શરદ પૂનમના દિવસે ચંદ્રના પ્રકાશમાં મૂકેલા દૂધ પૌંઆ ખાવાનું હોય છે મહત્વ, જાણો તેની પાછળ રહેલું કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 12:27:42

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમને વિશેષ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ચાંદીના વાસણમાં દૂધ પૌંઆ ચંદ્ર સમક્ષ રાખવામાં આવે છે. ચંદ્રના કિરણને આપણા શરીરમાં ઉતારવા દૂધ પૌંઆનું સેવન કરવામાં આવે છે.

આ વર્ષે 5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમઃ 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો  યોગ બન્યો | sharad purnima 2020 lunar rays of sharad purnima have special  importance destroyer of every disease

શા માટે આસો મહિનાની પૂનમ છે ખાસ?

આસો મહિનાની પૂનમ દરમિયાન ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિની કુમારો છે. અશ્વિની કુમારોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે. તેમના દ્વારા દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિ વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ બને છે. આને કારણે શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવે છે. અનેક રોગોથી પણ છૂટકારો મળે છે. 

Doodh Pauva (Sharad Purnima Special Recipe) | Gujarati Sweet Recipe |  Gujarati Rasoi

શા માટે દૂધ-પૌઆ ખાવામાં આવે છે? 

વેદોમાં પાંચ વસ્તુને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. દૂધને અમૃત ગણવામાં આવ્યું છે. દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્રને સફેદ વસ્તુ અતિ પ્રિય હોય છે. ઠંડીની સિઝનમાં શક્તિ મળી રહે તે માટે દૂધમાં પૌઆનું તેમજ ડ્રાયફૂટનું મિશ્રણ કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચંદ્ર સમક્ષ દૂધ પૌઆ મૂકવાથી તે અમૃત સમાન બની ગયા હોય તેવું માનવામાં આવે છે. ચાંદીના પાત્રમાં દૂધ પૌઆ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. કારણે કે ચાંદીથી પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.    




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.