ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે "ગ્રીનલેન્ડ" પાછું લેવા તૈયાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-15 19:48:56

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઈઝેશન)ના વડા માર્ક રૂટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હોઉસ પહોંચ્યા હતા .  બેઉ નેતાઓએ વિવિધ મુદ્દાને લઇને વ્યાપક ચર્ચા હાથ ધરી હતી . આ ચર્ચા પછી પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ કરી દીધું કે , નાટો સંગઠન ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા અમને મદદ કરે. તો આજે આપણે સમજીશું કે , કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઇને ખુબ જ રસ ધરાવે છે. નાટો દુનિયાનું સૌથી તાકાતવર લશ્કરી સંગઠન જેના વડા છે માર્ક રૂટ . તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વહાઈટ હાઉસ પહોંચ્યા હતા . બેઉ નેતાઓ વચ્ચે રશિયા - યુક્રેન વોર થી લઇને યુરોપ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી . આ પછી બેઉ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે . જેમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો કે , આપની ગ્રીનલેન્ડને લઇને ભવિષ્યની શું યોજના છે? આ સવાલનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે , " ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે. ગ્રીનલેન્ડ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના એંગલથી ખુબ મહત્વનું છે . ઘણા ખેલાડીઓ ગ્રીનલેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે . આને લઇને આપણે ઘણું સાવચેત થવાની જરૂરત છે. નાટો સંગઠન અમેરિકાને મદદ કરી શકે છે." અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના અને રશિયાનો ગર્ભિત રીતે ઉલ્લેખ કરી રહ્યા છે . 

Donald Trump - Wikipedia

આ પછી માર્ક રૂટે જવાબ આપતા કહ્યું કે , " આર્કટિકમાં ખરેખર સમસ્યા છે . ગ્રીનલેન્ડએ યુએસમાં જોડાવું જોઈએ કે નહિ આ પ્રશ્નમાં હું નાટોને બહાર રાખીશ . પણ આર્ક્ટિકમાં ટ્રમ્પની ચિંતા બરાબર છે . ચાઈનીઝ અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠાના માર્ગો પર ચહલપહલ વધી રહી છે . આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઈસ બ્રેકર નથી . રશિયા સિવાયના આર્કટિક દેશો અમેરિકાના નેતૃત્વમાં આર્ક્ટિકના જળમાર્ગોને સુરક્ષિત કરવાના કામ કરી રહ્યા છે . સંજોગો હવે બદલાઈ રહ્યા છે. " આમ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોની મદદથીજ નાટોના જ સભ્ય ગ્રીનલૅન્ડનું અમેરિકામાં વિલીનીકરણ કરવા માંગે છે . 

Image

અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી ખરીદેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું . આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં યુએસએ હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને વિલીનીકરણ કર્યું હતું . આ જ વર્ષે પ્યોરટું રિકોનું વિલીનીકરણ કર્યું . ૧૯૧૭ માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા . આ પેહલીવાર નથી યુએસએ ગ્રીનલેન્ડને  ખરીદવા માંગે છે . આ પેહલા ૧૯૪૬માં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેનએ ગ્રીનલેન્ડને ડેનમાર્ક પાસેથી ખરીદવા પહેલ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા .

Harry S. Truman - Wikipedia

અમેરિકા એક મહાસત્તા છે તેના લીધે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં તેના નેવલ અને એરબેઝ આવેલા છે . અમેરિકાનું પિત્તુફિક નામનું  એરબેઝ જે સૌથી ઉત્તરમાં આવેલું છે તે ગ્રીનલેન્ડમાં  છે . ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના લીધે ઉત્તર ધ્રુવનો બરફ ઓગળી  રહ્યો છે . તેના લીધે ગ્રીનલેન્ડને લઇને નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે . આ પ્રદેશમાં  રેર અર્થ મટીરીઅલ્સને લઇને અમેરિકાને ગ્રીનલેન્ડમાં રસ પડ્યો છે આ ઉપરાંત ચાઈનીઝ અને રશિયન જહાજો ગ્રીન લેન્ડના કાંઠે આંટાફેરા મારી રહ્યા છે માટે યુએસ ચિંતિત છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.