Ahmedabadના રસ્તા પર દોડશે ડબલ ડેકર બસ! અમદાવાદના મેયરે બતાવી ઝંડી, જાણો કયા રૂટ પર દોડશે બસ?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:37:22

હજી સુધી અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસ બસ તેમજ બીઆરટીએસ બસો દોડતી હતી. આ બસની સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ આજથી અમદાવાદના રૂટ પર ડબલ ડેકર એસી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડબલ ડેકર એસી બસની સુવિધાનો પ્રારંભ આજથી થઈ ગયો છે. 33 વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડશે. અમદાવાદ શહેરના મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં બસને ફેલગ ઓફ કરવામાં આવી હતી. અત્યાધુનિક ટેક્નોલોજીથી આ બસ સજ્જ છે. વિવિધ સુવિધાઓ આ બસમાં મૂકવામાં આવી છે.

આ રૂટ પર હમણાં દોડશે ડબલ ડેકર બસ!

ગાંધીનગરમાં થોડા સમય પહેલા જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે લંડનથી 5 જેટલી બસોને લાવવામાં આવી હતી. સમિટ વખતે ડબલ ડેકર બસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. સાત રૂટ પર આ બસ દોડશે તેવી માહિતી સામે આવી છે પરંતુ હમણાં એક રૂટ પર જ બસને દોડાવવામાં આવશે. વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ બસ કયા રૂટ પર દોડશે તે અંગેની માહિતી આપવામાં આવશે. 6 બસ કયા રૂટ પર દોડશે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે.

News18 Gujarati

30 વર્ષ પહેલા દોડતી હતી ડબલ ડેકર બસ 

મહત્વનું છે અનેક દાયકાઓ પહેલા આવી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડતી હતી. પરંતુ સમય જતા આ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. બાળકો જ્યારે આવી બસમાં સફર કરતા હતા ત્યારે તેમનો આનંદ અનેરો હતો. અનેક લોકો આ બસમાં મુસાફરી કરી ચૂક્યા છે જે તે સમયે ત્યારે ફરીથી આવી મુસાફરી કરવાનો લ્હાવો અમદાવાદમાં મળી રહ્યો છે. 


શું છે બસની ખાસિયત? 

આ બસમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. પહેલી વાત તો એ કે આ બસ એસી બસ છે. બીજી વાત એ કે આ ઈલેક્ટ્રિક બસ અને આ બસમાં યુએસબી ચાર્જિંગ છે. એવી માહિતી સામે આવી છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બસ 250 કિમી ચાલી શકે. અને બસને ચાર્જ કરવામાં 3 કલાક જેટલો સમય લાગશે. મહત્વનું છે કે ડબલ ડેકર બસમાં બેઠેલા લોકો જ્યારે આ બસને જોશે ત્યારે તેમની યાદો તાજી થઈ જશે. એવી માહિતી સામે આવી છે કે એપ્રિલ -મહિના સુધીમાં 10થી 15 એસી બસ વધુ આવી જશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.