પેટ્રોલ-ડિઝલ માટે રઘવાયા ન થાઓ, પેટ્રોલ પંપ એસોસિએશનને આપી હૈયાધારણા


  • Published By :
  • Published Date : 2024-01-02 21:37:26

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક-ડ્રાઇવરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું,ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. આ જ કારણે રાજ્યના મોટા શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી હતી.


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા


ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની આશંકાને પગલે લોકો તેમના વાહનની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર દોડી ગયા હતા.  લોકોને કોઈ નોકરી કે ધંધા માટે જવા માટે વિહિકલની જરૂર પડે છે. હવે તો ખેડૂતોને પાણી લેવા માટે ડીઝલ પંપમાં ડીઝલની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટરોની હળતાલને કારણે અઠવાડિયા સુધી પેટ્રોલ પંપ બંધ રહેવાના છે. એટલે લોકોએ દોડધામ મચાવી અને પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરવા પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી.


પેટ્રોલ પંપ એસોસિએશનનની વાતથી હાશકારો



જો કે આ દરમિયાન ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનને હાશકારો આપે તેવી વાત કરી છે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું છેકે, રાજ્યમાં પેટ્રોલિયમ પેદાશની અછત વર્તાશે નહીં, કારણ ક ફેડરેશન પાસે પૂરતો જથ્થો છે. ટ્રક ડ્રાઇવરની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઇ છે પરંતુ રાજ્યમાં વાહન ચાલકોએ પરેશાન થવાની જરૂર નથી અને લાઇનો લગાવવાની જરૂર નથી. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.