Jamawatની એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરો, આ રહી Application Download કરવાની લિંક


  • Published By :
  • Published Date : 2023-09-01 11:36:22

જમાવટને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં ગુજરાતના દર્શકોનો જમાવટને ખુબ પ્રેમ આપ્યો છે. અમારા કન્ટેન્ટને, અમારા વીડિયોને તમે જોવાનું પસંદ કરો છો. ગુજરાતીઓએ સહર્ષ અમારો સ્વીકાર કર્યો અને જમાવટ, અમારી સફરને આગળ વધારવામાં અમારી સહાયતા કરી. તે બદલ દિલથી આભાર ગુજરાત...  


જમાવટની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક  

દર્શકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અમે એક નવા પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. અમારા દર્શકોને એક ખૂશખબર આપવી છે કે જમાવટના પ્રથમ બર્થ-ડે પણ અમે લોન્ચ કરી છે જમાવટની એપ્લિકેશન. જમાવટના વીડિયોઝ, સમાચારો હવે તમે અમારી એપ્લિકેશનમાં જોઈ શક્શો. સારૂં કન્ટેટ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સમાચારો સારા કન્ટેટ સાથે તમારા સુધી જલદી પહોંચે તે માટે અમે એપ્લિકેશન લોન્ચ કરી છે. મોબાઈલમાં તમે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છે. Anroidમાં જમાવટ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લીક કરો.  


https://play.google.com/store/apps/details?id=com.jamawat.news



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.