ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપ વિશે આ શું બોલી ગયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-18 17:12:55

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે  ટ્રમ્પએ વાત નકારી કાઢે છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ" પછી જો કોઈ યુરોપીઅન દેશના વડા પ્રથમવાર વ્હાઇટહાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા હોય તો તે છે જ્યોર્જિયા મેલોની . હાલમાં યુરોપ અને અમેરિકા વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર ખુબ જોરદાર મતભેદો વ્યાપાર અને યુરોપની સુરક્ષાને લઇને સામે આવ્યા છે. આવા સમયમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો અમેરિકાનો પ્રવાસ ખુબ મહત્વનો છે. પરંતુ આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાની પ્રેસ કોન્ફરન્સનો એક વિડિઓ ખુબ વાઇરલ થઈ રહ્યો છે . પ્રેસકોન્ફરન્સ વખતે એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે શું તમે ક્યારેય એવું કહ્યું છે કે યુરોપના લોકો "પેરેસાઇટ્સ" એટલેકે પરોપજીવી છે. આ પછી ઈટાલીના વડાપ્રધાને જવાબ આપ્યો કે "ટ્રમ્પએ ક્યારેય આવું નથી કહ્યું." આ પછી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ આખા સવાલને રિપીટ કર્યો હતો ,ક્યારેય તમે યુરોપિનોને પેરેસાઇટ કહ્યા છે. આ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , " ના ." "મને કોઈ જ ખબર નથી કે તમે કયા વિષય પર આ વાત કરી રહ્યા છો." જોકે તે બાદ આ વીડિઓની કલીપ ખુબ જ વાઇરલ થઇ છે. 

Image

આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપારી કરાર એટલેકે , ટ્રેડ ડીલ કરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કહ્યું છે કે , ટ્રેડ ડીલ થશે, ૧૦૦ ટકા ટ્રેડ ડીલ યુરોપ સાથે થશે.  આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલોની વચ્ચે સારો રેપોર્ટ રહ્યો છે . કેમ કે ઇટાલી અમેરિકા અને યુરોપ વચ્ચે સંવાદનો એક બ્રિજ બનવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ દરમ્યાન ચાઈનાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કહ્યું હતું કે અમે ચાઈના સાથે પણ ટ્રેડ ડીલ કરવા તૈયાર છીએ . ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આ મુલાકાત યુરોપના ભવિષ્ય માટે ખુબ મહત્વની રહેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું છે કે , " મને આશા છે કે યુરોપ ફરી એકવાર મહાન બનશે . હાલમાં યુરોપ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમ કે ઇમિગ્રેશન. હું યુરોપનો કોઈ મોટો ફેન નથી . કેમ કે , યુરોપની ઇમિગ્રેશનને લઇને જે નીતિઓ છે તેનાથી તેને ખુબ મોટું નુકશાન થયું છે. " આ પેહલા ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપીઅન યુનિયન વિશે ખુબ જ વિવાદાસ્પદ બોલ્યા હતા જેમ કે , "EU એટલે કે , યુરોપીઅન યુનિયનને અમેરિકાનું નુકશાન કરવા જ બનાવવામાં આવ્યું હતું ." જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના સુર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે , જોવાનું છે કે , કેવી રીતે યુરોપ અને અમેરિકા વચ્ચે વ્યાપારી સબંધો સામાન્ય થશે. કેમ કે , વિશ્વની ઉભરતી મહાસત્તા ચાઈના યુરોપ અને ભારતની સાથે મળીને અમેરિકાની વિરુદ્ધમાં એક મજબૂત જૂથ બનાવવા માંગે છે . 



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.