ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે "ગ્રીનલેન્ડ" પાછું લેવા તૈયાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-15 19:48:56

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઈઝેશન)ના વડા માર્ક રૂટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હોઉસ પહોંચ્યા હતા .  બેઉ નેતાઓએ વિવિધ મુદ્દાને લઇને વ્યાપક ચર્ચા હાથ ધરી હતી . આ ચર્ચા પછી પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું કે , નાટો સંગઠન ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા અમને મદદ કરે. તો આજે આપણે સમજીશું કે , કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઇને ખુબ જ રસ ધરાવે છે. નાટો દુનિયાનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન જેના વડા છે માર્ક રૂટ . તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હાઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓ વચ્ચે રશિયા - યુક્રેન વોર થી લઇને યુરોપ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી . આ પછી બેઉ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે . જેમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો કે , આપની ગ્રીનલેન્ડને લઇને ભવિષ્યની શું યોજના છે? આ સવાલનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે , " ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે. ગ્રીનલેન્ડ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના એંગલથી ખુબ મહત્વનું છે . ઘણા ખેલાડીઓ ગ્રીનલેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે . આને લઇને આપણે ઘણું સાવચેત થવાની જરૂરત છે. નાટો સંગઠન અમેરિકાને મદદ કરી શકે છે." અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના અને રશિયાનો ગર્ભિત રીતે ઉલ્લેખ કરી રહ્યા છે . 

Donald Trump - Wikipedia

આ પછી માર્ક રૂટે જવાબ આપતા કહ્યું કે , " આર્કટિકમાં ખરેખર સમસ્યા છે . ગ્રીનલેન્ડએ યુએસમાં જોડાવું જોઈએ કે નહિ આ પ્રશ્નમાં હું નાટોને બહાર રાખીશ . પણ આર્ક્ટિકમાં ટ્રમ્પની ચિંતા બરાબર છે . ચાઈનીઝ અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠાના માર્ગો પર ચહલપહલ વધી રહી છે . આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઈસ બ્રેકર નથી . રશિયા સિવાયના આર્કટિક દેશો અમેરિકાના નેતૃત્વમાં આર્ક્ટિકના જળમાર્ગોને સુરક્ષિત કરવાના કામ કરી રહ્યા છે . સંજોગો હવે બદલાઈ રહ્યા છે. " આમ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોની મદદથીજ નાટોના જ સભ્ય ગ્રીનલૅન્ડનું અમેરિકામાં વિલીનીકરણ કરવા માંગે છે . 

Image

અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી ખરીદેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું . આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં યુએસએ હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને વિલીનીકરણ કર્યું હતું . આ જ વર્ષે પ્યોરટું રિકોનું વિલીનીકરણ કર્યું . ૧૯૧૭ માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા . આ પેહલીવાર નથી યુએસએ ગ્રીનલેન્ડને  ખરીદવા માંગે છે . આ પેહલા ૧૯૪૬માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનએ ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી ખરીદવા પહેલ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા .

Harry S. Truman - Wikipedia

અમેરિકા એક મહાસત્તા છે તેના લીધે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં તેના નેવલ અને એરબેઝ આવેલા છે . અમેરિકાનું પિત્તુફિક નામનું  એરબેઝ જે સૌથી ઉત્તરમાં આવેલું છે તે ગ્રીનલેન્ડમાં  છે . ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના લીધે ઉત્તર ધ્રુવનો બરફ ઓગળી  રહ્યો છે . તેના લીધે ગ્રીનલેન્ડને લઇને નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . આ પ્રદેશમાં  રેર અર્થ મટીરીઅલ્સને લઇને અમેરિકાને ગ્રીનલેન્ડમાં રસ પડ્યો છે આ ઉપરાંત ચાઈનીઝ અને રશિયન જહાજો ગ્રીન લેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે માટે યુએસ ચિંતિત છે.



ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.