22 મહિના બાદ રિ-એક્ટિવ થશે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-20 14:22:37

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર કર્યા છે. ત્યારે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટરને રિ-એક્ટિવ કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2021થી ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત હતું. ત્યારે એલોન મસ્કે પોલ કરી યુર્ઝર્સની આ અંગે રાય લીધી હતી. પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા એકાઉન્ટ ફરી એક્ટિવ કરવાના તરફેણમાં મતદાન આપ્યું હતું જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.


2021થી ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયો હતો પ્રતિબંધ 

2021માં યુએસમાં રમખાણ થયા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. જેને કારણે ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે ટૂંક સમય બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે. 


ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે - મસ્ક

એલોન મસ્કે 19 નવેમ્બરના રોજ ટ્વિટર પર એક પોલ મૂક્યો હતો. અંદાજીત 1,50,85,458 લોકોએ પોલમાં ભાગ લીધો હતો. આ પોલ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિ-એક્ટિવેટ કરવું કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા અકાઉન્ટ ફરી અકાઉન્ટએ ક્ટિવ કરવાના તરફેણમાં વોટ આપ્યો હતો જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .