Ahmedabadના રસ્તા પર દોડશે ડબલ ડેકર બસ! અમદાવાદના મેયરે બતાવી ઝંડી, જાણો કયા રૂટ પર દોડશે બસ?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:37:22

હજી સુધી અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસ બસ તેમજ બીઆરટીએસ બસો દોડતી હતી. આ બસની સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ આજથી અમદાવાદના રૂટ પર ડબલ ડેકર એસી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડબલ ડેકર એસી બસની સુવિધાનો પ્રારંભ આજથી થઈ ગયો છે. 33 વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડશે. અમદાવાદ શહેરના મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં બસને ફેલગ ઓફ કરવામાં આવી હતી. અત્યાધુનિક ટેક્નોલોજીથી આ બસ સજ્જ છે. વિવિધ સુવિધાઓ આ બસમાં મૂકવામાં આવી છે.

આ રૂટ પર હમણાં દોડશે ડબલ ડેકર બસ!

ગાંધીનગરમાં થોડા સમય પહેલા જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે લંડનથી 5 જેટલી બસોને લાવવામાં આવી હતી. સમિટ વખતે ડબલ ડેકર બસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. સાત રૂટ પર આ બસ દોડશે તેવી માહિતી સામે આવી છે પરંતુ હમણાં એક રૂટ પર જ બસને દોડાવવામાં આવશે. વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ બસ કયા રૂટ પર દોડશે તે અંગેની માહિતી આપવામાં આવશે. 6 બસ કયા રૂટ પર દોડશે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.

News18 Gujarati

30 વર્ષ પહેલા દોડતી હતી ડબલ ડેકર બસ 

મહત્વનું છે અનેક દાયકાઓ પહેલા આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડતી હતી. પરંતુ સમય જતા આ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. બાળકો જ્યારે આવી બસમાં સફર કરતા હતા ત્યારે તેમનો આનંદ અનેરો હતો. અનેક લોકો આ બસમાં મુસાફરી કરી ચૂક્યા છે જે તે સમયે ત્યારે ફરીથી આવી મુસાફરી કરવાનો લ્હાવો અમદાવાદમાં મળી રહ્યો છે. 


શું છે બસની ખાસિયત? 

આ બસમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. પહેલી વાત તો એ કે આ બસ એસી બસ છે. બીજી વાત એ કે આ ઈલેક્ટ્રિક બસ અને આ બસમાં યુએસબી ચાર્જિંગ છે. એવી માહિતી સામે આવી છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બસ 250 કિમી ચાલી શકે. અને બસને ચાર્જ કરવામાં 3 કલાક જેટલો સમય લાગશે. મહત્વનું છે કે ડબલ ડેકર બસમાં બેઠેલા લોકો જ્યારે આ બસને જોશે ત્યારે તેમની યાદો તાજી થઈ જશે. એવી માહિતી સામે આવી છે કે એપ્રિલ -મહિના સુધીમાં 10થી 15 એસી બસ વધુ આવી જશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.