22 મહિના બાદ રિ-એક્ટિવ થશે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-20 14:22:37

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર કર્યા છે. ત્યારે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટરને રિ-એક્ટિવ કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2021થી ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત હતું. ત્યારે એલોન મસ્કે પોલ કરી યુર્ઝર્સની આ અંગે રાય લીધી હતી. પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા એકાઉન્ટ ફરી એક્ટિવ કરવાના તરફેણમાં મતદાન આપ્યું હતું જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.


2021થી ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયો હતો પ્રતિબંધ 

2021માં યુએસમાં રમખાણ થયા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. જેને કારણે ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે ટૂંક સમય બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે. 


ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે - મસ્ક

એલોન મસ્કે 19 નવેમ્બરના રોજ ટ્વિટર પર એક પોલ મૂક્યો હતો. અંદાજીત 1,50,85,458 લોકોએ પોલમાં ભાગ લીધો હતો. આ પોલ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિ-એક્ટિવેટ કરવું કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા અકાઉન્ટ ફરી અકાઉન્ટએ ક્ટિવ કરવાના તરફેણમાં વોટ આપ્યો હતો જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?