ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે "ગ્રીનલેન્ડ" પાછું લેવા તૈયાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-15 19:48:56

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઈઝેશન)ના વડા માર્ક રૂટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હોઉસ પહોંચ્યા હતા .  બેઉ નેતાઓએ વિવિધ મુદ્દાને લઇને વ્યાપક ચર્ચા હાથ ધરી હતી . આ ચર્ચા પછી પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું કે , નાટો સંગઠન ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા અમને મદદ કરે. તો આજે આપણે સમજીશું કે , કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઇને ખુબ જ રસ ધરાવે છે. નાટો દુનિયાનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન જેના વડા છે માર્ક રૂટ . તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હાઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓ વચ્ચે રશિયા - યુક્રેન વોર થી લઇને યુરોપ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી . આ પછી બેઉ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે . જેમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો કે , આપની ગ્રીનલેન્ડને લઇને ભવિષ્યની શું યોજના છે? આ સવાલનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે , " ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે. ગ્રીનલેન્ડ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના એંગલથી ખુબ મહત્વનું છે . ઘણા ખેલાડીઓ ગ્રીનલેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે . આને લઇને આપણે ઘણું સાવચેત થવાની જરૂરત છે. નાટો સંગઠન અમેરિકાને મદદ કરી શકે છે." અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના અને રશિયાનો ગર્ભિત રીતે ઉલ્લેખ કરી રહ્યા છે . 

Donald Trump - Wikipedia

આ પછી માર્ક રૂટે જવાબ આપતા કહ્યું કે , " આર્કટિકમાં ખરેખર સમસ્યા છે . ગ્રીનલેન્ડએ યુએસમાં જોડાવું જોઈએ કે નહિ આ પ્રશ્નમાં હું નાટોને બહાર રાખીશ . પણ આર્ક્ટિકમાં ટ્રમ્પની ચિંતા બરાબર છે . ચાઈનીઝ અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠાના માર્ગો પર ચહલપહલ વધી રહી છે . આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઈસ બ્રેકર નથી . રશિયા સિવાયના આર્કટિક દેશો અમેરિકાના નેતૃત્વમાં આર્ક્ટિકના જળમાર્ગોને સુરક્ષિત કરવાના કામ કરી રહ્યા છે . સંજોગો હવે બદલાઈ રહ્યા છે. " આમ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોની મદદથીજ નાટોના જ સભ્ય ગ્રીનલૅન્ડનું અમેરિકામાં વિલીનીકરણ કરવા માંગે છે . 

Image

અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી ખરીદેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું . આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં યુએસએ હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને વિલીનીકરણ કર્યું હતું . આ જ વર્ષે પ્યોરટું રિકોનું વિલીનીકરણ કર્યું . ૧૯૧૭ માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા . આ પેહલીવાર નથી યુએસએ ગ્રીનલેન્ડને  ખરીદવા માંગે છે . આ પેહલા ૧૯૪૬માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનએ ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી ખરીદવા પહેલ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા .

Harry S. Truman - Wikipedia

અમેરિકા એક મહાસત્તા છે તેના લીધે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં તેના નેવલ અને એરબેઝ આવેલા છે . અમેરિકાનું પિત્તુફિક નામનું  એરબેઝ જે સૌથી ઉત્તરમાં આવેલું છે તે ગ્રીનલેન્ડમાં  છે . ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના લીધે ઉત્તર ધ્રુવનો બરફ ઓગળી  રહ્યો છે . તેના લીધે ગ્રીનલેન્ડને લઇને નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . આ પ્રદેશમાં  રેર અર્થ મટીરીઅલ્સને લઇને અમેરિકાને ગ્રીનલેન્ડમાં રસ પડ્યો છે આ ઉપરાંત ચાઈનીઝ અને રશિયન જહાજો ગ્રીન લેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે માટે યુએસ ચિંતિત છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.