શરદ પૂનમના દિવસે ચંદ્રના પ્રકાશમાં મૂકેલા દૂધ પૌંઆ ખાવાનું હોય છે મહત્વ, જાણો તેની પાછળ રહેલું કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 12:27:42

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમને વિશેષ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ચાંદીના વાસણમાં દૂધ પૌંઆ ચંદ્ર સમક્ષ રાખવામાં આવે છે. ચંદ્રના કિરણને આપણા શરીરમાં ઉતારવા દૂધ પૌંઆનું સેવન કરવામાં આવે છે.

આ વર્ષે 5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમઃ 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો  યોગ બન્યો | sharad purnima 2020 lunar rays of sharad purnima have special  importance destroyer of every disease

શા માટે આસો મહિનાની પૂનમ છે ખાસ?

આસો મહિનાની પૂનમ દરમિયાન ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિની કુમારો છે. અશ્વિની કુમારોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે. તેમના દ્વારા દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિ વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ બને છે. આને કારણે શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવે છે. અનેક રોગોથી પણ છૂટકારો મળે છે. 

Doodh Pauva (Sharad Purnima Special Recipe) | Gujarati Sweet Recipe |  Gujarati Rasoi

શા માટે દૂધ-પૌઆ ખાવામાં આવે છે? 

વેદોમાં પાંચ વસ્તુને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. દૂધને અમૃત ગણવામાં આવ્યું છે. દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્રને સફેદ વસ્તુ અતિ પ્રિય હોય છે. ઠંડીની સિઝનમાં શક્તિ મળી રહે તે માટે દૂધમાં પૌઆનું તેમજ ડ્રાયફૂટનું મિશ્રણ કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચંદ્ર સમક્ષ દૂધ પૌઆ મૂકવાથી તે અમૃત સમાન બની ગયા હોય તેવું માનવામાં આવે છે. ચાંદીના પાત્રમાં દૂધ પૌઆ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. કારણે કે ચાંદીથી પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.