર્તાશે નહીં, કારણ ક ફેડરેશન પાસે પૂરતો જથ્થો છે. ટ્રક ડ્રાઇવરની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઇ છે પરંતુ રાજ્યમાં વાહન ચાલકોએ પરેશાન થવાની જરૂર નથી અને લાઇનો લગાવવાની જરૂર નથી. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.