ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપ વિશે આ શું બોલી ગયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-18 17:12:55

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે  ટ્રમ્પએ વાત નકારી કાઢે છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ" પછી જો કોઈ યુરોપીઅન દેશના વડા પ્રથમવાર વ્હાઇટહાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા હોય તો તે છે જ્યોર્જિયા મેલોની . હાલમાં યુરોપ અને અમેરિકા વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર ખુબ જોરદાર મતભેદો વ્યાપાર અને યુરોપની સુરક્ષાને લઇને સામે આવ્યા છે. આવા સમયમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો અમેરિકાનો પ્રવાસ ખુબ મહત્વનો છે. પરંતુ આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાની પ્રેસ કોન્ફરન્સનો એક વિડિઓ ખુબ વાઇરલ થઈ રહ્યો છે . પ્રેસકોન્ફરન્સ વખતે એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે શું તમે ક્યારેય એવું કહ્યું છે કે યુરોપના લોકો "પેરેસાઇટ્સ" એટલેકે પરોપજીવી છે. આ પછી ઈટાલીના વડાપ્રધાને જવાબ આપ્યો કે "ટ્રમ્પએ ક્યારેય આવું નથી કહ્યું." આ પછી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ આખા સવાલને રિપીટ કર્યો હતો ,ક્યારેય તમે યુરોપિનોને પેરેસાઇટ કહ્યા છે. આ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , " ના ." "મને કોઈ જ ખબર નથી કે તમે કયા વિષય પર આ વાત કરી રહ્યા છો." જોકે તે બાદ આ વીડિઓની કલીપ ખુબ જ વાઇરલ થઇ છે. 

Image

આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપારી કરાર એટલેકે , ટ્રેડ ડીલ કરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કહ્યું છે કે , ટ્રેડ ડીલ થશે, ૧૦૦ ટકા ટ્રેડ ડીલ યુરોપ સાથે થશે.  આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલોની વચ્ચે સારો રેપોર્ટ રહ્યો છે . કેમ કે ઇટાલી અમેરિકા અને યુરોપ વચ્ચે સંવાદનો એક બ્રિજ બનવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ દરમ્યાન ચાઈનાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કહ્યું હતું કે અમે ચાઈના સાથે પણ ટ્રેડ ડીલ કરવા તૈયાર છીએ . ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આ મુલાકાત યુરોપના ભવિષ્ય માટે ખુબ મહત્વની રહેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું છે કે , " મને આશા છે કે યુરોપ ફરી એકવાર મહાન બનશે . હાલમાં યુરોપ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેમ કે ઇમિગ્રેશન. હું યુરોપનો કોઈ મોટો ફેન નથી . કેમ કે , યુરોપની ઇમિગ્રેશનને લઇને જે નીતિઓ છે તેનાથી તેને ખુબ મોટું નુકશાન થયું છે. " આ પેહલા ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપીઅન યુનિયન વિશે ખુબ જ વિવાદાસ્પદ બોલ્યા હતા જેમ કે , "EU એટલે કે , યુરોપીઅન યુનિયનને અમેરિકાનું નુકશાન કરવા જ બનાવવામાં આવ્યું હતું ." જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના સુર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે , જોવાનું છે કે , કેવી રીતે યુરોપ અને અમેરિકા વચ્ચે વ્યાપારી સબંધો સામાન્ય થશે. કેમ કે , વિશ્વની ઉભરતી મહાસત્તા ચાઈના યુરોપ અને ભારતની સાથે મળીને અમેરિકાની વિરુદ્ધમાં એક મજબૂત જૂથ બનાવવા માંગે છે . 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.