22 મહિના બાદ રિ-એક્ટિવ થશે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-20 14:22:37

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર કર્યા છે. ત્યારે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટરને રિ-એક્ટિવ કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2021થી ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત હતું. ત્યારે એલોન મસ્કે પોલ કરી યુર્ઝર્સની આ અંગે રાય લીધી હતી. પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા એકાઉન્ટ ફરી એક્ટિવ કરવાના તરફેણમાં મતદાન આપ્યું હતું જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.


2021થી ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયો હતો પ્રતિબંધ 

2021માં યુએસમાં રમખાણ થયા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. જેને કારણે ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે ટૂંક સમય બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે. 


ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે - મસ્ક

એલોન મસ્કે 19 નવેમ્બરના રોજ ટ્વિટર પર એક પોલ મૂક્યો હતો. અંદાજીત 1,50,85,458 લોકોએ પોલમાં ભાગ લીધો હતો. આ પોલ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિ-એક્ટિવેટ કરવું કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા અકાઉન્ટ ફરી અકાઉન્ટએ ક્ટિવ કરવાના તરફેણમાં વોટ આપ્યો હતો જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.