શરદ પૂનમના દિવસે ચંદ્રના પ્રકાશમાં મૂકેલા દૂધ પૌંઆ ખાવાનું હોય છે મહત્વ, જાણો તેની પાછળ રહેલું કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 12:27:42

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમને વિશેષ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ચાંદીના વાસણમાં દૂધ પૌંઆ ચંદ્ર સમક્ષ રાખવામાં આવે છે. ચંદ્રના કિરણને આપણા શરીરમાં ઉતારવા દૂધ પૌંઆનું સેવન કરવામાં આવે છે.

આ વર્ષે 5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમઃ 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો  યોગ બન્યો | sharad purnima 2020 lunar rays of sharad purnima have special  importance destroyer of every disease

શા માટે આસો મહિનાની પૂનમ છે ખાસ?

આસો મહિનાની પૂનમ દરમિયાન ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિની કુમારો છે. અશ્વિની કુમારોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે. તેમના દ્વારા દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિ વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ બને છે. આને કારણે શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવે છે. અનેક રોગોથી પણ છૂટકારો મળે છે. 

Doodh Pauva (Sharad Purnima Special Recipe) | Gujarati Sweet Recipe |  Gujarati Rasoi

શા માટે દૂધ-પૌઆ ખાવામાં આવે છે? 

વેદોમાં પાંચ વસ્તુને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. દૂધને અમૃત ગણવામાં આવ્યું છે. દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્રને સફેદ વસ્તુ અતિ પ્રિય હોય છે. ઠંડીની સિઝનમાં શક્તિ મળી રહે તે માટે દૂધમાં પૌઆનું તેમજ ડ્રાયફૂટનું મિશ્રણ કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચંદ્ર સમક્ષ દૂધ પૌઆ મૂકવાથી તે અમૃત સમાન બની ગયા હોય તેવું માનવામાં આવે છે. ચાંદીના પાત્રમાં દૂધ પૌઆ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. કારણે કે ચાંદીથી પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.    




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.